Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને મળી મોદી કી ગેરંટી, આવતા પાંચ વર્ષમાં થશે આ કામ

બુધવારે વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના ભાષણ પર પોતાનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાને કાંગ્રેસ અને અપક્ષ ઉપર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક નાના વર્ગનો જ વિકાસ થયું.

Amansinh Jadeja
Amansinh Jadeja
પીએમ આપી ખેડૂતોને "મોદી કી ગેરંટી"
પીએમ આપી ખેડૂતોને "મોદી કી ગેરંટી"

બુધવારે વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના ભાષણ પર પોતાનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન વડા પ્રધાને કાંગ્રેસ અને અપક્ષ ઉપર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક નાના વર્ગનો જ વિકાસ થયું. દેશના અન્ન દાતા ગણાતા ખેડૂતોએ તેમના શાસનમાં આપઘાત કરતા હતા કેમ કે તે લોકોએ ખેડૂતોની ચિંતા ક્યારે નથ કરી. ખેડૂત ખેતી છોડીને પોતાની જમીનને વેચી રહ્ય હતા જેથી તે પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી શકે.

પીએમ મોદીએ આપણી સરકારના વખાણ કરતા કહ્યું કે જ્યારેથી ભાજપની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોએ સમૃદ્ધ થયા છે. નાના અને સીમાંત ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે શરૂ કરાયેલી યોજનાનું લાભ દરેક ખેડૂતને મળી રહ્યો છે. ભાજપની સરકાર ખેડૂતોને આ વિશ્વાસ કરાવ્યું છે કે તમે દેશના વિકાસમાં કેવી રીતે વેગ આપી શકો છો.

ખેડૂતો માટે મોદી કી ગેરંટી

રાજ્યસભામાં પોતાના નિવેદન આપતા વડા પ્રધાને ખેડૂતોને “મોદી કી ગેરંટી” આપી.  તેમણે કહ્યું, ખેડૂતોને પીએમ કિસાન યોજનાનું લાભ મળતો રહેશે. જેથી તેઓ ઝડપથી દેશના વિકાસની ગતિ સાથે જોડાઈ શકે.જણાવી દઈએ કે હાલમાં જ પીએમ ખેડૂત સન્માન નિધી યોજનાની રકમ વધારવાની ચર્ચા ચાલી હતી. જેના ઉપર જવાબ આપતા કેન્દ્રીય કૃષિમંત્રી કહ્યું હતું કે સરકાર તેને ઉપર વિચાર કરી રહી નથી. પરંતુ આ યોજના થકી ખેડૂતોને લાભ મળતો રહેશે આ મોદીની ગેરંટી છે. તેમ જ ખેડૂતો માટે શરૂ કરાયેલી દરેક યોજનાના લાભ ખેડૂતોને મળશે તેના માટે આપણી સરકાર પ્રતિબંધ છે.

ગરીબોને ઘર મળતા રહેશે

ખેડૂતોને મોદીની ગેરંટી આપ્યા પછી વડા પ્રધાને ગરીબોને પણ મોદીની ગેરંટી આપી અને કહ્યું કે ગરીબોને કાયમી મકાન આપવાની ઝુંબેશ ચાલી રહી છે, જો ઘર મોટું થશે અને નવું કુટુંબ બનશે તો કાયમી મકાનો આપવાનું  હું વચન આપું છું. નળ પાણી યોજના એ મોદીની ગેરંટી છે જેને સરકાર આપતી રહેશે. વડાપ્રધાન કહ્યું કે તેઓ નવા શૌચાલય બનાવવાની ગેરંટી આપી રહ્યા છે. આ તમામ કામો ઝડપથી હાથ ધરવામાં આવશે કારણ કે વિકાસના માર્ગ કે વિકાસની ગતિને સહેજ પણ ધીમી પડવા દેવામાં આવશે નહીં. વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો તેને મોદી 3.0 કહે છે. મોદી 3.0 વિકસિત ભારતની શક્તિને મજબૂત કરવા માટે તેની તમામ તાકાતનો ઉપયોગ કરશે.

દરેકને પાઇપ દ્વારા રાંધણ ગેસ મળશે.

વધુમાં પીએમ મોદી જણાવ્યું કે દેશના દરેક ઘરમાં રાંધણ ગેસ પાઇપ દ્વારા મોકલવામાં આવશે. શહેર હોય કે ગામ દરેક ઘર એટલે કે દરેક ઘર. પીએમ જણાવ્યું કે દેશના દરેક ઘરમાં રાંધણ ગેસને પાઈથી  આપણે આવતા 5 વર્ષમાં પહોંચાડી દઈશું. તેમ જ આગામી પાંચ વર્ષમાં ભારતનું પબ્લિક ટ્રાન્સપોર્ટ સંપૂર્ણપણે બદલાઈ જશે. આગામી પાંચ વર્ષમાં દેશમાં તેલની ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More