Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સોયાબીનની ખેતી તરફ ખેડૂતોનું આકર્ષણ: આ વર્ષે વાવેતર 10 ટકા વધવાનો અંદાજ, તાજેતરમાં જ MSPમાં થયો છે વધારો

દેશમાં ચોમાસાના વરસાદની શરૂઆત વચ્ચે પ્રોસેસિંગ કરવા વાળા સંગઠને અંદાજ આપ્યો છે કે વર્તમાન ખરીફ પાકની સીઝનમાં સોયાબીનનું રાષ્ટ્રીય ક્ષેત્ર 10 ટકાના વધારા સાથે આશરે 132 લાખ હેક્ટરની આસપાસ પહોંચી શકે છે.

Sagar Jani
Sagar Jani
Soyabean
Soyabean

દેશમાં ચોમાસાના વરસાદની શરૂઆત વચ્ચે પ્રોસેસિંગ કરવા વાળા સંગઠને અંદાજ આપ્યો છે કે વર્તમાન ખરીફ પાકની સીઝનમાં સોયાબીનનું રાષ્ટ્રીય ક્ષેત્ર 10 ટકાના વધારા સાથે આશરે 132 લાખ હેક્ટરની આસપાસ પહોંચી શકે છે.  ઈન્દોર સ્થિત સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સોપા)ના અધ્યક્ષ ડેવિશ જૈને 'પીટીઆઈ-ભાષા' ને જણાવ્યું હતું કે અમને અપેક્ષા છે કે આ વખતે દેશમાં સોયાબીનનું ક્ષેત્રફળ લગભગ 10 ટકા વધશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ  2020ની ખરીફ સીઝનમાં દેશમાં સોયાબીનનું વાવેતર લગભગ 120 લાખ હેક્ટરમાં થયું હતું, જ્યારે તેનું ઉત્પાદન આશરે 105 લાખ ટન હતું. જૈને જણાવે છે કે અમને લાગે છે કે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડુતો પેદાશોના સારા ભાવની આશામાં અન્ય ખરીફ પાકોને બદલે સોયાબીન ઉગાડવાનું વધુ પસંદ કરશે.

વિશ્વભરમાં તેલ અને તેલીબિયાંની માંગ સામે નબળા સપ્લાયને કારણે સ્થાનિક બજારમાં આ વર્ષે સોયાબીનના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.  દેશના કૃષિ ઉત્પાદનો માટેના સૌથી મોટા વાયદા બજાર, નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેંજ (એનસીડીએક્સ) પર સોમવારે સોયાબીનનો ભાવ આશરે છ ટકાના ઉછાળા સાથે 6.974 રૂપિયા પ્રતિકવિન્ટલ સુધી પહોંચ્યું છે.

ખેડૂતોને અઢળક આવક કરાવે છે આ ચાર પાક: સરકાર આપે છે પ્રોત્સાહન

આ વર્ષે અત્યાર સુધી એનસીડીએક્સ પર સોયાબીનના ભાવમાં 48 ટકાનો વધારો થયો છે. દેશના હાજર બજારમાં સોયાબીનની કિંમત પણ રેકોર્ડ બ્રેક સપાટીએ છે. બજારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્દોરના બજારમાં સોયાબીનના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.7,100 હતા.

Soyabean
Soyabean

MSPમાં પ્રતિ ક્વિન્ટલે 70 રૂપિયા વધારો

કેન્દ્ર સરકારે વર્ષ 2021-22ના ખરીફ માર્કેટિંગ સીઝન (કેએમએસ) માટે સોયાબીનના ન્યૂનતમ સપોર્ટ ભાવ (એમએસપી) પ્રતિ ક્વિન્ટલ 3950 રૂપિયા નક્કી કર્યા છે.  એમએસપીનો આ દર અગાઉના સત્ર કરતા ક્વિન્ટલ 70 રૂપિયા વધારે છે

અગાઉ કૃષિ મંત્રાલયે પોતાના અનુમાનમાં જણાવ્યું હતું કે આ વખતે તેલીબિયાના પાકની ઉપજમાં બમ્પર વધારો થશે.  મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વર્ષે તેલીબિયાંના ઉત્પાદનમાં 33 લાખ 46 હજાર ટનથી વધુનો વધારો જોવા મળી શકે છે.  આ વખતે દેશમાં તેલીબિયાંનું ઉત્પાદન 3 કરોડ 65 લાખ 65 હજાર ટન થવાનો અંદાજ છે.  જ્યારે ગયા વર્ષે તેલીબિયાંનું ઉત્પાદન 3 કરોડ 32 લાખ 19 હજાર ટન હતું.

વાવણી ક્ષેત્રમાં વધારો કરવા પાછળનું કારણ  ભાવમાં વધારો

આ વખતે સોયાબીનની ઉપજમાં વધારો થઈ શકે છે.  વર્ષ 2020-21ના પાક માટે જાહેર કરાયેલા કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા અંદાજ મુજબ  દેશભરમાં ખરીફ સોયાબીનની ઉપજ 1 કરોડ 34 લાખ 14 હજાર ટનથી વધી શકે છે.  જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1 કરોડ 12 હજાર ટન હતું.

ખાદ્યતેલના વધતા ભાવને તેલીબિયા પાકના વિસ્તારમાં વધારો થવા પાછળનું એક કારણ માનવામાં આવી રહ્યું છે.  છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો થયો છે.  સરસવના તેલના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે.  માનવામાં આવે છે કે આ વખતે ખેડૂતોને તેલીબિયાંના સારા ભાવ મળ્યા છે. આ કારણોસર તેઓ ખરીફ સીઝનમાં ભારે વાવણી કરી રહ્યા છે.

Related Topics

MSP Soyabin Farming Planting

Share your comments

Subscribe Magazine

More on News

More