Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખાધ તેલના સળગતા ભાવમાં મળશે રાહત:મોદી સરકારે લીધા આવા પગલાં

ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આમાં સૌથી વધારે અસર સરસવના તેલમાં જોવા મળી રહી છે. આ વર્ષે સરસવના ઉત્પાદનમાં સારો વધારો થયો હોવા છતાં તેલનો ભાવ નીચે આવી રહ્યો નથી. સરકાર તેના ભાવ ઘટાડવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. જેમકે ક્રૂડ ઓઇલની આયાત પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેશન (એઆઈડીસી)માં છૂટ આપવી જોઈએ જેથી સ્થાનિક બજારમાં તેલના ભાવ ઘટે.

KJ Staff
KJ Staff
Oil prices
Oil prices

. સરકારી વિભાગમાં આ મામલે  ચર્ચા વિચારણા ચાલી રહી છે. જો સરકાર કૃષિ આયાત ડ્યુટીમાં સેસ ઘટાડો કરે તો પામ તેલ, સૂર્યમુખી તેલ અને સોયાબીન તેલના ભાવોમાં નરમાશ આવી શકે છે. આ કેટેગરીના મોટાભાગના ખાદ્યતેલો વિદેશથી આયાત કરવામાં આવે છે.  તેથી, જો સરકાર સેસ ઘટાડે તો કિંમતોમાં નરમાઈ જોવા મળી શકે છે. ગયા બજેટમાં સરકારે એઆઇડીસી તરીકે કૃષિ સેસ રજૂ કર્યો હતો. આ સેસ રૂપમાં વસુલાયેલા નાણાં કૃષિ ઇન્ફાસ્ટ્રક્ચર પર ઉપયોગ કરવામાં આવે છે.

કૃષિ સેસ ઘટાડવાની તૈયારી? આયાત કરેલા પામ તેલ ઉપર 17.5% પર સેટ, સૂર્યમુખી અને સોયાબીન તેલ ઉપર 20 - 20 પર સેટ કૃષિ સેસ લગાવે છે.સૂત્રોએ ઇટી નાઉને જણાવ્યું હતું કે, તાજેતરની આંતર-મંત્રી બેઠકમાં કૃષિ સેસ ઘટાડવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બેઠકમાં સેસ ઘટાડવા અંગે ચર્ચા થઈ હતી, જેના વિશે સરકાર બહુ જલ્દી કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા પછી ખાદ્યતેલોના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. ભારત તેની જરૂરિયાતનો  લગભગ 60 ટકા વિદેશથી આયાત કરે છે. સોયાબીન તેલમાં તેજી સરકારના આંકડા દર્શાવે છે કે છેલ્લા 5 વર્ષમાં સોયાબીનના તેલના ભાવ 80 રૂપિયાથી વધીને રૂપિયા 158એ પહોંચી ગયા છે. છેલ્લા એક વર્ષમાં આ ભાવમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. સૂર્યમુખી તેલની પણ  આવી જ સ્થિતિ છે. અગાઉ સૂર્યમુખી તેલનો ભાવ 110 રૂપિયા થતો હતો, જે હવે પ્રતિ લિટર 175 રૂપિયા થઈ ગયો છે.

સરસવના તેલમાં આગ લગાડતો વધારોબીજી બાજુ, જો આપણે સરસવના તેલની વાત કરીએ તો સ્ટોકની સ્થિતિને જોતા તેની કિંમત 25 રૂપિયાથી વધીને 7,575 - 7,625 ક્વિન્ટલ થઈ ગઈ છે.  મસ્ટર્ડ ઓઇલ મિલ ડિલિવરી દાદરી પણ રૂ .25થી વધીને રૂ .15,150 ક્વિન્ટલ થઈ છે.  આ આંકડો 17 મેની આસપાસનો છે.  નિષ્ણાંતોના મતે સરસવના તેલમાં હાલમાં નિખાલીસ સરસવનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ગુજરાત સહિત અને અન્ય કેટલાક રાજ્યોમાં સરસવનું રિફાઈન્ડ તેલ બનાવવામાં આવી રહ્યું છે, પરિણામે સરસવનો વપરાશ પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.વિશેષજ્ઞનું શુ માનવું છે? લણણી પછી, છેલ્લા બે-ત્રણ મહિનામાં 35થી40 ટકા સરસવનું પિલણ કરી નાખવામાં આવ્યું છે.  નિષ્ણાંતો કહે છે કે આવી સ્થિતિમાં સરસવની શુદ્ધિકરણ ઉધોગને સંપૂર્ણ પણે બંધ કરવુ જોઈએ. આ વર્ષે ગઈ સાલનો સરસવનો સ્ટોક નામ માત્રનો  પણ નથી રહ્યો. ન જ્યારે નવા ઉત્પાદનનો અંદાજ 9 મિલિયન ટન જેટલો હતો.  35 ટકા માલ બાકી છે, બાકી હજુ આખુ વર્ષ બાકી છે. સરકારે બજારમાં સંતુલન અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને પગલાં ભરવા જોઈએ. એવી સંભાવના છે કે સરકાર કઠોળની અછતની જેમ તેલની સ્ટોક મર્યાદા પણ નક્કી કરી શકે.  ઓઇલ આયાતકાર અને સ્ટોકિસ્ટને તેમના સ્ટોક વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે કહી શકાય. જો કે નિષ્ણાતોએ સરકારને આ પગલું ન ભરવા કહ્યું છે કારણ કે જો સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવે તો સપ્લાય પર અસર થઈ શકે છે અને તેલના કારણે વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.

Related Topics

production price oil

Share your comments

Subscribe Magazine

More on News

More