Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભરતભાઈએ આપ્યો ચેલેન્જ, જો મારા આ પ્રયોગથી પાક બગડશે તો આપીશું રૂં. 1 કરોડ

છેલ્લા 20 વર્ષથી 2500 કરોડના પોતાના વેપારને પોતાના દીકરાઓ અને ભત્રીજાઓને સોંપીને ખેડૂતો માટે કામ કરી રહેલા ગુજરાતના રાજકોટના વતની ભરતભાઈ ભૂરાભાઈ પરસાણાએ આજે એટલે કે મંગળવારે 2 એપ્રિલના રોજ કૃષિ જાગરણની વિશ્વ પ્રસિદ્ધ KJ Chaupal માં પોતાના અનુભવ શેયર કર્યો.

Amansinh Jadeja
Amansinh Jadeja
કે. જે ચોપાલમાં પધાર્યા ભરતભાઈ
કે. જે ચોપાલમાં પધાર્યા ભરતભાઈ

છેલ્લા 20 વર્ષથી 2500 કરોડના પોતાના વેપારને પોતાના દીકરાઓ અને ભત્રીજાઓને સોંપીને ખેડૂતો માટે કામ કરી રહેલા ગુજરાતના રાજકોટના વતની ભરતભાઈ ભૂરાભાઈ પરસાણાએ આજે એટલે કે મંગળવારે 2 એપ્રિલના રોજ કૃષિ જાગરણની વિશ્વ પ્રસિદ્ધ KJ Chaupal માં પોતાના અનુભવ શેયર કર્યો. ત્યાં તેમણે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી તેઓએ ખેડૂતો માટે શું કામ કરી રહ્યા છે. ભરતભાઈએ KJ Chaupal ના મંચથી પોતાના નિવેદન આપતા જણાવ્યું કે તેઓ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે અને વડા પ્રઘાન નરેંદ્રભાઈ મોદીના સપના પૂરા કરવા માટે દિવસ-રાત્રે ફક્ત ખેડૂતો માટે એક પગ પર ઉભા રહીને કામ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે જ્યારે ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ આપણા ગરવી ગુજરતાના મુખ્ય પ્રધાન હતા. ત્યારે તેમને એક સપનું જોયું હતું કે એક દિવસ સમગ્ર ગુજરાતના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરીને દેશ અને વિશ્વના લોકોના સામે એક ઉદાહરણ બનીને ઉભરી આવે અને તેમને જણાવે કે ઓર્ગેનિક ખેતી થકી કેવી રીતે પાકનું અઢળક ઉત્પાદન મેળવી શકાય છે અને તેથી પોતાના ઘરે પૈસાના ઢગલા રાસાયણિક ખેતી કરતા પણ બમણો થઈ શકે છે. તેમ જ પોતાની જાત અને દેશના લોકોને કેંસરથી કેવી રીતે બચાવી શકાય છે. કેમ કે જો એક શોધ પર નજર કરીએ તો દેશમાં કેંસરના દર્દીઓ વધવાના કારણ આપણો ભોજન જ છે. જેના માટે ઉગાડવામાં આવી રહેલી શાકભાજી તેમજ અનાજ મેળવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

 મોદીજીના સપનો પૂરા કરવાનું લક્ષ્ય

આ કેંસર જેવી જીવલેણ બીમારી ભારતમાં કોઈને નહીં થાય તેના માટે આપણા ત્યારના મુખ્ય પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ સોગંધ ખાદી હતી કે તે ગુજરાતની ખેતી લાયક જમીનને રાસાયણિક ખેતીથી મુક્ત કરીને રહેશે.ત્યારે તેમની પહેલ પછી રાજકોટના મોટા ઉદ્યમી ભરતભાઈ પરસાણા ખેડૂત આગેવાન વેલજીભાઈ ભૂરિયાએ સાથે મળીને ઓર્ગેનિક ખાતર તૈયાર કરી હતી. જેથી ખેડૂતોને તેમના પાકનું વધુ ઉત્પાદન મળી શકે અને તેઓ મોદી સાહેબના સપનાને પૂરા કરીને ગુજરાતને દેશના પહેલા ઓર્ગેનિક ખેતી કરનાર રાજ્ય બનાવી શકાય.

જો ખાતરથી ખેડૂતને થાય નુકસાન તો આપશે રૂ. 1 કરોડ

ગુજરાતના મોટા ઉદ્યમી ભરભાઈએ જણાવ્યું કે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાતર થકી આજે ગુજરાતના 7 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. અને પાકનું અઢળક ઉત્પાદન  સાથે જ મોટી આવક પણ મેળવી રહ્યા છે. ગુજરાતના રાજકોટના રહેવાસી ભરભાઈએ ચેલેંજ કર્યો છે કે જો કોઈ ખેડૂતને તેમના દ્વારા બનાવેલ ખાતરથી નુકસાન થાય છે એટલે કે તેમના પાક બગડી જાય છે તો તે તેમને રૂ, 1 કરોડ આપશે.

વેલજીભાઈ ભૂડિયાના મદદથી ભરતભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ ઓર્ગેનિક ખાતર

જીવામૃત: 150 લીટર પાણીમાં 20 કિલો છાણ, 5 થી 10 લીટર ગૌમુત્ર, 1 કિલો ગોળ અને બે લીટર છાય એક સાથે ભેળવી લો. ત્યાર પછી કોઈ પણ પાક ઉપર તેનું દર 15 દિવસમાં પાણી સાથે છંટકાવ કરવું.

ધનજીવામૃત: એક કિલો દેશી ગાયના છાણ, 5 થી 10 લીટર ગૌમુત્ર, 1 કિલો ગોળ અને 2 લીટર છાય સાથે ભેળવીને સુખવા માટે રાખી દો. ત્યાર પછી તમારી એક એકડ જમીન માટે ઓર્ગેનિક ખાતર તૈયાર થઈ જશે.

ભરતભાઈ પરસાણાના કરવામાં આવ્યો બહુમાન
ભરતભાઈ પરસાણાના કરવામાં આવ્યો બહુમાન

જંતુઓ માટે: એક કિલો હિંગના ટુકડો લઈને તેને 5 લિટર પાણીમાં 24 કલાક પલાળી રાખો. ત્યાર પછી  તેમાં 100 થી 250 મિલી દૂધ અને 200 ગ્રામ ગોળ ભેળવી તેનો ખેતરમાં છંટકાવ કરવો. જન્તુઓ તમારા ખેતર તરફ જોશે પણ નહીં.

કોઈ પણ પાક માટે ઓર્ગેનિક ખાતર: મગફળી, ચણા, તુવૈર, શાકભાજીના પાકમાં જ્યારે ફૂલ આવે છે.ત્યારે તમારે 250 મિલી દૂઘ, 200 ગ્રામ ગોળ અને 250 મિલી ગૌમુત્રને ભેળવીને તેનું દર 15 દિવસમાં 3 વખ્ત છંટકાવ કરવું. અને જો તમે કેરી, ચીકુ. જામફળનું છોડ વાવ્યું છે તો તેના માટે 1000 લીટરની ટાંકીમાં 25 લીટર દૂધ, 20 કિલો ગોળ અને 10 લીટર ગૌમુત્ર ભેળવી લો અને દર 15 દિવસમાં 3 વખ્ત તેનું છંટકાવ કરો

Share your comments

Subscribe Magazine

More on News

More