Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સુરેન્દ્રનગર પછી રાજકોટ તરફ વળી MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા, લોધિકાના ખેડૂતોનું થયું બહુમાન

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકાના યુવાન ખેડૂતો
રાજકોટ જિલ્લાની લોધિકા તાલુકાના યુવાન ખેડૂતો

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

રાજકોટ તરફ વળી ખેડૂત ભારત યાત્રા

ખેડૂતો સુધી પહોંચી વળવા અને તેમની સમસ્યાઓ સાંભળીને તેનું ઉકેલ શક્ય હોય તો ખેડૂતોને જણાવતી કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા હવે સુરેન્દ્રગરના પોતાનું સફર પતાવીને રાજકોટ તરફ વળી ગઈ છે. શનિવારે 20 એપ્રિલ એટલે કે આજે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકા ખાતે આવેલ રાવકી ગામે પહોંચી હતી. જ્યાં લોધીકા ફાર્મર પ્રોડ્યુસર નામથી સંચાલિત એફપીઓના સીઈઓ કૌશિકભાઈ પટેલ અને ચેરમેન કૃષ્ણસિંહ જાડેજા તેમ જ 300થી વધુ ખેડૂત ઉત્પદાક સંગઠનોના વડા અને મોટી સંખ્યામાં ખેડૂતોએ યાત્રાનું ગામમાં ભવ્ય સ્વાગત કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સાથે તેમની સમસ્યાને લઈને વાત કરવામાં આવી હતી. જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rz9ynE5xwo/  આ ઉપરાંત ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે ઉપર પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી માટે જણાવી દઈએ યાત્રા દરમિયાન ગામના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન પણ કરવામાં આવ્યા હતા.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More