Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આદિવાસીઓની આજીવિકા પુરુ પાડતુંમહત્વપૂર્ણ વૃક્ષ:કડાયો

શું તમે જાણોછો કે જંગલમાં રહેતા આદિવાસીઓ પોતાનું જીવન કેવી રીતે ગુજારે છે?,આદિવાસીઓ તેમની જીવન જરૂરિયાતોની વસ્તુઓ જંગલમાંમળતા ઘાસ, છોડ, વૃક્ષ, પ્રાણી, કીટાણુઓ માંથી જ મેળવી લે છે. તેમની જરૂરિયાતો પુરીકરવા તેઓ વિવિધ જૈવિક સામગ્રીજેવી કે જંગલી ખાદ્ય વનસ્પતિ, મસાલા, મધ, તેલ, ઘાસચારો,ગુંદર, રાળ, રંગો, મીણ, લાખ, રેસા, બળતણ લાકડું, કોલસો, વાડ બનાવવામાટેના થાંભલા, વન્યજીવ ઉત્પાદનો અનેકાચો માલ જેમ કે વાંસ, નેતર વગેરે જંગલોમાંથી એકત્રિત કરે છે.

KJ Staff
KJ Staff
livelihood
livelihood

શું તમે જાણોછો કે જંગલમાં રહેતા આદિવાસીઓ પોતાનું જીવન કેવી રીતે ગુજારે છે?,આદિવાસીઓ તેમની જીવન જરૂરિયાતોની વસ્તુઓ જંગલમાંમળતા ઘાસ, છોડ, વૃક્ષ, પ્રાણી, કીટાણુઓ માંથી જ મેળવી લે છે. તેમની જરૂરિયાતો પુરીકરવા તેઓ વિવિધ જૈવિક સામગ્રીજેવી કે જંગલી ખાદ્ય વનસ્પતિ, મસાલા, મધ, તેલ, ઘાસચારો,ગુંદર, રાળ, રંગો, મીણ, લાખ, રેસા, બળતણ લાકડું, કોલસો, વાડ બનાવવામાટેના થાંભલા, વન્યજીવ ઉત્પાદનો અનેકાચો માલ જેમ કે વાંસ, નેતર વગેરે જંગલોમાંથી એકત્રિત કરે છે.

આ સામગ્રીઓનો ઉપયોગ તેઓ વિવિધ પ્રકારની ઔષધિ, ખોરાક,પશુઓના ચારા, રહેઠાણ વગેરેમાં કરે છે. આદિવાસીઓને દરેક મહત્વપૂર્ણ વૃક્ષની ઓળખ અને તેનો ઉપયોગ કરવાની પરંપરાગતસમજ હોય છે. જંગલ એકમાત્ર કુદરતી સંસાધન છેજે ગરીબમાં ગરીબ લોકોને મફત પ્રવેશ અને ભરણપોષણ પૂરું પાડવામાં મદદ કરે છે અને આદિવાસીઓની આજીવિકા માટે તે ખૂબ જ આવશ્યક ભૂમિકા બની રહે છે.એટલા માટે આજના આ લેખમાં એક અગત્યનાવનવૃક્ષ વિશે જાણકારી આપીશું અને તેના મહત્વ વિષે પણ જણાવીશું કે જેઆદિવાસીઓ માટે અત્યંત અગત્યનું વનવૃક્ષ છે.એ વનવૃક્ષ નું નામ છે કડાયો.

કડાયાનું વૈજ્ઞાનિક નામસ્ટર્ક્યુલિયા યુરેન્સ(Sterculiaurens)છે. તે કોમ્બ્રેટેસી (Combretaceae)કુટુંબમાંથી આવે છે અને તે 'કાડાયા' અથવા 'કાડાયા ગમ' તરીકે પ્રખ્યાત છે.આ વૃક્ષ કોંકણી ભાષામાં પાંદ્રુક, હિન્દીમાં કુલુ/કતિરા અને અંગ્રેજી: ઇન્ડિયન-ટ્રાગાકાન્થ(Indian-Tragacanth)ના નામથી ઓળખાયછે.કડાયાનો ઉપયોગ દવાઓ બનાવવા, આરોગ્યમાં, ખોરાક, સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં તેમજપેપરઅને કાપડઉદ્યોગતથાચામડાના ઉદ્યોગોમાં ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. કડાયાના ગુંદરનોઉપયોગપ્રવાહી મિશ્રણ, ચોપડવાની દવા, દાંત જડવાનાપાઉડર અને રેચકમાંતે એક ઘટક તરીકે વપરાય છે. તેઉપરાંત ખોરાક, બેકિંગ અને ડેરી ઉદ્યોગોમાંતેની વિશાળ ઉપયોગિતા ધરાવે છે.

કડાયોપ્રાકૃતિક રીતે૩૦૦ થી૭૫૦ મીટર સુધી જોવા મળે છે. તે ૦ થી ૧૦ oસે જેવા નીચા તાપમાનથીશરુ કરી૪૦ થી ૪૮oસે જેટલા ઊંચાતાપમાનમાં પણ જોવા મળે છે કે જ્યાં ૭૫૦ થી ૧૨૫૦ મિલિમિટર વરસાદજોવા મળે છે. તે સામાન્ય રીતે પહાડી ઢોળાવ, ઊંચા શિખરો, ખડકાળ અને તિરાડોવાળા પહાડી વિસ્તારમાંજોવા મળે છે. તે વધુ સારી રીતે પથરાળ, છીછરી, ફળદ્રુપ અને સારી રીતે નિકાલવાળી જમીનમાં ટકી રહે છે.

કડાયાનું વૃક્ષ પ્રાકૃતિક રીતેભારત, લાઓસ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, વિયેતનામ વગેરે દેશોમાં જોવા મળેછે. ભારતમાં તે હિમાલયપશ્ચિમ અને મધ્ય ભારત તથાપૂર્વ અને પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે, તે ગુજરાત,આંધ્ર પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,ઓડિશા, કેરળ,રાજસ્થાન, કર્ણાટક, બિહાર, છત્તીસગઢ,મધ્યપ્રદેશ, વગેરેરાજ્યોમાંપણ જોવા મળે છે.

કડાયોએ એક મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે, જે લગભગ ૧૫-૨૦ મીટર ની ઊંચાઈ સુધી પહોંચે છે અને ૨ મીટર વ્યાસધરાવી શકે છે. આ વૃક્ષની છાલભૂખરા-સફેદથી લાલ રંગની હોય છે અને ચળકતો દેખાવ ધરાવે છે.પાંદડાઓ શાખાઓના અંત તરફ ગીચગોઠવણી ધરાવતા જોવામળે છે. ફૂલો ઉભયલિંગી અને રંગેલીલાશ પડતા પીળા રંગનાહોય છે. ફળો રંગેલાલ અને ઉપરકાંટાળા વાળથી આવરિત હોય છે. એક ફળમાં ૩ થી ૬ની સંખ્યામાંબીજ હોય છેજે ભુરો અથવા કાળા રંગના અનેલંબગોળ આકારના હોય છે.

કડાયાનું મહત્વતો ગણ્યું ગણાય નહીં એટલું છે, જેમાં સૌથી વધુમહત્વ કડાયામાંથી મેળવાતા ગુંદરનું છે. કડાયાના ગુંદરનો ઉપયોગ સામાન્યથી લઈ ને ઘણી ગંભીર અને ચેપીબીમારીઓની સારવાર માટે થાય છે. તેમજ આ વૃક્ષના ગુંદરનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં પણ થાય છે જેમ કે કાપડ ઉદ્યોગ,ખાદ્ય ઉદ્યોગ,કાગળ ઉદ્યોગ,ચામડાના ઉદ્યોગ, છાપકામ કરતાં કારખાનાઓ. આ સિવાય તે દવાઓ તેમજવિવિધ સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ બનાવવામાંપણ વપરાય છે.મિત્રો, આ તો થઈમાત્ર ગુંદરની વાત પરંતુ, આ વુક્ષના બિજા ભાગોનું પણ ઘણું મહત્વ ધરાવે છે, તો ચાલો તેને પણ વિસ્તૃત રીતે જાણી લઈએ. ડાયાનુંમહત્વ:

આદિવાસીઓદ્વારા કડાયાના પરંપરાગત ઉપયોગો:

  • મહારાષ્ટ્રરાજ્યમાં આવેલા અમરાવતી જિલ્લાના કોરકુ જાતિના લોકો કડાયાની છાલ પર પગઘસીને પગની તિરાડો મટાડે છેતેમજ ગર્ભાશયને સાફ કરવા માટે અડધો કપ છાલનો ઉકાળો દિવસમાં એકવાર ૧૦-૧૨ દિવસ માટે લેવામાં આવે છે.તેઓ શરીરના સોજાને ઘટાડવા માટે કડાયાનામૂળ, અરડૂસાની છાલ,મહુડાની છાલ અનેનગોડના પાનનોપાવડરનું મિશ્રણપાણીમાં ઉકાળીને નહાવામાં તથા ૧૦ ગ્રામ મિશ્રણનો ઉપયોગ મૌખિક રીતે તે આહારમાં લેછે.
  • અરુણાચલ પ્રદેશના પૂર્વ ઘાટની આદિવાસીઓ કડાયાની છાલ,હળદરવો (હલ્દુ)અને મરી સાથેનું મિશ્રણનો ઉપયોગ સ્ત્રીરોગ (લ્યુકોરિયા) ની સારવાર માટે ૯ દિવસ માટે મૌખિક રીતે ઉપયોગમાં લેછે.
  • તમિલનાડુના પૂર્વીય ઘાટમાંકોલ્લી નામની ટેકરીઓ પર રહેતામલયાલીજાતિના આદિવાસીઓ દ્વારા અસ્થિભંગ,ઘા અને ત્વચાનીતિરાડની સારવાર માટે કડાયાના પાંદડાનો રસ બહારથી લગાડવામાં આવે છે.
  • આંધ્ર પ્રદેશના પૂર્વ ઘાટના પાપીકોન્ડાલુ વન્યજીવન અભયારણ્ય વિસ્તારના આદિવાસી સમુદાયો દ્વારા સંધિવાના ઉપચાર માટેકડાયાની ડાળીની છાલને હળદર સાથે પીસી અનેહળવા ગરમ પાણીથી ગાળણ કરી ૫ દિવસ માટે દિવસમાં બે વખત બે ચમચી આપવામાં આવે છે.
  • દક્ષિણ રાજસ્થાનના આદિવાસીસ્ત્રીઓ માસિક સ્રાવને નિયમિત કરવા માટે કડાયાનીછાલનો પાવડર મૌખિક રીતે ઉપયોગમાં લે છે.
  • આંધ્ર પ્રદેશના કોંડા રેડ્ડીસઆદિવાસીઓનું કહેવું છેએક ચમચી કડાયાની છાલનો પાઉડર ગરમ પાણીમાં ભેળવીને એક વખત પીવાથી પ્રસવના દુખાવામાં મદદ મળે છે.
  • કડાયાના મૂળનો ઉપયોગઅસ્થિભંગઅને માસિક સ્રાવને નિયમિત કરવા, જ્યારે ગુંદરનો ઉપયોગ બળતરા મટાડવા માટે રાજસ્થાનના મીના સમાજદ્વારા કરવામાં આવે છે.
  • તમિલનાડુનાં પશ્ચિમી ઘાટના પલ્લીયર્સઆદિવાસીઓકડાયાના લેટેક્ષ,કંદમૂળ અને બીજમાંના કર્નલ નો ઉપયોગ ખોરાક તરીકે કરે છે.
  • પૂર્વીય ઘાટના આદિવાસીઓનું કહેવું છે કેકડાયો ગળાની તકલીફો અને ઢોર અને ઘેટાંના ફેફસાના રોગવિરોધી હોય છે.
  • રાજસ્થાનમાંસીતામાતા વન્યજીવનઅભયારણ્યનાંઆદિવાસીઓકડાયાના ગુંદરઅને ચૂના (કેલ્શિયમ કાર્બોનેટ-CaCO3) નું મિશ્રણ સર્પદંશના નિવારણ કરવામાં કરે છે અને તે બાહ્ય તેમજ મૌખિક બંને રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ તેઓ ગુંદરનો ઉપયોગ ચામડીમાંથી કાંટા કાઢવામાં પણ કરે છે.
  • ભારતનું પચમઢી બાયોસ્ફિયર રિઝર્વમાં સ્થાનિક લોકો દ્વારા કડાયાના રાળનો ઉપયોગસ્ત્રીરોગમાં કરે છે અનેછાલનો ઉપયોગ દોરડું બનાવવા કરે છે.
  • આંધ્ર પ્રદેશનાં આદિલાબાદ જિલ્લોમાં વસતા આદિવાસીઓ કડાયાની છાલમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગફાર્માસ્યુટિકલ,ટેનરી,ગરબારતી બનાવવી વગેરેમાં કરે છે. જ્યારે, પાનનો પશુઓના ચારા તરીકે, બીજ ખાવામાં તેમજ છાલફાઈબરનાં ઉત્પાદનમાં વાપરે છે.
  • મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા થાણે જિલ્લાની વારલી, કાતકરી અને કોકોણા સમુદાયના આદિવાસી મહિલાઓદ્વારાખાદ્યપદાર્થોમાં પ્રવાહી મિશ્રણ તરીકે ઉપયોગ છે જે ખાદ્યપદાર્થોને જાડું અને સ્થિતિસ્થાપક બનાવે છે. તેમજ તે લોકો બીજને શેક્યા પછી ખોરાક તરીકે લે છે. દુષ્કાળના સમયમાં તેઓ બીજ અને નાના કુમળાં મૂળ ખાય છે.કાડાયાના ગુંદર, પાન અને છાલનો ઉપયોગ ગળામાં ચેપ અને ઘાની સારવાર માટે કરે છે.

તો જોયું મિત્રો, કડયો આદિવાસી સમુદાયોનાં આજીવિકા માટે કેટલો ઉપયોગી છે. તે આદિવાસીઓનાં ખોરાક, દવા થી લઈ દોરડું બનાવવા અને પશુઓના ચારા તરીકે પણ ઉપયોગી છે. આવૃક્ષના ગુંદરનો ઉપયોગ કાપડ ઉદ્યોગ,ખાદ્ય ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ,ચામડાના ઉદ્યોગ, છાપકામ કરતાં કારખાનાઓમાં તેમજવિવિધ સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ અને દવાઓ બનાવવામાંપણ વપરાય છે. જોકે,કડાયો એ માત્ર જંગલવિસ્તારોમાં જોવા મળતું વૃક્ષ હોવાથીઉદ્યોગકારોએ આદિવાસીઓનાં સહારે જ રહેવું પડે છે. આ રીતે કડાયો એઆદિવાસીઓને રોજગાર માટેની મહત્વપૂર્ણતક પણ પૂરી પાડી છે.આમ,કડયો તેના વિવિધ ઉપયોગોના કારણે આદિવાસી સમુદાયો માટેતેમના અસ્તિત્વ અને રોજગાર નિર્માણ માટે વધુ ઉપયોગી બની રહે છે. આ રીતે કડાયાને આદિવાસીઓની ટકાઉ આજીવિકા માટેનું મહત્વપૂર્ણ વૃક્ષ માની શકાય છે.

લેખક: કેયુરઆર. રાઠોડ, રામમયુરએલ.,ડૉ. ધવલ પ્રજાપતિ,જાળિયા રાકેશકુમારએમ., જીગ્નેશ રોટ,ડૉ. સુમનકુમારએસ. ઝા, ડૉ. બીએસ. દેસાઇ,

વન્ય-મહાવિદ્યાલય, નવસારીકૃષીયુનિવર્સિટી, નવસારી, ગુજરાત–૩૯૬૪૫૦

મો. નાં: ૯૭૨૫૦૧૮૭૯૦,૯૬૬૨૮૨૮૨૩૯

ઈમેલ:sumanjha@nau.in

rathodkeyur03@gmail.com

Related Topics

livelihood Kadayo tribes

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More