Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

Navaratri Special: માં અંબાના પ્રિયા ફૂલ છે જાસુદ, સરળતાથી ઘરે ઉગાડો અને મેળવો બમ્પર કમાણી

ટૂંક સમયમાં ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ જશે અને ભક્તોએ માં અંબાને ખુશ કરવા માટે તેઓના આગળ દીપ પ્રગટાવશે. એમ તો મોટા ભાગે નવરાત્રી દરમિયાન ગરબા ઓક્ટોબર-નવેમ્બરની નવરાત્રીમાં ઘૂમવામાં આવે છે,પરંતુ ઉત્તર ગુજરાતમાં માં અંબાને ખુશ કરવા માટે ચૈત્ર નવરાત્રીમાં પણ ઘટ સ્થાપના થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોર્સ ઑફ ફોટો-પિક્સલ્સ
સોર્સ ઑફ ફોટો-પિક્સલ્સ

ટૂંક સમયમાં ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ જશે અને ભક્તોએ માં અંબાને ખુશ કરવા માટે તેઓના આગળ દીપ પ્રગટાવશે. એમ તો મોટા ભાગે નવરાત્રી દરમિયાન ગરબા ઓક્ટોબર-નવેમ્બરની નવરાત્રીમાં ઘૂમવામાં આવે છે,પરંતુ ઉત્તર ગુજરાતમાં માં અંબાને ખુશ કરવા માટે ચૈત્ર નવરાત્રીમાં પણ ઘટ સ્થાપના થાય છે. જો તમે પણ માં અંબાને વઘુમાં વધુ ખુશ કરવા માંગો છો તો તેમને જાસુદના ફૂલ અર્પણ કરો અને તે પણ પોતાના ઘર કે ખેતરમાં ઉગાડીને. જી હાં...જાસુદ જેને કે હિબિસ્કસ પણ કહેવામાં આવે છે માં અંબાના પ્રિયા ફૂલના સાથે ભારતના સૌથી સુંદર અને આકર્ષક ફૂલોમાંનું એક છે, જેનું વૃક્ષ વાવવું ખૂબ જ સરળ છે, તમે તેને ઘરે મોટા કુંડામાં પણ વાવી શકો છો.

જાસુદના ફૂલ ઉગાડવા માટે પ્રથમ પગલું

જાસુદના ફૂલને ઉગાડવા માટે પ્રથમ પગલું છે તેના બીજ અથવા કાપવામાંથી કોઈ એકની પસંદની કરવાની. એમ તો ઘણા લોકો તેને કાપવાથી વાવે છે, કેમ કે તેથી તે ઝડપથી ઉગે છે અને ફૂલ આપે છે. પરંતુ તમે ઇચ્છો તો તેને બીજમાંથી પણ વાવી શકો છો પણ ધ્યાન રાખજો કે બીજમાંથી છોડ રોપ્યા પછી, તેના પર ફૂલો આવવામાં સમય લાગે છે.

વાવેતર પહેલા માટી તૈયાર કરો

તમે છોડને કાપવા દ્વારા ઉગાડો કે બીજ દ્વારા, સૌથી મહત્વપૂર્ણ વસ્તુ માટી છે. માટી તૈયાર કરવા માટે, કુંડામાં બગીચાની માટી, નારિયેળ પીટ અને વર્મીકમ્પોસ્ટનું મિશ્રણ નાખો. 

કટીંગ્સ તૈયાર કરો 

  • સૌ પ્રથમ જાસુદના વૃક્ષમાંથી એક સ્વસ્થ કટીંગ લો.
  • જાસુદને કાપતી વખતે, તેને ઢાળવાળી રીતે કાપો.
  • કાપણીનો ભાગ સુકાઈ જાય, ત્યારે તેને મૂળિયા પાવડરમાં બોળીને કુંડામાં વાવો.
  • કાપેલા છોડને મૂળ પકડવામાં 10-20 દિવસ લાગી શકે છે.
સોર્સ ઑફ પિક્ચર- પિક્સલ્સ
સોર્સ ઑફ પિક્ચર- પિક્સલ્સ

પાણીની જરૂરિયાતો

જાસુદ ભેજવાળી જમીનમાં સારી રીતે અંકુરિત થાય છે અને ઉગે છે, પરંતુ ખાતરી કરો કે તે ખૂબ ભીની ન હોય કારણ કે આનાથી માટીમાં શેવાળ ઉગી શકે છે જેના કારણે મૂળ સડી શકે છે. શરૂઆતમાં, દિવસમાં એક કે બે વાર માટી ભીની હોય તેની ખાતરી કરીને પાણીનો છંટકાવ કરો. 

પ્રથમ પાંદડા અને ટ્રાન્સપ્લાન્ટ

જ્યારે ડાળી મૂળિયાં પકડે છે, ત્યારે તેના પર નાના પાંદડા દેખાવા લાગે છે. લગભગ 20 દિવસ પછી, છોડ એટલા મોટા થઈ જશે કે તેનું ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. એકવાર દરેક છોડમાં ઓછામાં ઓછા 3-5 મોટા પાંદડા થઈ જાય, પછી સમજી જજો કે છોડને મોટા વાસણમાં સ્થાનાંતરિત કરવાનો સમય આવી ગયો છે. 

સૂર્યપ્રકાશની જરૂરિયાત 

કટીંગ રોપ્યા પછી, કુંડાને સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવો જોઈએ. એકવાર તમે છોડનું ટ્રાન્સપ્લાન્ટ કરી લો, પછી તેને થોડા કલાકો માટે સીધા સૂર્યપ્રકાશમાં રાખો. આ પહેલાં તેને પરોક્ષ સૂર્યપ્રકાશમાં રાખવું જોઈએ. 

કાપણી ચાલુ રાખો 

જાસુદની નિયમિત કાપણી કરવી મહત્વપૂર્ણ છે. તેથી ખાતરી કરો કે દાંડીની આસપાસ 6-8 થી વધુ પાંદડા ન હોય.

આ પણ વાંચો:ભરપૂર ગુણધર્મોથી ભરાયેલો છે વોટર ચેસ્ટનટ, જાણો તેના અદ્ભુત ફાયદાઓ વિશે

પ્રથમ ફૂલ

જો તમે બીજમાંથી ઉગાડતા હોવ તો, તે એક લાંબી પ્રક્રિયા હશે અને માટી અને ખાતરના આધારે પ્રથમ ફૂલો આવવામાં લગભગ એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. પરંતુ સ્વસ્થ ઝાડમાંથી કાપવાથી, યોગ્ય ખાતર સાથે, પ્રથમ ફૂલો લગભગ 6 મહિનામાં દેખાઈ શકે છે. 

ઉનાળામાં આ રીતે રાખો કાળજી 

  • જાસુદના છોડને જંતુઓથી બચાવવા મહત્વપૂર્ણ છે. આ માટે, સાંજે તેના થડ અને પાંદડા પર લીમડાનું તેલ છાંટો અને સવારે આખા ઝાડ પર પાણી છાંટો. 
  • આ છોડને કાર્બનિક ખાતરની જરૂર છે. ઉનાળામાં તમે તેને ઠંડુ અને પ્રવાહી ખાતર આપી શકો છો. 
  • જાસુદના વૃક્ષના સૂકા પાંદડા, ડાળીઓ અથવા સુકાઈ ગયેલા ફૂલો દૂર કરો. 
  • કુંડામાં માટી સારી રહે તે માટે નીંદણ કાઢતા રહો. 
  • વધુ પડતું પાણી આપવાનું ટાળો એટલે કે જરૂર કરતાં વધુ પાણી આપવાનું ટાળો. 

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More