Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પોતાની જાતને આત્મનિર્ભર બનાવવા માંગો છો, આ યોજના હેઠળ મેળવો તાલીમ

ભારતના ગામડાઓમાં રહેતા દેશના યુવાનોએ રોજગારીની શોઘમાં છે. કોઈ ચોક્કસ કૌશલ્યના અભાવે અને યોગ્ય તાલીમના અભાવે આવા યુવાનો રોજગાર મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ દેશના મઘ્યમાં સ્થિત મધ્ય પ્રદેશમાં એક એવી યોજના છે જેના કારણે યુવાનોને રોજગાર તો મળે જ છે સાથે-સાથે બેરોજગાર હોવાની નિરાશા પણ સમાપ્ત થઈ જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
યુવાનોને બનાવશે આત્મનિર્ભર "ગૌ સેવા"
યુવાનોને બનાવશે આત્મનિર્ભર "ગૌ સેવા"

ભારતના ગામડાઓમાં રહેતા દેશના યુવાનોએ રોજગારીની શોઘમાં છે. કોઈ ચોક્કસ કૌશલ્યના અભાવે અને યોગ્ય તાલીમના અભાવે આવા યુવાનો રોજગાર મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ દેશના મઘ્યમાં સ્થિત મધ્ય પ્રદેશમાં એક એવી યોજના છે જેના કારણે યુવાનોને રોજગાર તો મળે જ છે સાથે-સાથે બેરોજગાર હોવાની નિરાશા પણ સમાપ્ત થઈ જાય છે. રાજ્ય સરકાર દ્વારા ગૌસેવક તાલીમ યોજના ચલાવવામાં આવી રહી છે. જાણકારોના મતે આ યોજના શરૂ કરીને મઘ્ય પ્રદેશ સરકારે એક કાંકરે અનેક પક્ષીઓને માર્ચા છે. આ યોજનાની સૌથી ખાસ બાબત એવું છે કે તેના અંતર્ગત ફક્ત મધ્ય પ્રદેશના યુવાનો જ નહીં પરંતુ બીજા રાજ્યના યુવાનોએ પણ તાલીમ મેળવી શકાય છે.

આ પણ વાંચો:ખેડૂતો માટે મોદી સરકાર લઈને આવી નવી યોજના, જાણો તેથી શું થશે ફાયદા

યુવાનોને આત્મનિર્ભર બનાવવાનું પ્રયાસ

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આ યોજના થકી રાજ્ય અને બીજા રાજ્યના યુવાનોને વેટરનરી કે વેટરનરી દવાની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનાની મદદથી ગાયો ધરાવતા યુવાનોને ગાય સેવા આપવાનો અને ગાયોનો સમયસર સારવારની સુવિધા આપવાનો સરકારનો ઉદ્દેશ્ય પણ પૂર્ણ થશે.  જણાવી દઈએ કે આ યોજના વર્ષ 2001 માં શરૂ કરવામાં આવી હતી. તે સમય 1137 ગૌ સેવકો દ્વારા પશુ ચિકિત્સા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જૂન 2023માં જાહેર કરાયેલા સરકારી અહેવાલ મુજબ, સરકારે આ યોજના હેઠળ લગભગ એક લાખ યુવાનોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું.

રાજ્યના ડેરી વિભાગ હેઠળ આવેલ છે યોજના

આ યોજના મધ્યપ્રદેશ સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. તાલીમ પછી, પ્રશિક્ષિત યુવાનો ગામડાઓમાં પશુઓને પ્રાથમિક તબીબી સંભાળ આપીને પોતાના માટે રોજગાર શરૂ કરી શકે છે. આ સાથે, પ્રાણીઓ પણ યોગ્ય સમયે પ્રારંભિક તબીબી સંભાળ મેળવી શકશે. તાલીમ દરમિયાન પસંદગી પામેલા યુવાનોને દર મહિને 1000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. ઉપરાંત 1200 રૂપિયાની કીટ પણ યુવાનોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈ પણ રાજ્યના યુવાનોને  છ મહિનાની તાલીમ મેળવી શકે છે.

કોણ કરી શકે છે અરજી

છ મહિના પછી, લાભાર્થીઓ તાલીમ માટે ફરીથી અરજી કરી શકે છે. રિફ્રેશર લાભાર્થીની પસંદગી વરિષ્ઠતાના આધારે કરવામાં આવશે. 10મું પાસ અને 18 વર્ષથી 35 વર્ષની વચ્ચેના યુવાનો મધ્યપ્રદેશ ગૌસેવક તાલીમ યોજના માટે અરજી કરી શકે છે. યોજનાના નામ પ્રમાણે જ પ્રશિક્ષિત યુવાનોને ગૌસેવક કહેવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More