Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

મોદી સરકારની કામદારોને મોટી ભેટ, મનરેગા હેઠળ કામદારોનો વેતન થયો બમણો

કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણીની વચ્ચે મનરેગા કામદારોને મોટી ભેટ આપી છે. મોદી સરકારે જાહેરાત કરી છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા એટલે કે મનરેગા હેઠળ કામદારો માટે કેન્દ્ર સરકારે નવા વેતન દરો જાહેર કર્યા છે

Amansinh Jadeja
Amansinh Jadeja
મનરેગા હેઠળ કામદારોને મળશે વધુ વેતન
મનરેગા હેઠળ કામદારોને મળશે વધુ વેતન

કેન્દ્રની મોદી સરકારે લોકસભા ચૂંટણીની વચ્ચે મનરેગા કામદારોને મોટી ભેટ આપી છે. મોદી સરકારે જાહેરાત કરી છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા એટલે કે મનરેગા હેઠળ કામદારો માટે કેન્દ્ર સરકારે નવા વેતન દરો જાહેર કર્યા છે. નવા દરો મુજબ હવે દરેક રાજ્યમાં કામદારોને વધુ વેતન મળશે. જણાવી દઈએ કે ગોવામાં સૌથી વધુ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં સૌથી વધુ 10.56 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ફક્ત 3.04 ટકાનો વધારો કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: FSSAI દેશભરમાં ખોલશે પરીક્ષણ લેબ, શાકભાજી અને ફળો પરીક્ષણ પછી જ આવશે બજારમાં

ગોવાના કામદારોને મળશે હવે 356 રૂપિયા

ગોવાના કામદારોને પહેલા રોજના 322 રૂપિયા મળતા હતા, જે હવે વધીને 356 રૂપિયા પ્રતિદિન થઈ ગયા છે. કર્ણાટકમાં મનરેગાનો દર 349 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 316 રૂપિયા પ્રતિ દિવસ હતો. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મનરેગા મજૂરોનો વેતન દર 221 રૂપિયાથી વધીને 243 રૂપિયા પ્રતિ દિવસ થયો છે.

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સંકળાયેલા મજૂરોનું દૈનિક વેતન 230 રૂપિયાથી વધીને 237 રૂપિયા થઈ ગયું છે. હરિયાણા, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, રાજસ્થાન, કેરળ અને લક્ષદ્વીપમાં મનરેગા કામદારોના દરમાં 7 ટકાનો વધારો થયો છે. હવે તેમનું દૈનિક વેતન રૂ. 267.32 થી વધીને રૂ. 285.47 થઇ ગયું છે. જ્યારે ગુજરાતમાં વધારીને 280 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર, જાન્યુઆરી 2024 સુધીમાં, મનરેગામાં 14.28 કરોડ સક્રિય કામદારો છે. 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં તેમણે મનરેગાના બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં મનરેગાનું બજેટ અંદાજે રૂ. 60,000 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2024-25 માટે વધારીને રૂ. 86,000 કરોડ કરવામાં આવ્યું હતું.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More