Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખેડૂતોને દર મહીને 3 હજાર રૂપિયા આપશે સરકાર,જોયતું હોય તો આવી રીતે કરો અરજી

કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં જીવવા માટે વાર્ષિક 36 હજાર રૂપિયા આપવા માટે PM કિસાન માનધન યોજના ચલાવી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે આ યોજનામાં જોડાનારા ખેડૂતોની સંખ્યા 23.38 લાખને વટાવી ગઈ છે

Amansinh Jadeja
Amansinh Jadeja
3 હજાર જોઈએ છે તો આવી રીતે કરો અરજી
3 હજાર જોઈએ છે તો આવી રીતે કરો અરજી

કેન્દ્ર સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં જીવવા માટે વાર્ષિક 36 હજાર રૂપિયા આપવા માટે PM કિસાન માનધન યોજના ચલાવી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે આ યોજનામાં જોડાનારા ખેડૂતોની સંખ્યા 23.38 લાખને વટાવી ગઈ છે. જ્યારે આ ખેડૂતો 60 વર્ષની વય વટાવે છે, ત્યારે સરકાર પેન્શન માટે તેમના બેંક ખાતામાં દર મહિને 3000 રૂપિયા જમા કરશે.

નાના અને સીમાંત ખેડૂતો માટે છે યોજના

પ્રધાન મંત્રી કિસાન માનધન યોજના એ કેન્દ્ર સરકારની 12 સપ્ટેમ્બર 2019 ના રોજ શરૂ કરવામાં આવેલી જાહેર કલ્યાણ યોજના છે જે સૌથી વધુ સંવેદનશીલ ખેડૂત પરિવારોને સુરક્ષા પૂરી પાડવા માટે છે. પીએમ કિસાન માનધાન એક યોગદાન યોજના છે, નાના અને સીમાંત ખેડૂતો પેન્શન ફંડમાં માસિક સબ્સ્ક્રિપ્શન ચૂકવીને યોજનાના સભ્ય બનવાનું પસંદ કરી શકે છે. એટલે, યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતે માસિક હપ્તો જમા કરાવવો પડશે, સરકાર પેન્શન ખાતામાં પણ તે જ રકમ જમા કરશે, જે 60 વર્ષ પૂર્ણ થવા પર દર મહિને 3,000 રૂપિયાના રૂપમાં પ્રાપ્ત થશે.

18 થી 40 વર્ષની વયના ખેડૂતો જોડાઈ શકે છે

કિસાન માનધન યોજનાનો લાભ મેળવવા માટે 18 થી 40 વર્ષની વયના ખેડૂતો જોડાઈ શકે છે. અરજદારોએ પેન્શન ખાતામાં દર મહિને 55 થી 200 રૂપિયા જમા કરાવવાના રહેશે, આ હપ્તાની રકમ તેઓ 60 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી જમા કરાવવાની રહેશે. તે પછી ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાની સંભાળ રાખવા માટે દર મહિને 3,000 રૂપિયા મળશે. જો કે, ખેડૂતો હપ્તો જમા કરાવવાનો વિકલ્પ પણ અધવચ્ચે છોડી શકે છે. જણાવી દઈએ કે LIC ખેડૂતોના માસિક હપ્તાનું સંચાલન કરે છે. યોજના માટે લાભાર્થીઓની નોંધણી CSC કેન્દ્રો અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવે છે.

કર્નાટકના સૌથી વધુ ખેડૂતો આ યોજના સાથે જોડાયા

લોકસભામાં જવાબ આપતાં કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે અત્યાર સુધીમાં 23.38 લાખ ખેડૂતો ખેડૂત પેન્શન યોજના પીએમ કિસાન માનધન હેઠળ નોંધાયેલા છે. કિસાન માનધન યોજના નાના અને સીમાંત ખેડૂતોની વૃદ્ધાવસ્થાની સુરક્ષા અને સામાજિક સુરક્ષા માટે ચલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં કુલ 23,38,720 ખેડૂતો આ યોજના સાથે જોડાયેલા છે.

કૃષિ મંત્રીએ કહ્યું કે યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં કર્ણાટકમાં મહત્તમ 41,683 ખેડૂતોની આ યોજના હેઠળ નોંધણી કરવામાં આવી છે. યોજના હેઠળ, સરકાર પેન્શન ખાતામાં પણ એટલી જ રકમ જમા કરે છે જેટલો ખેડૂત ફાળો આપે છે. તેમણે કહ્યું કે આ વર્ષે 31 જાન્યુઆરી, 2024 સુધી કર્ણાટકના ખેડૂતો પાસેથી આ યોજના હેઠળ 10,78,51,700 રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર પર પોતાનું યોગદાન આપ્યું છે.

અરજી કરવાની રીત

આ યોજના હેઠળ અરજી કરવા માટે સૌથી પહેલી શર્ત છે, ખેડૂતે નાના અને સીમાંત હોવું જોઈએ. તેમના પાસે 2 હેક્ટરથી વધું જમીન નથી હોવી જોઈએ. અરજી કરવા માટે તમારા પાસે આધાર કાર્ડ, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો, વય પ્રમાણપત્ર, ઓળખાણ પત્ર, ખેતરની ઠાસરા ખતૌની અને બેંક ખાતાની પાસબુક જરૂરી રહેશે. તેના માટે અરજી તમે તમારા બેંકમાં જઈને કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More