Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પીએમ મોદીના ફોટા વાળા બેગમાં મળશે અનાજ, રૂ. 15 કરોડના થશે ખર્ચ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહી ગયા છે. ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેશે. તેના વચ્ચે કેન્દ્ર સરકાર રાશનના બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોમાં લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. જેના ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો છપાયેલો હશે અને તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ ક્લાયણ અન્ન યોજના માટે કરવામાં આવશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
અનાજના બેગ માટે 15 કરોડ ખર્ચ કરશે સરકાર
અનાજના બેગ માટે 15 કરોડ ખર્ચ કરશે સરકાર

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહી ગયા છે. ચૂંટણી પંચે આવતા અઠવાડિયા સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી દેશે. તેના વચ્ચે કેન્દ્ર સરકાર રાશનના બેગ ખરીદવા માટે પાંચ રાજ્યોમાં લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. જેના ઉપર નરેન્દ્ર મોદીનો ફોટો છપાયેલો હશે અને તેનો ઉપયોગ પ્રધાનમંત્રી ગરીબ ક્લાયણ અન્ન યોજના માટે કરવામાં આવશે. પીએમ મોદીના ફોટાવાળી આ થેલીઓ અનાજથી ભરવામાં આવશે અને પીએમ-જીકેવાયના લાભાર્થિઓમાં વહેંચવામાં આવશે. ખાસ વાત એ છે કે આ માહિતી એક આરટીઆઈ દ્વારા મળી છે.

પીએમ મોદીના ફોટો વાળા બેગમાં અનાજનું વિતરણ

એક અહેવાલ મુજબ અજય બોઝે પીએમ જીકેએવાયને લઈને આરટીઆઈ દાખલ કરી હતી. આ અંતર્ગત તેમના આ વાતનો જવાબ મળ્યો હતો. જવાબમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક કાર્યાલયોએ અનાજના વિતરણ માટે PM મોદીની તસવીરવાળી લેમિનેટેડ બેગ ખરીદવા માટેના ટેન્ડરને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. રાજસ્થાન, સિક્કિમ, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં પીએમ મોદીના ફોટાવાળી બેગમાં ભોજનનું વિતરણ કરવામાં આવશે.

લગભગ 82 કરોડ લાભાર્થિઓને મફત અનાજ

PMGKAY હેઠળ, અત્યાર સુધીમાં અંત્યોદય અન્ના યોજના અને પ્રાથમિકતા પરિવારોના લગભગ 81.35 કરોડ લાભાર્થીઓને મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે 2020-21 અને 2021-22માં PMGKAY હેઠળ દર વર્ષે 75 કરોડથી વધુ લોકોને મફત રાશન આપવામાં આવ્યું છે. આરટીઆઈના જવાબ મુજબ, રાજસ્થાન કાર્યાલયે 1.07 કરોડ સિન્થેટિક બેગનો ઓર્ડર આપ્યો છે, જેમાં પ્રત્યેક 10 કિલો અનાજ રાખવાની ક્ષમતા છે, જેની કિંમત 12.375 રૂપિયા પ્રતિ થેલી છે. તેવી જ રીતે, મેઘાલય ઓફિસે પ્લાસ્કોમ ઇન્ડસ્ટ્રીઝ એલએલપીને રૂ. 12.5 દરેકના દરે 4.22 લાખ બેગ ખરીદવા માટે ટેન્ડર આપ્યું છે.

મિઝોરમ અને ત્રિપિરામાં એસએસએસને મળ્યો ટેન્ડર

મિઝોરમ અને ત્રિપુરામાં એસએસએસ નામની કંપનીને બેગ બનાવવા માટે ટેન્ડર આપવામાં આવ્યું છે. કંપનીને બંને રાજ્યો માટે 14.3 રૂપિયા પ્રતિ બેગના થોડા ઊંચા ભાવે ટેન્ડર પ્રાપ્ત થયા છે. મિઝોરમમાં, 1.75 લાખ મોદી-બ્રાન્ડેડ બેગ રૂ. 25 લાખમાં ખરીદવામાં આવશે, જ્યારે ત્રિપુરાએ 5.98 લાખ બેગ ખરીદવા રૂ. 85.51 લાખનો ખર્ચ કર્યો છે

સિક્કિમથી 98 હજાર બેગ મંગાવવામાં આવ્યા

સિક્કિમ માટે એફસીઆઈ 14.65 રૂપિયા પ્રતિ બેગના ભાવે 98,000 બેગ ખરીદવા માંગે છે. આ માટે 14.35 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આરટીઆઈના જવાબમાં જણાવાયું છે કે પશ્ચિમ બંગાળ ક્ષેત્ર માટે, બેગના ઉત્પાદન માટે કંપનીની પસંદગીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. એફસીઆઈએ તેની તમામ 26 પ્રાદેશિક કચેરીઓને પત્ર લખીને PMGKAY હેઠળ અનાજ વિતરણ માટે વડા પ્રધાનના ફોટાવાળી લેમિનેટેડ બેગ ખરીદવા માટે ટેન્ડરો ફ્લોટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More