Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

CASH CROP: ખેડૂતભાઈઓ આ રોકડીયા પાકનું વાવેતર કરશે તો મળશે મહેનતનું સંપૂર્ણ વળતર

ખેડૂતભાઈ

KJ Staff
KJ Staff
રોકડીયા પાક
રોકડીયા પાક

ભારતમાં આશરે 70 ટકા વસ્તી કૃષિ પર આજીવિકાનો આધાર રાખે છે. આ સંજોગોમાં દરેક ખેડૂતભાઈ ઈચ્છે છે કે તેઓ એવા પાકોની જ ખેતી કરે કે જે સારો નફો રળી આપે તથા વેચાણને લગતા ઓછા જોખમ ધરાવતા હોય. જે લોકો ખેતી જેવા વધારે સારા વિકલ્પને પસંદ કરવા ઈચ્છતા હોય અથવા ઉત્તમ પાકની ખેતી કરવા ઈચ્છતા હોય તેમના માટે અમે એવા કેટલાક પાકોની માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો ચાલો વાત કરીએ કેટલાક એવા રોકડીયા પાકો ની કે જે તમને ખૂબ જ નફાકારક બની શકે છે.

વાંસની ખેતી
વાંસના છોડનો સૌથી વધારે ઉપયોગ ભૂનિર્માણ છોડ તરીકે થાય છે. તે વિશ્વમાં સૌથી ઝડપી વિકસિત થતા છોડ પૈકીનો એક છે. તે એક દિવસમાં 4 ઇંચ સુધી વધી શકે છે અને તમે 40 વર્ષ સુધી તમારા વાંસના જંગલમાંથી ઉત્પાદન મેળવી શકો છો.

  • જુવારની ખેતી

જુવાર પણ ભારતમાં મુખ્ય અનાજ છે. જુવારની ખેતી માટે આદર્શ હવામાન ગરમ અને શુષ્ક હોવું જોઈએ અને સરેરાશ વાર્ષિક વરસાદ 45 સેમી હોવો જરૂરી છે. અત્રે આપવામાં આવેલ રોકડીયા પાકોની માહિતી ખેતીમાં ખેડૂતભાઈઓને ચોક્કસપણે સારો નફો મેળવવામાં મદદરૂપ બની શકે છે. આ પાકો ઉપરાંત અન્ય રોકડીય પાકો પણ છે, જે અંગે હવે પછીના લેખમાં વાત કરશું.

  • ચોખા

ચોખાએ મુખ્યત્વે ખરીફ પાક છે. ચોખા એ ભારતમાં અડધાથી પણ વધારે વસ્તીના ભોજનનો એક ભાગ છે. સામાન્ય રીતે ભારતના ખેતી હેઠળના વિસ્તાર પૈકી ત્રીજા ભાગનો હિસ્સો ચોખાની ખેતીથી કવર થાય છે. ચોખાની ઉન્નત ખેતી લગભગ તમામ રાજ્યોમાં થાય છે. ભારતમાં ચોખાના ત્રણ મુખ્ય ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઉત્તર પ્રદેશ છે. ચોખાનું વાવેતર કરનારા અન્ય રાજ્યોમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ચોખા સમગ્ર દેશમાં સ્ટેપલ ફૂડ (Staple Food) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખેતી લગભગ દરેક રાજ્યમાં થઈ શકે છે. ચોખાની ઉન્નત ખેતી એવા 100 સેંટીમીટર સુધી ભારે વરસાદવાળા વિસ્તાર કે જ્યાં તાપમાન 25 સેલ્સિયસ સુધી રહે છે ત્યાં વધારે યોગ્ય છે. પૂર્વોત્તરના મેદાન તથા તટિય વિસ્તારો દેશના મુખ્ય ચોખા ઉત્પાદક દેશ છે.

  • મકાઈની ખેતી

ચોખા અને ઘઉં બાદ મકાઈ બારતમાં મુખ્યત્વે મહત્વનો અનાજનો પાક છે. તે ભારતમાં કુલ કૃષિ ઉપજનો આશરે 10મો હિસ્સો છે. મકાઈની ખેતી મુખ્યત્વે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના ક્ષેત્રોમાં થાય છે. તેમા 21થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન તથા 50થી 75 સેંટીમીટર વચ્ચે વરસાદ યોગ્ય રહે છે.

  • સરસવની ખેતી

સરસવ 'ક્રૂસીફેરા' પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને ભારતના બહુલ વિસ્તારોમાં ભોજન માટે સરસવનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત સરસવનો ઉપયોગ તેલ કાઢવા માટે કરવામાં આવે છે. તેનો મોટાભાગે ભોજનમાં ઉપયોગ થાય છે. સરસવના પાકની વૃદ્ધિ માટે ઉપોષ્ણકટિબંધીય જળવાયુની આવશ્યકતા રહે છે, જે શુષ્ક અને ઠંડુ વાતાવરણ છે. સામાન્ય રીતે સરસવ ઉગાડવા માટે 10 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન યોગ્ય હોય છે. રાજસ્થાનમાં સરસવનું સૌથી વધારે ઉત્પાદન થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Business

More