Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુઓમાં ફોસ્ફરસની ઉણપના લક્ષણો અને તેના ઉકેલો

પશુઓના શરીરમાં ફોસ્ફરસની ઉણપ અથવા શરીર દ્વારા યોગ્ય પ્રમાણમાં ઉપયોગ નહીં થવાના સંજોગોમાં ફોસ્ફરસની ઉણપ થાય છે. આશરે 70 ટકા ફોસ્ફરસનો ઉપયોગ હાંડકા અને દાંત બનાવવા માટે કેલ્શિયમ સાથે થાય છે. ફોસ્ફરસની ઉણપથી પેદા થતા રોગને હાઈપોફોસ્ફેટીમિયા કહેવામાં આવે છે,તે વધારે પ્રમાણમાં ફોસ્ફરસની ઉણપને લીધે હાંડકાના રોગ (રિકેટ્સ) થાય છે. આ ઉપરાંત ફોસ્ફરસ અને કેલ્શિયમ તત્વના સંતુલનથી પશુઓમાં ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે. તો ચાલો જાણીએ પશુઓમાં ફોસ્ફરસની ઉણપના લક્ષણો અને તેના સમાધાન કેવી રીતે થાય છે-

KJ Staff
KJ Staff

પશુઓના શરીરમાં ફોસ્ફરસની ઉણપ અથવા શરીર દ્વારા યોગ્ય પ્રમાણમાં ઉપયોગ નહીં થવાના સંજોગોમાં ફોસ્ફરસની ઉણપ થાય છે. આશરે 70 ટકા ફોસ્ફરસનો ઉપયોગ હાંડકા અને દાંત બનાવવા માટે કેલ્શિયમ સાથે થાય છે. ફોસ્ફરસની ઉણપથી પેદા થતા રોગને હાઈપોફોસ્ફેટીમિયા કહેવામાં આવે છે,તે વધારે પ્રમાણમાં ફોસ્ફરસની ઉણપને લીધે હાંડકાના રોગ (રિકેટ્સ) થાય છે. આ ઉપરાંત ફોસ્ફરસ અને કેલ્શિયમ તત્વના સંતુલનથી પશુઓમાં ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે. તો ચાલો જાણીએ પશુઓમાં ફોસ્ફરસની ઉણપના લક્ષણો અને તેના સમાધાન કેવી રીતે થાય છે-

પશુઓમાં ફોસ્ફરસની ઉણપના કારણોઃ

જ્યાં ઘાસચારો ઉગાડવામાં આવે છે, ત્યા જમીનમાં ફોસ્ફરસની ઉણપ છે તો ચારાની સાથે પશુઓમાં પણ ફોસ્ફરસની ઉણપ થાય છે.

જો પશુઆહાર મિશ્રણમાં ચોકર ન મળે તો ફોસ્ફરસની ઉણપ સર્જાય છે.

પશુઓને સુકા ઘાસ અને ચારામાં ફોસ્ફરસ મળે છે.

કોઈ બીમારી અથવા અસ્વસ્થ્યતાને લીધે શરીર ફોસ્ફરસનું યોગ્ય પ્રમાણમાં અવશોષણ થઈ શકતા નથી.

ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના વિકાસ માટે ફોસ્ફરસની આવશ્યકતામાં વૃદ્ધિ કરવાથી પણ આ તત્વની ઉણપ આવે છે.

વધારે પ્રમાણમાં ફોસ્ફરસની ઉણપ સામાન્યતઃ વધારે ઉત્પાદકતાવાળી ડેરી ગાયોમાં સ્તનપાનની શરૂઆતી અવધિમાં વધારે જોવા મળે છે.

 સ્તનપાનની શરૂઆતમાં ફોસ્ફરસની અચાનક ઉણપ શરૂ થાય છે.

 ગર્ભાવસ્થાના અંતિમ સપ્તાહ સમયે આહારમાં વધારે પ્રમાણમાં ફોસ્ફરસ ન આપવું તે પશુઓ માટે પ્રાણઘાતક હોઈ શકે છે.

 પશુઓમાં ફોસ્ફરસની ઉણપથી થતા નુકસાન

પશુઓમાં તેની ઉણપથી ભૂખ ઓછી લાગે છે

પશુ દીવાર ચાટીને, માટી ખાઈને અથવા અન્ય પશુઓના પેશાબ ચાટીને પોતાના ફોસ્ફેરસની ઉણપને ઓછી કરવી જોઈએ.

પશુઓની વૃદ્ધિ ઓછી થઈ જાય છે અથવા દૂધ આપવાની ક્ષમતામાં ઘટાડો થાય છે

ફોસ્ફરસની ઉણપ થવાથી પશુઓની પ્રજનન ક્ષમતાને અસર થાય છે, જેથી પશુ હીટમાં નહીં આવે.

પશુઓના હાંડકા નબળા પડવા લાગે છે અથવા વાંકા વળે છે. જેથી પશુઓ ઠીક રીતે ઉભુ પણ રહી શકતા નથી.

ફોસ્ફરસની ઉણપથી પશુઓમાં બેચેની, માંસપેશિઓમાં નબળાઈ આવે છે તેમ જ હાંડકામાં દુખાવો થાય છે.

ફોસ્ફરસની ઉણપને કેવી રીતે પૂરી કરી શકાય છે

માટીની તપાસ કરી જમીનમાં ફોસ્ફરસની ઉણપને જાણી શકાય છે તેમ જ તે પ્રમાણમાં આ તત્વ જમીનમાં આપવાથી ઉણપને ઓછી કરી શકાય છે.

ઘાસચારાના પાક ઉગાડવાના સમયે ખેતરમાં યોગ્ય પ્રમાણમાં N:P:K નાંખવું જોઈએ.

ઘાસચારાના પાકો તથા અનાજોના છોતરામાં ફોસ્ફરસનું વધારે પ્રમાણ જોવા મળે છે અથવા તો પશુ આહાર મિશ્રણમાં મિનરલ મિક્સચર મળવાથી ઓછા પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ કરી શકાય છે.

ગાય ભેંસને 50 ગ્રામ ખનિજ અને લવણ પ્રતિદિવસ આપવું

પશુઓ માટે પશુઆહાર તૈયાર કરવાના સમયે તેમાં 30થી 40 ટકા ચોકર ચોક્કસપણે મિશ્રિત કરો.

પશુઓને વધારે પ્રમાણમાં કેલ્શિયમ આપવાના સંજોગોમાં ફોસ્ફરસની ઉણપ થઈ શકે છે માટે પશુઓને ફક્ત કેલ્શિયમ જ ન આપશો.

પશુ ડોક્ટરની સલાહથી વિટામીન એ અને વિટામીન બી કોમ્પ્લેક્સના ઈન્જેક્શન પણ આપો.

વયસ્ક પશુઓના આહારમાં દૈનિક 50 ગ્રામ સાદુ મીઠું મિશ્રિત કરો.

પશુ ચિકિત્સકની સલાહથી ફોસ્ફરસનું ઈન્જેક્શન ચોક્કસપણે લગાવો અને પશુઓને દૈનિક 50 ગ્રામ સોદાફાસ પાઉડર આહારમાં આપો.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More