Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

કેવી રીતે બનાવશો ‘પશુ’ને ‘ધન’ ? આ રહ્યા વૈજ્ઞાનિક રીતે પશુપાલન અને પશુ સંવર્ધન માટેના મહત્વના સૂચનો

પશુપાલક મિત્રો, આપણા દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે પશુપાલન એ એક ખૂબ જ અગત્યનો ભાગ છે. હવે અત્યારના આધુનિક સમયમાં લોકોને પશુપાલનની મહત્તા સમજાતાં વધુ ને વધુ લોકો પશુપાલનને એક પૂર્ણ સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે.

KJ Staff
KJ Staff

પશુપાલક મિત્રો, આપણા દેશમાં ગ્રામ્ય અર્થતંત્રને સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે પશુપાલન એ એક ખૂબ જ અગત્યનો ભાગ છે. હવે અત્યારના આધુનિક સમયમાં લોકોને પશુપાલનની મહત્તા સમજાતાં વધુ ને વધુ લોકો પશુપાલનને એક પૂર્ણ સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવી રહ્યા છે.

જો આપ પણ પશુપાલન વ્યવસાયમાં જોડાવાની ઇચ્છા ધરાવતા હોવ, તો આપે સૌપ્રથમ પશુપાલન વ્યવસાય માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને આગળ વધવું જોઇએ. પશુપાલનને વધારે નફાકારક બનાવવા માટે વધુ દૂધ ઉત્પાદન ધરાવતા આનુવંશિક ગુણવત્તા ધરાવતા સારી ઓલાદના પશુઓનો ઉછેર કરવો જોઇએ. આ ઉપરાંત પશુપાલક મિત્રો, વધુ દૂધ ઉત્પાદન મેળવવા માટે... વધુ દૂધ આપતા આનુવંશિક ગુણો ધરાવતા ઊંચી ઓલાદના પશુઓ રાખવા... તેટલું જ પૂરતુ નથી, બલ્કે આપણા માદા પશુઓ સમયસર સફળતાપૂર્વક ગર્ભ ધારણ કરે, એ પણ એટલું જ અગત્યનું છે. દર વર્ષે ઓછામાં ઓછું માદા પશુઓમાં એક વિયાજણ રહેવાથી મધ્યમ પ્રકારના તબેલાની દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાય છે. પશુપાલનમાં પ્રજનન નહિ, તો ઉત્પાદન નહિ... એ ન્યાયે ગર્ભ ધારણ એક પાયાની બાબત ગણી શકાય. આપણી ગાય કે ભેંસ પુખ્ત વયની થયા પછી નિયમિત ઋતુ કાળમાં (ઉનાળામાં) આવતી હોય છે. આ સમય દરમિયાન કુદરતી કે કૃત્રિમ બીજ દાન થકી સફળ પ્રજનન દ્વારા અંડાણું અને શુક્રાણુંના ફલનીકરણથી માદા પશુ ગર્ભ ધારણ કરે છે. ગાય વર્ગના પશુ નવ માસ અને ભેંસ વર્ગના પશુ દસ માસના ગર્ભાધાનના સમયને અંતે કોઈ પણ પ્રકારની તકલીફ વગર તનદુરસ્ત બચ્ચાને જન્મ આપે અને આ નવા વેતર દરમિયાન સારૂં દૂધ ઉત્પાદન આપે, ત્યારે ગાય કે ભેંસ આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક નીવડે.

ગર્ભ ધારણ કરવા યોગ્ય ગાયો અને ભેંસોમાં ગર્ભા ધારણ કરવાની શક્તિ ઉચ્ચતમ્ કક્ષાએ જળવાઈ રહે, તે આપણા ડૅરી ઉદ્યોગના અર્થતંત્રનુ મુખ્ય અંગ છે, કારણ કે યોગ્ય પશુ પ્રજનન એ જ પશુપાલનની ચાવી છે. પશુઓની વ્યવસ્થા આ બાબતમા મુખ્ય ભાગ ભજવે છે. યોગ્ય અને સુવ્યવસ્થિત પશુ વ્યવસ્થાપન દ્વારા પશુઓને ઓછો શ્રમ પડે, તેવી પદ્ધતિઓ અપનાવીને પશુની ગર્ભ ધારણ શક્તિ વધારવાના ઉપાયો યોજવા જોઇએ.   

ગાભણ ગાય કે ભેંસનુ મરેલું અથવા જીવતું બચ્ચું સમય પૂરો થાય, એ પહેલા ગર્ભાશયમાંથી બહાર નીકળી આવે, તેને ગર્ભપાત કે તરવાઈ જવુ કહે છે. ક્યારેક-ક્યારેક બનતી ઘટનામાં ગર્ભાધાન પછીના ખૂબ જ ઓછા સમયમાં એટલે કે ૧૫ દિવસથી ૫૦ દિવસ પહેલા જ ગર્ભ બહાર નીકળી જાય છે. ગર્ભનુ કદ ખૂબ જ નાનુ હોવાથી પશુપાલક મિત્રોને આ અંગેનો ખ્યાલ આવતો નથી.

ગર્ભ ધારણની સમસ્યાઓ અને ઉકેલ : પશુ રહેઠાણની આદર્શ વ્યવસ્થા, પશુ પોષણ અને પશુની માવજત પર પૂરતુ ધ્યાન આપવામાં આવે અને પ્રજનન માટે ઋતુ ચક્ર વ્યવસ્થિત હોય, તો માદા પશુઓમાં ગર્ભ ધારણ નિયમિત રીતે થાય જ છે. દુગ્ધ કાળનો સમય શ્રેષ્ઠ રહે છે અને વસુકેલ દિવસો માટે ટૂંકો સમયગાળો રહે અને બે વિયાજણ વચ્ચેનો ગાળો આદર્શ બની રહે છે. તેથી પશુપાલન નફાકારક પૂરક વ્યવસાય તરીકે નિભાવી શકાય. આવી પરિસ્થિત જાળવી રાખવાનો જ્યારે પણ અભાવ વર્તાય, ત્યારે જ ગર્ભ ધારણની સમસ્યાઓ ઉદ્ભવે છે કે જેનો સુનિયોજિત ઉકેલ મેળવી આદર્શ પશુપાલન દ્વારા પશુપાલકોમા શ્વેત ક્રાંતિ લાવવાનો ઉદ્દેશ છે.

આપના પશુઓને રોગમુક્ત રાખવા આટલું જરૂર જાણો અને જાળવી રાખો ઉત્પાદકતા

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More