Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

દુધાળા જાનવરની બીનાખર્ચાળ માવજત

દુધાળા જાનવરો એ પશુપાલકોના કમાઉ દીકરા જેવા છે. આથી આ જાનવરોની માવજત ખુબજ કાળજી અને ચીવટપૂર્વક કરવી જોઈએ. દુધાળા જાનવરોની બીનાખાર્ચાળ માવજતની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે. આથી માવજતથી ઢોરના દૂધનું પ્રમાણ ઘટતું અટકાવી આર્થિક રીતે ફાયદો મળે છે.

KJ Staff
KJ Staff
Inexpensive grooming of milch animals
Inexpensive grooming of milch animals

દુધાળા જાનવરો એ પશુપાલકોના કમાઉ દીકરા જેવા છે. આથી આ જાનવરોની માવજત ખુબજ કાળજી અને ચીવટપૂર્વક કરવી જોઈએ. દુધાળા જાનવરોની બીનાખાર્ચાળ માવજતની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે. આથી માવજતથી ઢોરના દૂધનું પ્રમાણ ઘટતું અટકાવી આર્થિક રીતે ફાયદો મળે છે.

(૧) પશુ આહાર, (૨) પશુ રહેઠાણ, (૩) પશુ પ્રજનન, (૪) દોહન, (૫) વાસુકાવવું, (૬) પાણી, (૭) તંદુરસ્તી અંગેની કાળજી, (૮) દરરોજના કાર્યમાં નિયમિતતા, (૯) વ્યવહારમાં માયાળુ વર્તન.

(૧) પશુ આહાર :

(અ) ઘાસચારો

          દૂધ ઉત્પાદનનો મુખ્ય આધાર દુઝણા જાનવરોનાં ખોરાક પર રહેલો છે. દુઝણા જવારોને ચારાની ગુણવત્તા અનુસાર ૧૦ થી ૧૨ કિલોગ્રામ સુકો ચારો નાના નાના કટકા કરીને આપવો જોઈએ. લીલો ચારો ૧૦ થી ૧૫ કિલોગ્રામ દૂધ ઉત્પાદન મુજબ આપવો જોઈએ. ઉંચીક્ક્ષાનોચારો કે લીલો રજકો, બારસીમ, લીલીઓટ વધુ પ્રમાણમાં ખાય છે. જયારે મધ્યમ અને હલકા પ્રકારનો ચારો, લીલી જુવાર, કઠોળનું ગોતર, ઘઉંનુંપરાળ અનેડાંગરનું પરાળ ઓછા પ્રમાણમાં ખાય છે. તો તેમાં લીલો રજકો, બારસિમ, લીલીઓટ વગેરેના નાના નાના કટકા કરીને મિશ્રણ કરીને આપવું જોઇએ.

દુઝણા જાનવરોને કઠોળ ચારો ભાગ અને ધાન્ય ચારો છ ભાગનાં પ્રમાણમાં મિશ્ર કરીને આપવો જોઈએ. કઠોળ ચારમાં પ્રોટીન અને ચૂનાનાં તત્વો વધુ પ્રમાણમાં હોય છે તેથી દુઝણા જાનવરોને પ્રોટીન યુક્ત મોંઘા દાણ આપવામાં ઘટાડો કરીને ખોરાકી ખર્ચ ઘટાડી શકાય છે.

(બ) દાણ :

પોષક આહારની જરૂરિયાતની દ્રષ્ટીએ દુઝણા જાનવરોને દૂધ ઉત્પાદનનાં પ્રમાણમાં દાણ આપવું જોઈએ. દૂધ ઉત્પાદન માટે જો ઉંચી ગુણવત્તા વાળો ઘાસચારો આપવામાંઆવતો હોય તો આવા દુઝણા પશુઓને શરીર નિભાવ માટે જરૂરી તત્વો ઘસ્ચારામાથી મળી રહે છે. આથી તેમને શરીર નિભાવ માટે કોઈપણ દાણ આપવાની જરૂર રહેતી નથી. પરંતુ ઘાસચારો મધ્યમ અથવા હલકી કક્ષાનો હોય તો શરીર નિભાવ માટે રોજ એક થી દોઢ કિલોગ્રામ દાણ આપવું જોઈએ. આ ઉપરાંત દુઝણા જાનવરોને અપાતા ચારાનો પ્રકાર અને દુધની ચરબીના પ્રમાણને ધ્યાનમાં રાખી કુલ દૈનીક દૂધ ઉત્પાદનના ત્રીજા અથવા અડધા ભાગ પ્રમાણે દાણ આપવું જોઈએ.

(ક) મીઠું અને ક્ષાર મિશ્રણ :

          દુધણા જાનવરોને રોજ ૨૫ થી ૩૦ ગ્રામ મીઠું દાનમાં ભેળવીને આપવું જરૂરી છે.દુઝણા જાનવરોને કઠોળ ચારો આપતા ન હોઈએ તો રોજનું ૨૦ થી ૨૫ ગ્રામ ક્ષાર મિશ્રણ અથવા તેટલોજ પકવેલો હાડકાનો ભુક્કો આપવો જોઈએ.જે એને સમતોલ આહાર માટે જરૂરી છે.

(૨) પશુ રહેઠાણ :

          પશુ રહેઠાણ માટેની કોઢ સ્વચ્છ હવા ઉજાસવાળીરખોપ અને દરરોજ સફાઈ કરો તેમજ ભેજ ન રહે તે ધ્યાન રાખવું જરૂરી છે. છાણ-મૂત્ર નિકાલની વ્યવસ્થા કરો, કોઢ ઢળતી હોત, મૂત્ર નિકાલની ગટર કરી ખાડામાં ભરો, કોઢમાં ઓગઠ, ઘઉંનુંભૂસું વગેરે પાથરો, છાણ-મૂત્ર વાળું થાય તેને કમ્પોસ્ટ ખાડામાં નાંખી વધુ પોષક તત્વોવાળું ગળતીયું ખાતર બનાવો. પરજીવી જેવા કે, ઇતરડી, ગીંગોડા, કે માખીના ઉપદ્રવ સામે વખતો-વખત નિયંત્રણના પગલા ભરવા જોઈએ.

(૩) પશુ પ્રજનન :

          પશુ જાનવરો વિયાયાબાદ એક માસ કે તેથી ઓછા અથવા વધારે સમયમાં ઋતુમાંઆવે છે, પરંતુ વીયાજણ બાદ માસ પછી વેતરે (ઋતુમાં) આવે ત્યારે ગાયને ફેરવવી જોઈએ. દૂધ ઉત્પાદન વ્યવસાય નાફાકારકરીતે ચાલે તે માટે દુધાળા જાનવરો દર ૧૨ મહીને વિયાવા જોઈએ. આમ થવા માટે દુઝણા જાનવરો વીયાણા પછી ૮૦ થી ૮૫ દિવસે સગર્ભા થવા જોઈએ. વિયાણા પછી દુઝણા જાનવરો ૩૦૦ દિવસ આપે અને વાસુકાવાનો સમય ૬૦ દિવસ કરતા વધુ સમય લંબાય નહી તે ખાસ અગત્યનું છે. વાસુકાવાનો સમય ૬૦ દિવસ કરતા જેટલો લંબાય તેટલી દુધની ઉત્પાદન વ્યવસાયની બિન-કાર્યક્ષમતા વધે.દુઝણા જાનવરો સરેરાશ પંદર માસ કરતા વધુ સમયે ફરીવાર વિયાય એ આર્થિક રીતે પોષાય નહી.આથી દુઝણા જાનવરો ત્રણ થી પાંચ માસમાં ઋતુમાં ન આવે તો પશુ ચિકિત્સક પાસેતાપાસાવી જરૂરી ઈલાજ કરાવવો જોઈએ. ગાય-ભેંસ ગરમીમાં આવેલ છે. કે કેમ તે મે બે-ત્રણ વખત ધ્યાનથી જોવા જોઈએ. ગરમીમાં આવેલ જાનવરોને સારા ગુણો ધરાવતાસાંઢથી કુદરતી સેવા આપવી જોઈએ. અથવા પ્રમાણિત સાંઢને બદલે કુત્રિમ વિર્યદાનની વ્યવસ્થા હોય તો તેનો અવાહ્ય લાભ લેવો. સારા ગુણો ધરાવતા સાંઢ કે કુત્રિમ વિર્યદાનથી ફળેલા જાનવરો વધુ ઉત્પાદન આપે છે તેમજ ઓલાદ પણ સુધારે છે. જાનવરોને ફેરવ્યા બાદ ત્રણ માસ સુધી ફરી ગરમીમાં આવેલ ન હોય તો પશુચિકિત્સક પાસે સગર્ભા છે કે કેમ તે નક્કી કરાવવું જોઈએ. સંકર જાનવરો દેશી જાનવરોની જતો કરતા ચડિયાતા સાબિત થયા છે જેથી સંકર જાનવરોનો અભિગમ અપનાવવો જોઈએ.

(૪) દોહન

          દુઝણા જાનવરોને સ્વચ્છજગ્યાએ દોહવા જોઈએ, દુધ દોહન કરનાર વ્યક્તિ નીરોગી અને સ્વચ્છ, નખ વધેલા ન હોવા જોઈએ, હાથ ધોઈ સુકા ટુવાલથી લૂછ્યા બાદ જ દોહવું, તેમજ દોહન માટેના વાસણો ચોખ્ખા હોવા જોઈએ અને વાસણ પહોળા મોઢા વાળું હોવું જોઈએ.દુધાળા જાનવરોનાઆઉ અને આંચળ દોહતા પહેલા હુંફાળાક્લોરીનનાદ્રાવણથી ધોઈ નાંખીને પછી ચોખ્ખા કપડા વડે લુછીને કોરા કરી નાખવા જોઈએ. પાનો મુક્યા પછી દોહાનાની ક્રિયા ઝડપી અને સાથોસાથ જાનવરને આરામપ્રદ હોવી જોઈએ. દોહતી વખતે દોહવાની જગ્યા અને તેના નજીકના આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ શાંત વાતાવરણ હોવું જોઈએ.મોટેથી બુમો પાડવી કે વાતો કરવી, કુતરાનું ભસવું, અજાણ્યાની ઉપસ્થિતિ વગેરે બાબતોથી દુધના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જેથી સાવચેતીના પગલા અગાઉથી લેવા જોઈએ.

(૫) વસુકાવવું :

          ગાય-ભેંસ વિયાય એટલે દુધ ઉત્પાદનનું કાર્ય સતત રાત દિવસ જાનવર વસુકે ત્યાં સુધી એટલે કે, ૧૦ માસ ચાલુ રહે છે. દુધ ઉત્પાદન દરમ્યાન દુધ સાથે શરીરમાંથી એકધારી પોશાક્તાત્વોની ધાર દુધાળા જાનવરનાં શરીર બહાર વહેતી રહે છે. આ કરને શરીરમાં પોષક તત્વોનો સંગ્રહ હોય છે તેનું સારા એવા પ્રમાણમાં ધોવાણ થઇ જાય છે. તેને મઠારીને સરખું કરવાની જરૂર પડે છે. આમ બે હેતુઓ સિધ્ધથાય તો જ આવા વેતર દરમ્યાન દુધ ઉત્પાદન એક ધારું સારી રીતે થઇ શકે છે. આ માટે દુધાળા જાનવરને તેન ઉત્પાદન અનુસાર દોઢ થી અઢી માસ જેટલો આરામ વાસુકેલા દિવસો રૂપે મળે તો તે પુરતું છે. આથી દાણ અને લીલો ચારો કે સાયલેજ આપવાનુંબંધ કરવાથી દુઝણા જાનવરને છે. વસુકતા જાનવરને સુકું ઘાંસ તે પણ હલકી જાતનું આપતા હોઈએ તેના કરતા અડધા ભાગનું આપવું જોઈએ. જીવનના નિભાવ માટે ૧ થી દોઢ કીલોગ્ર્મ દાણ આપવું જોઈએ તે ઉપરાંત ગર્ભની વૃદ્ધિ દુગ્ધકાળ માટેની જરૂરીયાત પૂરી પાડવા દોઢથી બે કિલોગ્રામ દાણ વધારાનું આપવું જોઈએ. વસુક્તા પશુને તેના બચ્ચા ભેગું ન કરવાથી પણ જલ્દીથી વસુકે છે.

(૬) પાણી :

          દુઝણા જાનવરો ભારે શ્રમ કરનાર પશુઓ છે. વળીજે દુધ ઉત્પન્ન કરે છે તેના માટે પણ શરીરમાંથી પાણી બહાર વહી જાય હ્હે. આથીઅન્ય બીજા જાનવરો કરતા દુઝણા જાનવરોને વધુ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. સામાન્ય રીતે દુઝણા પશુઓ સરેરાશ ૩૦ થી ૩૫ લીટર ઉપરાંત વધારાના દર એક લીટર દુધ ત્રણેક લીટર પાણી પીવે તેવો અંદાજ છે.દુઝણા જાનવરોને જેમ વધુવાર પાણી બતાવવામાં આવે તેમ તે દરેક વખતે ઓછું પણ આખા દિવસનું મળી વધુ પાણી પીવે છે. વળી વધુવાર પાણી બતાવવામાં આવે તો દુધ ઉત્પાદન પણ વધે છે.

          શિયાળાની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં દુઝણા જાનવરો વધુ(લગભગ બે ગણું)પાણી પીએ છે. ખાસ કરીને અતિશય ઠંડી પડતી હોય ત્યારે સહેજ ગરમ કરીને પાણી પીવડાવવામાં આવે તો વધુ પાણી પીએ છે. આ પરથી એમ કહી શકાય કે દુઝણા જાનવરો એમની મરજી પડે ત્યારે તેટલીવાર અને દર વખતે મરજી પડે તેટલું ચોખ્ખું પાણી પી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પીવાના પાણી ઉપરાંત ધોવા અને સફાઈ માટે જાનવર દીઠ અંદાજે ૪૫ થી ૭૦ લીટર પાણીની જરૂર પડે છે.

(૭) તંદુરસ્તીઅંગેની કાળજી :

          દુધ ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા તમામ નાના-મોટા જાનવરો ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ. આથીટોળાના તમામ જાનવરોની નિયમિત સમયે ક્ષય, ચેપી ગર્ભપાત, અને જોન્સ જેવા રોગો માટે ચકાસણી કરાવીને જે જનારો રોગ ધરાવતા હોય અથવા શંકાસ્પદ લાગે, તેમને ટોળામાંથી દુર કરવા જોઈએ. ટોળામાં કોઈપણ ચેપી રોગવાળું જનાવર દાખલ ન થાય તે માટે હંમેશા સાવચેત રહેવું. વળી, બળિયા, ગળસુંકો અને ખરવા મોંવાસા જેવા સામાન્ય પ્રચલિત રોગો ન આવે તે માટે તે રોગો સામેની રોગપ્રતિકારક રસી યોગ્ય સમયે અચૂક મુકાવી દેવી. સામાન્ય રીતે મોઈ ઉમરના જાનવરો ગાય-ભેંસને પેટમાં થતા કૃમિ માટે એક શિરસ્તા તરીકે દવા આપવામાં આવતી નથી, પણ જો સંકર જાનવરો કે પરદેશી ઓલાદની ગયો રાખવામાં આવતી હોય તો આવા જાનવરોને ચોમાસાની શરૂઆતમાં અને ચોમાસું પૂરું થયા પછી એમ વર્ષમાં બે વાર અંતર કૃમિનાશક ઔષધ આપવા. ભેંસોનેજુંવા, ઇતરડી વિગેરે ન લાગે તે ખાસ જોવું જરૂરી છે. (પશુઓમાં થતા વારંવાર રોગ માટે નિયત કરેલ રોગ સામેની રસી મુકાવવી જોઈએ.)

(૮) દરરોજના કાર્યમાં નિયમિતતા :

          દુઝણા પશુઓની માવજતમાં વિવિધ કાર્યો જેવા કે, દાણ ખવડાવવું, ઘાસચારો આપવો, ચરવા કે ફરવા લઇ જવા, બે વાર દોહવું, જો જાનવરને દરરોજનું ૧૫ લીટર કરતા વધારે દુધ હોય તો દોહન દિવસ દરમ્યાન ત્રણ વખત કરવું, બધાનો એક નિયમિત ક્રમ બની જાય છે. આ કાર્યો રોજ રોજ કરવાનો ક્રમ અને સમય આપની અનુકુળતા અનુસાર એકવાર નક્કી કરીને જે તે કાર્ય રોજ જે તે સમયે જ કરવા જરૂરી છે. આ કાર્યોની અનીયમીતતાની માઠી અસર તરત જ દુઝણા જાનવરોના ઉત્પાદન પર પડે છે. આથી આ કાર્યોમાં ચુસ્તપણે સમયસર પાલન કરવું જોઈએ.

(૯) વ્યવહારમાં માયાળુ વર્તન :

સામાન્ય રીતે તમામ પાલતું પ્રાણીઓ સાથે માયાળુ વર્તન રાખવુ જરૂરી છે. પરંતુ દુધાળા જાનવરો પ્રત્યે સવિશેષ માયાળુ વર્તન રાખવું અતિ આવશ્યક છે. દુધાળા જાનવરોનેમારવા, હોકારા પડકારવા કરવા ઈ બધાની અસર દોહન સમયે થાય છે અને ઉત્પાદન પર માઠી અસર પડે છે.

          આમ ઉપર જણાવ્યા મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લઇ આપને કોઇપણ જાતનો વધારાનો ખર્ચ કર્યા સિવાય જાનવરનું વધુ દુધ ઉત્પાદન મેળવી શકીએ છીએ.

Related Topics

animals grooming milch

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More