Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કુનો નેશનલ પાર્કમાં લોકો ચિત્તાને ક્યારે જોઈ શકશે? પીએમ મોદીએ જણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'નો 93મો એપિસોડ ખાસ હતો. તેમણે રવિવારે કહ્યું કે જો તમે ચિત્તા સંબંધિત સ્પર્ધા જીતી જાઓ છો, તો કદાચ તમને પહેલા તેમને જોવાનો મોકો મળશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
PM Modi  & leopards
PM Modi & leopards

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત'નો 93મો એપિસોડ ખાસ હતો. તેમણે રવિવારે કહ્યું કે જો તમે ચિત્તા સંબંધિત સ્પર્ધા જીતી જાઓ છો, તો કદાચ તમને પહેલા તેમને જોવાનો મોકો મળશે.

ક્યારે જોઈ શકશો ચિત્તાઓને?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સની રચના ભલામણોના આધારે કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ નક્કી કરશે કે સામાન્ય લોકો આ ચિતાઓને ક્યારે જોઈ શકશે. પોતાના 'મન કી બાત'ના 93મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- 'મિત્રો, એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ ચિત્તાઓ પર નજર રાખી રહી છે અને એ પણ જોઈ રહી છે કે આ ચિત્તાઓ અહીંના પર્યાવરણને કેવી રીતે અનુકૂળ થઈ રહ્યા છે. થોડા મહિના પછી આના આધારે નિર્ણય લેવામાં આવશે અને તમે બધા આ ચિતાઓને જોઈ શકશો.

ચિત્તાનુ નામ સુચવવા લોકોને કરી અપીલ

 તેમણે કહ્યું કે દેશના ખૂણે ખૂણે વસતા લોકોએ ચિત્તા પરત આવવા પર ખુશી વ્યક્ત કરી છે. 130 કરોડ ભારતીયો ખુશ છે, તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ છે. તેમણે 'મન કી બાત'માં કહ્યું હતું કે ચિત્તાને લઈને લોકોનો સામાન્ય પ્રશ્ન એ હતો કે તેમને નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાને જોવાનો મોકો ક્યારે મળશે. આ દરમિયાન મોદીએ ચિત્તાઓના નામ અને ચિત્તા અભિયાનનું નામ સૂચવવા માટે જનતાને આમંત્રણ આપ્યું હતું.

MyGov પ્લેટફોર્મ પર  સ્પર્ધાનું આયોજન

તેમણે આગળ કહ્યું- ત્યાં સુધી હું તમને એક કાર્ય સોંપું છું. આ માટે MyGov પ્લેટફોર્મ પર એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આના પર હું લોકોને કેટલીક બાબતો પૂછીશ. અમે ચિત્તાઓ માટે જે અભિયાન ચલાવીએ છીએ તેનું નામ શું હોવુ જોઈએ? શું આપણે બધા ચિત્તાને નામ આપવાનું  વિચારી શકીએ? તેઓને કયા નામોથી બોલાવવા જોઈએ? નામકરણ થવુ સારું છે, કારણ કે આપણે આપણા સમાજ, સંસ્કૃતિ, પરંપરા અને વારસા પ્રત્યે સરળતાથી આકર્ષિત થઈએ છીએ.

મોદીએ કહ્યું- તમારે માત્ર નામ કહેવા સુધી સીમિત ન રહેવું જોઈએ. એ પણ જણાવો કે આપણે પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. આપણી મૂળભૂત ફરજોમાં પણ એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે આપણે પ્રાણીઓનું સન્માન કરવું જોઈએ. હું આપ સૌને આ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરું છું. શુ ખબર, આ સ્પર્ધા જીતવાના બદલામાં, તમને ચિત્તા જોવાની પ્રથમ તક મળે છે.

આ પણ વાંચો:શોધતી આંખો, થોડું આશ્ચર્ય, થોડા અસ્વસ્થ… પિંજરામાંથી બહાર નીકળ્યા પછી ચિત્તાનાં એ પ્રથમ પગલાં

Share your comments

Subscribe Magazine

More on News

More