Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ફસલ બીમા યોજના માટે અરજી કરવાની તારીખ સરકાર લંબાવી

હરિયાણાના ખેડુતો માટે સારા સમાચાર છે.વાસ્તવમાં હરિયાણા સરકારે હવે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખરીફ પાકનો વીમો લેવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2021 સુધી લંબાવી દીધી છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમને પાક વીમો મળે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર તેનું મોટા ભાગનું પ્રીમિયમ આપે છે. જેના કારણે ખેડુતોને ખૂબ ઓછા પૈસા ચૂકવવા પડે છે.મોટા ભાગના પાક પર આવતા કુલ પ્રીમિયમના માત્ર 1.5થી 2 ટકા સુધી ખેડૂતને ચૂકવવા પડે છે.

Sagar Jani
Sagar Jani

હરિયાણાના ખેડુતો માટે સારા સમાચાર છે.વાસ્તવમાં હરિયાણા સરકારે હવે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખરીફ પાકનો વીમો લેવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2021 સુધી લંબાવી દીધી છે.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમને પાક વીમો મળે, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર તેનું મોટા ભાગનું પ્રીમિયમ આપે છે. જેના કારણે ખેડુતોને ખૂબ ઓછા પૈસા ચૂકવવા પડે છે.મોટા ભાગના પાક પર આવતા કુલ પ્રીમિયમના માત્ર 1.5થી 2 ટકા સુધી ખેડૂતને ચૂકવવા પડે છે.

PMFBYથી ખેડૂત કેવી રીતે બહાર આવી શકે છે?

પ્રધાનમંત્રીની પાક વીમા યોજના અંગે સરકારના એક  પ્રવક્તાએ કહ્યું હતું કે, આ યોજના તમામ ખેડુતો માટે સ્વૈચ્છિક છે, તેથી જો કોઈ લોન લેનારા ખેડૂત આ યોજનામાં જોડાવા માંગતા ન હોય, તો તેઓ તેમની બેંકોમાં લેખિત અરજી લખીને આ યોજનામાંથી બહાર નીકળી શકે છે.

જો લોન લેનાર ખેડૂત આ યોજનામાંથી બહાર નીકળવાની મર્યાદા નિર્ધારિત કરે તે પહેલાં સંબંધિત બેંકમાં અરજી નહીં કરે, તો બેંક પાકના વીમાઅધિકૃત કરી લેશે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ખેડૂતે લોન નથી લીધી એવા ખેડૂત કસ્ટમર કેર સેન્ટર અથવા વીમા કંપનીના પ્રતિનિધિ દ્વારા પોતાના પાકનો વીમો કરાવી શકે છે. જો ખેડૂત પહેલેથી પ્લાન કરેલા પાકમાં ફેરફાર કરે છે, તો તેણે છેલ્લી તારીખ પહેલા પાક બદલાવ માટે બેંકને સંપૂર્ણ માહિતી આપવી પડશે.

પ્રીમિયમની રકમ રાજ્ય અને  દરેક જિલ્લામાં અલગ અલગ હોય છે. આ સિવાય દરેક પાક માટે વીમા રકમ પણ અલગ અલગ હોય છે. આ રકમનો નિર્ણય જિલ્લા ટેકનિક સમિતિના અહેવાલ પર લેવામાં આવે છે. જે રવી, ખરીફ અને ઝાયદ સીઝન પહેલા મોકલવામાં આવે છે. આ અહેવાલના આધારે વીમા કંપનીઓ દ્વારા પ્રીમિયમ રકમ નક્કી કરવામાં આવે છે.

પીએમએફબીવાય હેઠળ પાક માટેનું પ્રીમિયમ કેવી રીતે પાછું ખેંચવું? 

  • સૌ પ્રથમ https://pmfby.gov.in/ પર જાઓ.
  • અહીં તમે વીમા પ્રીમિયમ કેલ્ક્યુલેટરની કોલમ દેખાશે.
  • તેને ખોલવાથી તમને છ કોલમ દેખાશે.
  • આમાં સીઝન, વર્ષ, યોજના, રાજ્ય, જિલ્લા અને પાકની કોલમ ભરાશે.
  • ત્યારબાદ ગણતરીનું બટન દબાવો. એટકે  પ્રીમિયમ સામે દેખાશે.
  • દરેક જિલ્લામાં પ્રીમિયમ અલગ અલગ હોઈ શકે છે. તે ત્યાંના જોખમ પર આધારીત છે.

ખેડૂતો ખરીફ સીઝન માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જોડાવા માંગતા હોય, તો નોંધણી 31 જુલાઈ સુધી થઈ શકશે. ત્યારબાદ વીમો મળશે નહી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને મળતા વીમાના મોટા ભાગના પ્રીમિયમની રકમ ચૂકવે છે અને ખેડૂતોને ખૂબ ઓછા પૈસા ચૂકવવા પડે છે.

ખેડૂતએ પાક પરના કુલ પ્રીમિયમના માત્ર 1.5 થી 2 ટકા ચુકવવા પડશે. જ્યારે કેટલાક વ્યાપારી પાક માટે તે 5 ટકા સુધીનો દર છે. ખેડૂતો ઘરે બેઠાં જ આ વિશેની માહિતી મેળવી શકે છો, જે પાક માટે પાક વીમો લેવાનો છે તેના માટે કેટલું પ્રીમિયમ આવશે. આ બધી જ માહિતી ભારત સરકારના પોર્ટલ પરથી જાણી શકાય છે.

આવી રીતે થાય છે પ્રીમિયમ નક્કી

દરેક રાજ્ય અને જિલ્લામાં પ્રીમિયમની રકમ અલગ અલગ હોય છે. દરેક પાક માટે પણ વીમા રકમ અલગ છે. આ રકમનો જિલ્લા તકનીકી સમિતિના અહેવાલ પર લેવામાં આવે છે. આ સમિતિમાં કલેકટર, હવામાન વિભાગના અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેડુતોના પ્રતિનિધિ અને વીમા કંપનીના અધિકારીઓ શામેલ છે. આ રિપોર્ટ દરેક પાકની સીઝન પહેલા મોકલવામાં આવે છે. આ અહેવાલના આધારે વીમા કંપનીઓ પ્રીમિયમ રકમ નક્કી કરતી હોવાનું જાણવા મળે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More