Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્રીય કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેતીના વિકાસ માટે આટલા કરોડનું રોકાણ કરશે સરકાર

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કેટલીક યોજનાઓની જાહેરાત કરી હતી, જેને કેબિનેટની મંજૂરી બાદ સરકાર આગામી થોડા દિવસોમાં રજૂ કરશે. આ યોજનાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 18,000 કરોડના રોકાણ સાથે 100 બાગાયત ક્લસ્ટર વિકસાવવા અને રૂ. 6,800 કરોડના ખર્ચ સાથે બહુપ્રતીક્ષિત રાષ્ટ્રીય તેલીબિયાં મિશનનો વિકાસનું સમાવેશ થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે કેટલીક યોજનાઓની જાહેરાત કરી હતી, જેને કેબિનેટની મંજૂરી બાદ સરકાર આગામી થોડા દિવસોમાં રજૂ કરશે. આ યોજનાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 18,000 કરોડના રોકાણ સાથે 100 બાગાયત ક્લસ્ટર વિકસાવવા અને રૂ. 6,800 કરોડના ખર્ચ સાથે બહુપ્રતીક્ષિત રાષ્ટ્રીય તેલીબિયાં મિશનનો વિકાસનું સમાવેશ થાય છે. તેને લઈને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કહ્યું કે અમે આગામી પાંચ વર્ષમાં 18 હજાર કરોડનાલ રોકાણ સાથે 100 નિકાસલક્ષી બાગાયત કલસ્ટર બનાવીશું. અમે પાક પછીની રચના માટે 1.40 લાખ કરોડનું રોકાણ પણ કરીશું. ઈન્ફાસ્ટ્રક્ચરને વધારવા માટે સરકાર 6800 કરોડ રૂપિયાનું નોંધપાત્ર રોકાણ સાથે 1500 મંડીઓ (ઈ-નામ સાથે) એકીકૃત કરીશું જેથી અમે આત્મનિર્ભર બની શકીએ. કેન્દ્રીય કૃષિ મંત્રી વધુમાં જણાવ્યું કે સરકાર 50 હજાર ગામડાઓને આબોહવા-મૈત્રીપૂર્ણ એકમો તરીકે વિકસાવશે. તેમણે એમ પણ કહ્યુ કે ખેડૂતોને ગુણવત્તાયુક્ત એગ્રો-કેમિકલ્સ આપવા માટે જંતુનાશક કાયદામાં કેટલાક મહત્વપૂર્ણ સુઘારા કરવામાં આવશે.

સરકારની છ પ્રાથમિકતાઓ

તમણે જણાવી દઈએ કે 2 ઓગસ્ટના રોજ કૃષિ મંત્રીએ જાહેરાત કરી હતી કે સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે છ પ્રાથમિકતાઓ નિર્ધારિત કરી છે - ઉત્પાદન વધારવું, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવો, ખેડૂતોને વાજબી ભાવ આપવો, ખેડૂતોને પાકના નુકસાન પર નાણાકીય રાહત આપવી, પાક વૈવિધ્યકરણ અને કુદરતી ખેતી.તેમણે છેલ્લા 10 વર્ષોમાં મોદી સરકારની "સિદ્ધિઓ" પર પ્રકાશ પાડ્યો અને ગૃહને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક માટે લાભદાયી ભાવ આપવાનું ચાલુ રાખશે તેમજ યુરિયા અને ડીએપી ખાતર ખેડૂતોને ખૂબ જ સબસિડીવાળા દરે ઉપલબ્ધ કરાવશે.

સોમવારે રાજ્યસભામાં તેમનું ભાષણ ચાલુ રાખતા, ચૌહાણે 2016 મંદસૌર (મધ્યપ્રદેશ) ગોળીબારની ઘટના પર વિપક્ષના હુમલાનો જવાબ આપ્યો જેમાં છ ખેડૂતો માર્યા ગયા હતા. તેમણે ખેડૂતો પર કોંગ્રેસની વિવિધ સરકારો દ્વારા કરવામાં આવેલા અત્યાચારની ભૂતકાળની ઘટનાઓની ગણતરી કરી હતી. તેણે કહ્યું, "મેં તમને (વિપક્ષને) કહ્યું હતું કે મને ઉશ્કેરશો નહીં. જો તમે અમને ઉશ્કેરશો તો હું છોડીશ નહીં."

વિપક્ષ પર કટાક્ષ

શિવરાજ સિંહ ચૌહાણ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ તરફ ઈશારો કરતા કહ્યું કે દિગ્વિજય સિંહના કાર્યકાળમાં 24 ખેડૂતો ગોળીબારમાં માર્યા ગયા હતા. આ ઘટના બેતુલ જિલ્લાના મુલતાઈમાં બની હતી. આ સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં કહ્યું કે જ્યારે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ ગોળીબાર કરતા હતા અને ઘણા ખેડૂતો માર્યા ગયા હતા. 1986માં જ્યારે બિહારમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ફાયરિંગમાં 23 ખેડૂતોના મોત થયા હતા. 1988માં ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર દિલ્હીમાં બે ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. 1988 માં, તેમણે મેરઠમાં ખેડૂતો પર ગોળીબાર કર્યો અને 5 ખેડૂતો માર્યા ગયા.... તેમણે કહ્યું કે તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાં સુધી ખેડૂતોની અવગણના કરવાનું ચાલુ રાખ્યું.

કોંગ્રેસની પ્રાથમિકતા ખેડૂતો ક્યારે નહોતા

મેં દેશના તમામ વડાપ્રધાનોના ભાષણો વાંચ્યા છે, પરંતુ કોંગ્રેસના વડાપ્રધાનોની પ્રાથમિકતા ખેડૂતો ક્યારેય નહોતા. હૃદયમાં જે હોય છે તે જીભ પર આવે છે. કોંગ્રેસનું દિલ ખેડૂતો નથી. ચૌહાણે કહ્યું, "જવાહરલાલ નેહરુએ તેમના કોઈપણ ભાષણમાં 'ખેડૂત' શબ્દનો ઉપયોગ કર્યો ન હતો, ઈન્દિરા ગાંધીએ પણ કેટલાક પ્રસંગોએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે બધું આકસ્મિક રીતે કહેવામાં આવ્યું હતું, જેમાં નીતિ વિષયક મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ નથી." તેમણે વધુમાં કહ્યું, "રાજીવ ગાંધી માટે પણ આ (ખેડૂતો) પ્રાથમિકતા ન હતી. કોંગ્રેસ માટે ખેડૂતો ક્યારેય પ્રાથમિકતા નહોતા."

Share your comments

Subscribe Magazine

More on News

More