Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Rice Price: બફર સ્ટ્રોક માટે આટલો ડાંગર ખરીદશે સરકાર, એમસપી પણ કરવામાં આવી નક્કી

ખરીફ પાકની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે કેન્દ્ર સરકારે આગામી ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 દરમિયાન ડાંગરની ખરીદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે કેન્દ્રીય પૂલ એટલે કે બફર સ્ટોક માટે 485 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદી કરવામાં આવશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડાંગરના પાક માટે કેન્દ્ર સરકાર એમએસપી કરી નક્કી
ડાંગરના પાક માટે કેન્દ્ર સરકાર એમએસપી કરી નક્કી

ખરીફ પાકની વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હવે કેન્દ્ર સરકારે આગામી ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25 દરમિયાન ડાંગરની ખરીદીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે કેન્દ્રીય પૂલ એટલે કે બફર સ્ટોક માટે 485 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદી કરવામાં આવશે. જ્યારે વર્તમાન સિઝન 2023-24 દરમિયાન 463 લાખ મેટ્રિક ટન ખરીદવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. એટલે કે આ વખતે સરકારે ચોખાની ખરીદીનો ટાર્ગેટ વધાર્યો છે. કેન્દ્રએ આ વર્ષે બરછટ અનાજની રેકોર્ડ ખરીદીનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે. કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરે છે.  આથી ખેડૂતોને વધુ ફાયદો થશે અને ઓપન માર્કેટમાં થકી તેમને સારા ભાવ મળશે.

ધ્યેય કેવી રીતે નક્કી કરવામાં આવ્યું?

પ્રાપ્તિ વ્યવસ્થા અને લક્ષ્યાંકો નક્કી કરવા માટે યોજાયેલી બેઠક દરમિયાન, હવામાનની આગાહી, ઉત્પાદન અંદાજો અને પ્રાપ્તિ કામગીરી માટે રાજ્યોની તૈયારી જેવા પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખોરાકની પેટર્નમાં પોષણ વધારવા માટે પાક વૈવિધ્યકરણ અને બરછટ અનાજની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), ભારતીય હવામાન વિભાગ અને કૃષિ મંત્રાલયના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

એમએસપીનું ભાવ શું રહેશે?

કેન્દ્ર સરકારે MSP પર ખરીફ સિઝનના 14 પાક ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ ચાલો પહેલા ડાંગર અને બરછટ અનાજ વિશે વાત કરીએ. આ વર્ષે કોમન વેરાયટીના ડાંગરને રૂ. 2300ના એમએસપી પર ખરીદવામાં આવશે જ્યારે ગ્રેડ-એના ડાંગરને રૂ. 2320 પ્રતિ ક્વિન્ટલના એમએસપી પર ખરીદવામાં આવશે. જુવાર 3371, બાજરી 2625, રાગી 4290 અને મકાઈ 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે આ વર્ષે ડાંગરનું વાવેતર 394.28 લાખ હેકક્ટરમાં કરવામાં આવ્યો છે.

છેલ્લા વર્ષના સરખામણીએ 8 લાખ ટન વધુ ઉત્પાદન

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 ઓગસ્ટ સુધી 185.51 લાખ હેક્ટરમાં બરછટ અનાજનું વાવેતર થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 8.02 લાખ હેક્ટર વધુ છે. બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષમાં ફેલાયેલી જાગૃતિને કારણે બાજરીની માંગમાં વધારો થયો છે. જેના કારણે ખેડૂતો તેની ખેતીમાં વધારો કરી રહ્યા છે અને હવે સરકારે રેકોર્ડ ખરીદીનું આયોજન પણ કર્યું છે.

Share your comments

Subscribe Magazine

More on News

More