Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

PM Kisan Yojana: સમયમર્યાદા પૂરી થવા જઈ રહી છે, પ્રધાનમંત્રી સન્માન નિધિનો 12મો હપ્તો મેળવવા ખેડૂતોએ તાત્કાલિક કરવું જોઈએ આ કામ

PM Kisan Yojana: ખેડુતોની આવક વધારવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો અવાર નવાર ખેડુતલક્ષી યોજનાઓ બહાર પાડતી રહે છે. આ જ ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ શરૂ કરવામાં આવી હતી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
PM Kisan Yojana
PM Kisan Yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના  હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં રૂ.2-2 હજાર રૂપિયા ખેડુતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 11 હપ્તા મોકલવામાં આવ્યા છે. ખેડૂતો હવે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અપડેટ મુજબ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં અથવા સપ્ટેમ્બરના પ્રારંભમાં ખેડૂતોના ખાતામાં રકમ મોકલી શકાય છે.

ઇ-કેવાયસી (e-kyc) ફરજિયાત

જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી (e-kyc) કરાવી લો. જો તમે આમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખશો તો તમે 12મા હપ્તાની રકમથી વંચિત રહી શકો છો. ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ ખૂબ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં, સરકારે ખેડૂતોને આ પ્રક્રિયા 31 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી છે.

આ પણ વાંચો:Online Shopping of Crops : પાકની ઓનલાઈન હરાજી શરૂ, ખેડૂતો અને વેપારીઓને થશે વધુ ફાયદો

કેવી રીતે કરાવવું ઇ-કેવાયસી?

- સૌથી પહેલા PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.

- અહીં તમે ફાર્મર્સ કોર્નર જોશો, જ્યાં e-KYC ટેબ પર છે.

- હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે આધાર નંબર નાખવો પડશે અને સર્ચ ટેબ પર ક્લિક કરવું પડશે.

- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

- OTP સબમિટ કરવા પર.

- આધાર રજિસ્ટર્ડ મોબાઇલ ઓટીપી દાખલ કરો અને તમારું ઇ-કેવાયસી થઈ જશે.

ગેરકાયદેસર લાભાર્થીઓએ પરત કરે યોજનાની રકમ

તાજેતરના મહિનાઓમાં પીએમ કિસાન યોજનાને લગતી ઘણી ગેરરીતિઓના મામલા સામે આવ્યા છે. આ યોજનાનો લાભ ગેરકાયદેસર લાભાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હોવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. હવે સરકાર દ્વારા આવા ખેડૂતોને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં તેમને હપ્તાના પૈસા પરત કરવા કહેવામાં આવી રહ્યું છે. જો ગેરકાયદેસર લાભાર્થીઓ હપ્તાની આ રકમ પરત નહી કરે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના પણ સરકાર તરફથી આપવમાં આવી છે.

આ પણ વાંચો:e-NAM POP: આ પ્લેટફોર્મથી અન્ય રાજ્યોમાં થશે પાકનું વેચાણ, 3 લાખ ખેડૂતોને થશે ફાયદો

Share your comments

Subscribe Magazine

More on News

More