Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે પાકિસ્તાન ભારતમાંથી ટામેટા અને ડુંગળીની આયાત કરી શકે છે

બજારના ડીલરોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ભીષણ પૂરની સ્થિતિને લીધે લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય વિસ્તારોમાં ફળો અને શાકભાજીની કિંમતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
tomato and onion
tomato and onion

બજારના ડીલરોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ભીષણ પૂરની સ્થિતિને લીધે લાહોર અને પંજાબ પ્રાંતના અન્ય વિસ્તારોમાં ફળો અને શાકભાજીની કિંમતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે પાકિસ્તાન સરકાર ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરી શકે છે.

"લાહોરના બજારોમાં ડુંગળી અને ટામેટાંની કિંમત અનુક્રમે રૂપિયા 500 અને રૂપિયા 400 પ્રતિ કિલોગ્રામ છે. જો કે, બંને વસ્તુઓની કિંમત નિયમિત બજારો કરતાં રવિવારના બજારોમાં રૂપિયા 100 પ્રતિ કિલો સસ્તી હતી" તેમ લાહોર માર્કેટના જથ્થાબંધ જવાદ રિઝવી વેપારીએ જણાવ્યું હતું.

બટાકાના ભાગ કિલો દીઠ રૂપિયા 120 થઈ ગયા

બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીનો પુરવઠો પૂરને કારણે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, આમ આવનારા દિવસોમાં ચીજવસ્તુઓના ભાવમાં વધુ વધારો થશે. "ડુંગળી અને ટામેટાં પ્રતિ કિલોગ્રામના ભાવ આગામી દિવસોમાં રૂપિયા 700ને વટાવી શકે છે. બટાકાની કિંમત પણ રૂપિયા 40 પ્રતિ કિલોથી વધીને રૂપિયા 120 કિલો થઈ ગઈ છે.

બલૂચિસ્તાન અને સિંધમાં આવેલા પૂરના પરિણામે બજારોમાં શાકભાજીનો પુરવઠો ઓછો છે, જેના કારણે હજારો એકર જમીન પરનો પાક નાશ પામ્યો હતો.

અફઘાનિસ્તાન સરહદેથી આયાત કરવામાં આવે છે

પાકિસ્તાન સરકાર વાઘા બોર્ડર પાર ભારતમાંથી ટામેટા અને ડુંગળીની આયાત કરવાની શક્યતાઓ તપાસી રહી છે.અત્યારે લાહોર અને પંજાબના અન્ય શહેરો તોરખામ સરહદ પાર અફઘાનિસ્તાનથી ટામેટા અને ડુંગળીનો પુરવઠો મેળવે છે. લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહેઝાદ ચીમાના જણાવ્યા પ્રમાણે "તોરખામ બોર્ડર પર દરરોજ 100 કન્ટેનર ટામેટાં અને 30 કન્ટેનર જેટલી ડુંગળી મળી રહ્યા છે, જેમાંથી બે કન્ટેનર ટામેટાં અને એક ડુંગળી દરરોજ લાહોર શહેરમાં લાવવામાં આવી રહી છે. જો કે, પંજાબની પ્રાંતીય રાજધાનીમાં માંગને પહોંચી વળવા માટે કન્ટેનરની સંખ્યા અપૂરતી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર આખરે ભારતમાંથી ટામેટાં અને ડુંગળીની આયાત કરશે. ઈરાન સરકારે આયાત અને નિકાસ ફી વધારી દીધી હોવાથી બલુચિસ્તાનમાં તફતાન બોર્ડર ક્રોસિંગ દ્વારા ઈરાનથી શાકભાજીની આયાત કરવી અવ્યવહારુ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More