Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા: વડોદરાના નાયબ બાગાયત નિયામક અધિકારી કિસાન ભારત યાત્રાના મહેમાન બન્યા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
બાગમણ ગામ
બાગમણ ગામ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રાએ ગુરુવારે 24 મેના રોજ વડોદરાના કરજણ તાલુકા ખાતે આવેલ બામણ ગામે પહોંચી હતી. જ્યાં પ્રગતિશીલ ખેડૂત અને ગામના સરપંચશ્રી વિજયસિંહના નેતૃત્વમાં એગ્રીક્લચર હોટિક્લચર (બાગયાત પાકના) વિભાગના અધિકારી સંકલ્પભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

બામણ ગામ
બામણ ગામ

આ દરમિયાન એગ્રીક્લચર હોટિક્લચર (બાગયાત પાકના) વિભાગના અધિકારી સંકલ્પભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બામણ ગામના ખેડૂતોને સંબોધિત કર્યા હતા. પોતાના નિવેદન આપતા બન્ને અધિકારિઓ ખેડૂતોને જણાવ્યું હતું કે જ્યારે તમે કોઈ પણ બાગયાત પાકનું વાવેતર કરો છો, ત્યારે તમારે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી ખેડૂતોને નાના રોકાણમાં પાકના અઢળક ઉત્પાદન મળી શકાય અને તેઓ વધુ આવક મેળવીને પ્રગતિશીલ ખેડૂતોની યાદીમાં પોતાનું નામ લખાવી શકાય.વધુમાં આ મીટિંગ દરમિયાન ખેડૂતોએ અધિકારિઓને પોતાની સમસ્યાઓને લઈને પ્રશ્નો કર્યા હતા અને તેનું ઉકેળ પોતાના સાથે લઈને ઘરે પરત ફર્યા હતા.

જો કે તમે આ વીડિયોના લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/sgcZzo5dN_/ આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.

ઊંટિયા ગામના ખે઼ડૂતો
ઊંટિયા ગામના ખે઼ડૂતો

રાજ્ય સરકારની યોજનાઓનું નથી મળી રહ્યો લાભ

કરજણના બામણ ગામમાં બાગયત પાકની ખેતી કરતા ખેડૂતોની સમસ્યાઓનું ઉકેળ તેમણે જણાવ્યા પછી ખેડૂત ભારત યાત્રા પોતાના સફર પર આગળ વઘી હતી અને ત્યાંથી સીધા પહોંચી ગઈ હતી વડોદરાના મેઘાઘ તાલુકાના ઊંટિયા ગામે. જ્યાં પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ પટેલ અને અશોકભાઈ પટેલના નેતૃત્વમાં ગામ લોકો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાં આમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડે પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ પટેલ સાથે ગામની સમસ્યાઓને લઈને વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન અશોકભાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આમારા ગામને ઘણી સમસ્યાઓનું સામનો કરવું પડી રહ્યો છે. સરકારની કોઈ પણ યોજના ત્યાના ખેડૂતો સુધી પહોંચી રહી નથી. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 10 હજાર એફપીઓ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે અને તેની સંખ્યાને આગળ પણ વધારવામાં આવશે. પરંતુ આમારા ત્યા એક પણ એફપીઓ અત્યાર સુધી સ્થાપિત કરવામાં આવ્યું નથી.

જૈવિક ખેતી પ્રત્યે વધી રહ્યું છે ખેડૂતોનું રસ
જૈવિક ખેતી પ્રત્યે વધી રહ્યું છે ખેડૂતોનું રસ

જૈવિક ખેતી પ્રત્યે ખેડૂતોનું રસ ઝડપતી વધી રહ્યો છે

જૈવિક અને રાસાયણિક કયા ખેતી સારી છે આ પ્રશ્નનું ઉત્તર આપતા અશોકભાઈએ જણાવ્યું કે અમે જૈવિક અને રાસાયણિક બન્ને ખેતી કરીએ છીએ. જો પાકને રાસાયણિક ખાતરની જરૂર હોય છે તો અમે તેને રાસાયણિક ખાતર આપીએ છીએ. પરંતુ અત્યારે હાલના દિવસોમાં ગામના ખેડૂતોનું જૈવિક ખેતી પ્રત્યે રસ વધ્યો છે અને રાસાયણિક ખેતી પ્રત્યે રસ ઘટ્યો છે, જેથી કરીને આમારા ગામમાં હવે રાસાયણિક ખેતીમાં ઝડપતી ઘટાડો નોંધાયો છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More