Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા: પ્રાકૃતિક ખેતી છે બેસ્ટ, ખેડૂતોએ રાસાયણિક ખેતીને ઉચકીને બહાર ફેંકી દીધું

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
સુરતના સુકઈ ગામે પહોંચી યાત્રા
સુરતના સુકઈ ગામે પહોંચી યાત્રા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે.  મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે હવે 15 જૂન 2024 સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

રાસાયણિક ખેતી ઉચકીને અમે બહાર ફેંકી દીધું

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે. એજ સંદર્ભમાં શુક્રવારે 31 મેના રોજ ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી હતી સુરત જિલ્લાની માંડવી તાલુકા ખાતે આવેલ ગામ સરકુઇમાં. જ્યાં પ્રગતિશીલ ખેડૂત અને ગામનું નાયબ સરપંચ કનુભાઈ ચૌધરીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ભેગા થયા ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કનુભાઈ સાથે આમારી ટીમે સુરકુઇ ગામની સમસ્યાઓને લઈને વાતચીત પણ કરી હતી.

કનુભાઈએ આમારા રિપોર્ટ હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડને જણાવ્યું હતું કે હાલ ઉનાળાના કારણે ગામની પરિસ્થિતિ ખૂબ જ અઘરી છે. તેમણે જણાવ્યું કે આમારા ગામમાં મોટા ભાગે તળની ખેતી થાય છે જો કે પ્રાકૃતિક તરીકેથી કરવામાં આવે છે. રાસાયણિક ખેતીને લઈને પૂછવામાં આવ્યું પ્રશ્નના ઉત્તર હાલતા તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતી કેન્સરના કારણ છે. તેમણે વધુ જણાવ્યું કે આજના આમારા વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ખેડૂતોને પ્રકૃતિક ખેતી પર ભાર મુકવા માટે કીધું હતું. તેથી કરીને આમારા ગામના દરેક ખેડૂત વડા પ્રધાન અને ગુજરાતના પનૌતા પુત્રની વાતને આવરી લઈને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને રાસાયણિક ખેતીને અમે ઉચકીને બહાર ફેંકી દીધું છે.

સુરકઇ ગામના નાયબ સરપંચ સાથે વાતચીત
સુરકઇ ગામના નાયબ સરપંચ સાથે વાતચીત

ખેડૂતોનું કરવામાં આવ્યું બહુમાન

પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોની આટલી લાગણીને જોતા અને તેથી પ્રગતિશીલ ખેડૂતો બનીને દેખાવનાર સુરકઇના ખેડૂતોનું કૃષિ જાગરણને સર્ટિફિકેટ આપીને બહુમાન કર્યો હતો. આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 29 મે સુધી નથી પણ 15 જૂન 2024 સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. તેના સાથે જ ખેડૂતોને ખેતીમાં વપરાતા નવા-નવા ઉપકરણોનું પ્રશિક્ષણ પણ આપશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More