Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI,VVIF ખેડૂત ભારત યાત્રા: કરજણ તાલુકાના ખેડૂતોએ સરકાર પ્રત્યે વ્યક્ત કરી પોતાની લાગણી

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેરડા ગામના ખેડૂતો
ખેરડા ગામના ખેડૂતો

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

ખેડૂતોની સુવિધા માટે સરકાર કરી રહી છે સારી કામગીરી

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે. એજ સંદર્ભમાં બુધવારે 23 મેના રોજ ખેડૂત ભારત યાત્રાએ વડોદરાના કરજણ તાલુકા ખાતે આવેલ ખેરડા ગામે પહોંચી હતી. જ્યાં ગામના સરપંચ ઝાકિરભાઈ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન આમારી ટીમને ખેરડા ગામના સરપંચ ઝાકીરભાઈ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ માં જાણવા મળ્યું કે ખેરડા ગામમાં ખેતી અને પ્રાથમિક શાળા અને ગામ માટે બીજી સુવિધાને લઈને હાલની સરકાર દ્વારા ખુબજ સારી કામગીરી કરવામાં આવી રહી છે. છે,જેનો લાભ ગામના અન્ય ખેડૂતોને પણ રહ્યો છે. વધુ માહિતી માટે તમે આ લિંક ઉપર ક્લિક કરીને વીડિયો જોઈ શકો છો. https://fb.watch/sg6VLKBPIj/ વધુમાં અમે તમને જણાવી દઈએ કે આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.

ઈંટોલા ગામના ખેડૂતો
ઈંટોલા ગામના ખેડૂતો

ઈંટોલા ગામના પ્રગતિશીલ ખેડૂતોનું થયું બહુમાન

કરજણના ખેરડા ગામે ખેડૂતો સાથે વાતચીત કર્યા પછી અને ખેડૂતોને આ યાત્રાનું ઉદ્દેશ્ય જણાવ્યા પછી. ખેડૂત ભારત યાત્રાએ પોતાના સફર પર આગળ વઘી હતી અને પહોંચી ગઈ હતી કરજણ તાલુકાના બીજા ગામ ઈંટોલામાં. જ્યાં પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈને નેતૃત્વમાં ગામના ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન ગામના ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતીને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેમ જ ગામના ખેડૂતોનું સર્ટિફિકેટ આપીને બહુમાન પણ કરવામાં આવ્યું હતું. જો કે તમે આ વીડિયોના લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/sg7zLQY1UU/ આ ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More