Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ જાગરણ ચૌપાલની મુલાકાતે આવ્યા કૈલાશ સિંહ, ટીમ સાથે કરી વાત, તો આવો જાણીએ શું કહ્યુ...

કંઈક કરી બતાવાની ઈચ્છા તમને સફળતાના માર્ગે લઈ આવે છે. આ સંદર્ભમાં, કૃષિ જાગરણ તેના ચૌપાલ સત્રમાં એવી મહાન હસ્તીઓને આમંત્રિત કરતું રહે છે, જેમના આગમનથી ચૌપાલમાં ચાર ચાંદ લાગી જાય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Kailash Singh came to visit Krishi Jagran Chaupal
Kailash Singh came to visit Krishi Jagran Chaupal

"સુંદરતા આંખને આકર્ષે છે પરંતુ વ્યક્તિત્વ હૃદયને આકર્ષે છે" આ અવતરણ ખરેખર આપણા મહેમાનના વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે!

આ એપિસોડમાં, ટેફલા એન્ટરટેઈનમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિટિકલ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટના ચેરમેન કૈલાશ સિંહ 10મી જૂન 2022ના રોજ કૃષિ જાગરણની ટીમ સાથે વાત કરવા અને કૃષિ ક્ષેત્રની પ્રગતિ માટે તેમના વિચારો અને વિઝન શેર કરવા માટે કેજે ચૌપાલની મુલાકાત લીધી હતી.

કૃષિ જાગરણ ચૌપાલમાં પહોંચ્યા કૈલાશ સિંહ

કૃષિ જાગરણના મુખ્ય સંપાદક એમ.સી ડોમિનિકે કૈલાશ સિંહ તેમનું સન્માન કર્યું અને તેમના પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત કરી. જેમાં તેમણે કહ્યું  કે "મેં ઘણા લોકોને જોયા છે જે કંઇક અલગ જ કરે છે, પરંતુ કૈલાશ સિંહજી એક એવા વ્યક્તિ છે જેમનામાંથી આપણે બધાએ પ્રેરણા લેવી જોઈએ".

જે પછી કૈલાશ સિંહજીએ કૃષિ જાગરણની ટીમ સાથે પોતાના અનુભવો શેર કર્યા અને જણાવ્યું કે તેમણે ટેફલા કંપનીની શરૂઆત ખૂબ જ રસપ્રદ રીતે કરી હતી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તેમણે પોતાની વાતની શરૂઆત તેમની યુવાનીનાં અનુભવોથી કરી હતી, જ્યારે તેઓ જેએનયુમાં અભ્યાસ કરતા હતા.

કૈલાશ સિંહજીના રમુજી કિસ્સાઓ

કૈલાશ સિંહ કૃષિ જાગરણની ટીમ સાથે હસતા હસતા વાત કરતા જણાવે છે કે એકવાર એક મીડિયાકર્મી જેએનયુમાં કોઈ કામ માટે આવ્યો હતો જ્યાં તેણે કૈલાશ સિંહના હાથના કબાબનો સ્વાદ ચાખ્યો હતો. આ પછી, બીજા દિવસે કૈલાશ સિંહે અખબારમાં પ્રકાશિત તેમની સ્ટોરી જોઈ જેમાં "કૈલાશ સિંહ, કબાબ કિંગ" લખેલું હતું. અને તેનાથી પ્રેરિત થઈને તેમણે પોતાની યુનિવર્સિટીમાં ટિફિન સેવા શરૂ કરી.

ટિફીન સર્વિસથી કરી શરૂઆત

તેમણે જેએનયુમાં વિદ્યાર્થીઓથી લઈને માસ્ટર્સ સુધી  ટેમ્પિંગ ટિફિન સર્વિસના નામથી કબાબ ખવડાવવાનું શરૂ કર્યું. કૈલાશ સિંહે કહ્યું કે જે વ્યક્તિ જેએનયુ જેવી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેની અંદર કંઈ પણ કરવાનો એક અલગ જ જુસ્સો હોય છે, જેના કારણે તેમણે આ બધું શરૂ કર્યું હતુ.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી ₹ 3050 કરોડની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

 

ટેફલા કંપનીની કહાની

તેઓ આગળ જણાવે છે કે તેમણે ટેફલા શબ્દ ટેમ્પ્લેટિંગ ટિફિન સર્વિસમાંથી જ લીધો હતો અને થોડા સમય પછી, તેઓ એક કોન્ફરન્સમાં પહોંચ્યા અને જોયું કે ત્યાં ભારે ભીડ એકઠી થઈ હતી, ત્યારબાદ તેમણે ટેફલાને એન્ટરટેઈનમેન્ટ એન્ડ ઈવેન્ટ કંપનીમાં સફળતાપુર્વક રૂપાંતર કર્યું અને ત્યારથી તેમની નવી સફર શરૂ થઈ અને આજે તેઓ આ કંપનીને મોટા પાયે ચલાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કૈલાશ સિંહ નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને તેમણે સ્વાસ્થ્ય, આવાસ, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક વિકાસ સંશોધનમાં ઘણો સમય વિતાવ્યો છે. તેમની સંશોધન પૃષ્ઠભૂમિએ તેમને કલ્પના અને આયોજન કરવામાં મદદ કરી છે.

આ ઉપરાંત એક નવી શરૂઆત સાથે કૃષિ જાગરણ અને ટેફલા કૃષિ ક્ષેત્રે નવી ચીજવસ્તુઓ લાવવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં ક્રાંતિ લાવવા માટે કૃષિ જાગરણના તમામ સભ્યોએ ટેફલા સાથે હાથ મિલાવ્યો છે.

આ કાર્યક્રમનું સમાપન કરતી વખતે, કૃષિ જાગરણના સીઓઓ ડૉ. પંતજીએ તેમના JNUના કિસ્સાઓ કહીને કૈલાશ સિંહનો આભાર વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં કૃષિ જાગરણના શ્રીમતી શાયની ડોમિનિક (નિર્દેશક), પીએસ સૈની (વરિષ્ઠ ઉપાધ્યક્ષ), મૃદુલ ઉપ્રેતી (ડીજીએમ) અને અન્ય સભ્યો સામેલ હતા.

ટેફલા એન્ટરટેઈનમેન્ટ

ટેફલા પરિષદો, પ્રદર્શનો અને કાર્યક્રમો દ્વારા વૈશ્વિક વ્યાપાર માટે એક પ્લેટફોર્મ તૈયાર કરે છે. તેઓ ગ્લોબોઈલ ઈન્ડિયા, ગ્લોબોઈલ દિલ્હી, ગ્લોબોઈલ ઈન્ટરનેશનલ, સીઈઓ વીકેન્ડ, સુગર સમિટ, ગ્લોબલ સ્પાઈસીસ વગેરે સહિતના ચોક્કસ ઉદ્યોગો સાથે ભાગીદારી ધરાવે છે.

થિંક ફાઉન્ડેશન એ ટેફલાની એક સામાજિક પહેલ છે જેનો હેતુ સધ્ધર CSR મોડલ્સના વિકાસને સરળ બનાવવા અને સભ્યોને તેમની CSR વ્યૂહરચના અને કાર્યક્રમો ઘડવામાં અથવા અમલમાં મૂકવામા મદદ કરવા, સંસ્થાની CSR પ્રતિબદ્ધતાઓ અને કામગીરીનું મૂલ્યાંકન અને ઑડિટ કરવા અને માહિતી અને ઝુંબેશ તરીકે કાર્ય કરવા માટે પ્રદાન કરવાનો છે.

કૃષિ જાગરણને આપ્યુ આમંત્રણ

કૈલાશ સિંહે કૃષિ જાગરણના તમામ સભ્યોને "ગ્લોબોઇલ ઇન્ડિયા આગ્રા એડિશન" પર આવવા આમંત્રણ આપ્યું અને ટેફલા સાથે તેની રજૂઆત શેર કરીને કૃષિ જાગરણ કેવી રીતે એકબીજાને મદદ કરી શકે તે માટે પ્રોત્સાહન આપ્યું.

આ પણ વાંચો:PM Kisan Yojana: 11 દિવસ પછી પણ ખેડૂતોના ખાતામાં નથી પહોંચ્યા 2 હજાર રૂપિયા? આમ કરવાથી તરત જ આવશે પૈસા

Share your comments

Subscribe Magazine

More on News

More