Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દેવાદાર ખેડૂતો માટે સુવર્ણ તક! નવી યોજના થકી વ્યાજ પર મળશે 100 ટકા ડિસ્કાઉન્ટ

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય છે દેવાની. ઘણા ખેડૂતોએ વાવેતર કે પછી લણણી માટે બેંક પાસેથી લોન લઈને પોતાના કામને પૂરા પાડે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ખેડૂતોએ પોતાના લોનની ચુકવણી કરી શકતા નથી, જેના કારણે તેઓ દેવાદાર થઈ જાય છે અને દરેક વિતેલા દિવસ સાથે તેઓના ઉપર દેવાનું વજન વધતો જાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોર્સ ઑફ ફોટો-ફ્રીપીક્સ
સોર્સ ઑફ ફોટો-ફ્રીપીક્સ

ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય છે દેવાની. ઘણા ખેડૂતોએ વાવેતર કે પછી લણણી માટે બેંક પાસેથી લોન લઈને પોતાના કામને પૂરા પાડે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ખેડૂતોએ પોતાના લોનની ચુકવણી કરી શકતા નથી, જેના કારણે તેઓ દેવાદાર થઈ જાય છે અને દરેક વિતેલા દિવસ સાથે તેઓના ઉપર દેવાનું વજન વધતો જાય છે. આથી કેટલીક વખત એવું પણ બને છે કે ખેડૂતોએ આપઘાત જેવો પગલો પણ ભરી લે છે. ખેડૂતોની એજ સમસ્યાને જોતા પાડોશી રાજ્ય રાજસ્થાનની ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકોના લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ (OTS) યોજનાની શરૂઆત કરી છે. જે ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકોને મોટી રાહત આપશે. સહકાર રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) ગૌતમ કુમાર ડાકે જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલી જમીન વિકાસ બેંકો તેમજ દેવાદાર ખેડૂતોને જીવનરેખા પૂરી પાડશે. OTS યોજના હેઠળ, રાજ્યના ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકોને વ્યાજ પર વિશેષ છૂટ આપવામાં આવશે. 

વ્યાજમાં 100 ટકા છૂટ આપવામાં આવશે

રાજ્ય સરકારની આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકો માટે મોટી રાહત સાબિત થશે અને જમીન વિકાસ બેંકોની સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે. રાજ્ય સરકારના આ નિર્ણય હેઠળ, જો ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકો મૂળ રકમ જમા કરાવે છે, તો તેમને મુદતવીતી વ્યાજમાં 100% છૂટ આપવામાં આવશે. આ યોજનાથી લોન લેનારાઓને રાહત તો મળશે જ, પરંતુ જમીન વિકાસ બેંકોની નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે.

  • ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકો જેમણે જમીન વિકાસ બેંકો પાસેથી લોન લીધી છે અને વ્યાજના વધારાને કારણે લોન ચૂકવવામાં અસમર્થ બન્યા છે તેઓ OTS યોજના હેઠળ લાભ મેળવી શકે છે.
  • વ્યાજની સંપૂર્ણ માફી મળવાથી ખેડૂતોને તેમના નાણાકીય સંકટમાંથી બહાર નીકળવાની તક મળશે.
  • આ યોજના રાજ્ય સરકારના હર ઘર ખુશાલી અભિયાન હેઠળ લાવવામાં આવી છે, જેથી આર્થિક રીતે નબળા વર્ગને રાહત મળી શકે.

જમીન વિકાસ બેંકો માટે ફાયદાકારક છે

  • નબળી નાણાકીય સ્થિતિનો સામનો કરી રહેલી જમીન વિકાસ બેંકોને પણ આ યોજનાનો લાભ મળશે.
  • ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકોના દેવાની ચુકવણીથી બેંકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે.
  • સરકારના આ પગલાથી સહકારી ક્ષેત્ર મજબૂત થશે અને ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો થશે.

યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?

વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ (OTS) અંગે વધુ માહિતી માટે, ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકો નજીકની જમીન વિકાસ બેંક અથવા સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે. જ્યાંથી લાભાર્થીઓ નિયત સમય મર્યાદામાં OTS યોજના હેઠળ અરજી કરી શકે છે.

આ પણ વાંચો:MSP હેઠળ ગુજરાતના ખેડૂતો પાસેથી કઠોળની 100 ટકા ખરીદી કરશે ભારત સરકાર

Share your comments

Subscribe Magazine

More on News

More