Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બટાકાના પાકને રોગો અને જીવાતોથી બચાવશે લસણ

બટાકાના પાકને નષ્ટ કરનાર લેટ બ્લાઈટ રોગનો સામનો કરવા માટે લસણના પાકને મધ્યમાં ઉગાડવો અસરકારક માનવામાં આવે છે. હવે બટાકાના પાકને રોગો અને જીવાતોથી લસણ બચાવશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
potato crop
potato crop

સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ બન્ને પાકોને એક સાથે ઉગાડીને આ દિશામાં એક સફળ પરીક્ષણ કરીને બંને પાકની ખેતી એકસાથે કરવાનુ નવુ મોડલ તૈયાર કર્યુ છે. જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો એક સાથે બે પાક લઈને બમણો નફો મેળવી શકશે. લસણ જમીનમાં સલ્ફર ઉમેરે છે અને બટાટા પર હુમલો કરતા જીવાતો અને રોગોને અટકાવે છે.

બટાટા અને લસણને એકસાથે ખેતરમાં ઉગાડવાની પદ્ધતિ મુજબ ખેડૂતોએ ખેતરમાં એક હરોળમાં બટાકાનો પાક અને બીજી હરોળમાં લસણ ઉગાડવુ પડે છે. આમાં એટલુ જ અંતર રાખવાનુ હોય છે જેટલુ બટાકાના ઉત્પાદન માટે જરૂરી હોય. આ પ્રયોગ કોઈપણ જાતના બટાકા પર કરી શકાય છે. તેનાથી બટાકા અને લસણના ઉત્પાદનમાં પણ કોઈ ફરક પડતો નથી. બટાકાના પાકને નષ્ટ કરનાર લેટ બ્લાઈટ રોગનો સામનો કરવા માટે લસણનો પાક મધ્યમાં ઉગાડવો અસરકારક માનવામાં આવે છે. તે તમામ પ્રકારના જંતુઓને પણ ખીલવા દેતું નથી.

સંસ્થાના વૈજ્ઞાનિકો હજુ પણ આ પ્રકારની ખેતી અંગે વધુ તથ્યો એકત્ર કરી રહ્યા છે. આ પછી, લસણ અને બટાકાની સંયુક્ત ખેતી માટે કઈ જાતો વધુ અસરકારક રહેશે તેના પર પણ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે. આ સફળ પરીક્ષણ બાદ દેશના બટાટા ઉત્પાદકો તેમના ખેતરોમાં બટાટા અને લસણની ખેતીથી વધુ લાભ મેળવી શકશે.

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશ: પ્રદેશના લસણની બહારના રાજ્યોમાં માંગ, 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યુ છે.

જીવાતો અને લેટ બ્લાઈટ જેવા રોગોથી મળશે રક્ષણ

કેન્દ્રીય બટાટા સંશોધનના નિયામક ડૉ. એન.કે. પાંડે કહે છે કે બટાટા અને લસણની એકસાથે ખેતી કરીને ખેડૂતો બટાટાના પાકને જીવાતો અને લેટ બ્લાઈટ જેવા તમામ રોગોથી બચાવી શકશે. આ દિશામાં સંસ્થાના વૈજ્ઞાનિકો વધુ તથ્યો અને ડેટા એકત્ર કરી રહ્યા છે. આ અંગે ફિલ્ડ ટ્રાયલ ચાલી રહી છે.

 

સફરજનના બગીચાઓમાં પહેલેથી ઉગાડવામાં આવે છે લસણ

રોગો અને જીવાતોના નિયંત્રણ માટે હિમાચલ પ્રદેશમાં સફરજનના બગીચાઓમાં પહેલેથી જ લસણની ખેતી કરવામાં આવી રહી છે. સફરજનના ઝાડના થડમાં લસણ ઉગાડવામાં આવે છે. તે રુટ બોરર જંતુઓ, અન્ય ખતરનાક કેટરપિલરને રોકવામાં મદદરૂપ સાબિત થાય છે.

આ પણ વાંચો:એરંડાનો ભાવ પહોંચ્યો આસમાને, ખેડૂતોમાં બમણી ખુશીનો માહોલ

Share your comments

Subscribe Magazine

More on News

More