Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MSPને લઈને સરકાર અને સોયાબીનના ખેડૂતો વચ્ચે ઘર્ષણ, ખેડૂતોએ કાઢી સરકારની સ્મશાનયાત્રા

કેન્દ્ર સરકારે સોયાબીનને એમએસપી પર ખરીદવાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોયાબીનની એમએસપી રૂ. 4892 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. પરંતુ ખેડૂતો ઇચ્છે છે કે તેને વધારીને રૂ. 6000 કરવામાં આવે. તેમણા મુજબ સોયાબીનના લધુત્તમ ટેકાના ભાવ રૂ. 800 થી 1000 રૂપિયા ઓછા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કેન્દ્ર સરકારે સોયાબીનને એમએસપી પર ખરીદવાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા સોયાબીનની એમએસપી રૂ. 4892 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. પરંતુ ખેડૂતો ઇચ્છે છે કે તેને વધારીને રૂ. 6000 કરવામાં આવે. તેમણા મુજબ સોયાબીનના લધુત્તમ ટેકાના ભાવ રૂ. 800 થી 1000 રૂપિયા ઓછા છે. આને લઈને સોયાબીનની સૌથી વધુ ખેતી કરનાર રાજ્ય મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ખેડૂતોએ સરકાર સાથે ભીષણ લડાઈ કરવા માટે આગળ આવી ગયા છે. જેને જોતા એવું ચર્ચા ચાલી રહી છે કે સરકાર ખેડૂતોની માંગણી મુજબ સોયાબીનની એમએસપીમાં વધારો કરી શકે છે.

કેમ કરી રહ્યા ખેડૂતો સોયાબીનની એમએસપી વધારવાની માંગ

સોયાબીનના બજાર ભાવ રૂ.3800 થી રૂ.4000 પ્રતિ ક્વિન્ટલની વચ્ચે ચાલી રહ્યા છે, જ્યારે આ વર્ષ માટે સોયાબીનની એમએસપી રૂ.4892 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો સોયાબીનના ભાવ વધારીને રૂ.6 હજાર પ્રતિ ક્વિન્ટલ કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે ખેડૂતો ઘોષિત MSP કરતા લગભગ 1100 રૂપિયા વધુ માંગ કરી રહ્યા છે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે સોયાબીનની ખેતીના ખર્ચના પ્રમાણમાં જાહેર કરાયેલ એમએસપી ખૂબ જ ઓછી છે.

જણાવી દઈએ ખેડૂતોએ સોયાબીનના પાકની સ્મશાનયાત્રા કાઢીને ભાવો અંગે શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન, કેન્દ્ર સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટકમાં MSP પર સોયાબીન ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતો આ જાહેરાતથી સંતુષ્ટ નથી. મધ્યપ્રદેશના ખેડૂતોએ સોયાબીનના ભાવ રૂ. 6,000 પ્રતિ ક્વિન્ટલ કરવા માટે વધુ લડતની જાહેરાત કરી છે. જેની રૂપરેખા આગામી દિવસોમાં નક્કી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ ઉભી થવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર કરી શકે થે અસર

એવું માનવામાં આવે છે કે સોયાબીનના નીચા ભાવનો મુદ્દો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને અસર કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એમએસપી પર સોયાબીન ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ હવે પછીનો પડકાર સોયાબીનની જાહેર કરાયેલી એમએસપીથી ખેડૂતોની નારાજગીનો છે. . રાજકીય પક્ષોને આ વાતનો અહેસાસ થયો છે અને આગામી દિવસોમાં આ અંગેની રાજકીય લડાઈ વધુ ઉગ્ર બને તેવી ધારણા છે.

સોયાબીનના MSPમાં વધારો થવાના સંકેતો શું છે?

એમએસપી પર સોયાબીનની ખરીદીની જાહેરાત પછી પણ ભાવને લઈને લડાઈ ચાલુ છે. દરમિયાન, એવા સંકેતો મળી રહ્યા છે કે કેન્દ્ર સરકાર સોયાબીનની MSP વધારી શકે છે. આ નિશાનીના હીરો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર છે. વાસ્તવમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ગઈ કાલે આ અંગે મોટું નિવેદન આપ્યું છે. ખેડૂતો સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સોયાબીન અને કપાસની MSP વધારવા અંગે હકારાત્મક છે. તેમણે એમ પણ કહ્યું કે ટૂંક સમયમાં મહારાષ્ટ્રના મંત્રીઓનું એક પ્રતિનિધિમંડળ આ માંગને લઈને કેન્દ્ર સરકારને મળશે.

આ પણ વાંચો: પામ ઓઇલની કિંમતમાં વધારાથી સોયાબીનના ખેડૂતો મુંઝવણમાં મુકાયા

Share your comments

Subscribe Magazine

More on News

More