Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક વિનાના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે તા. 11.01.2023નાં રોજ પાટણ સ્થિત મેસર્સ ખનક બેવરેજીસ, 201 પી 1/1, રાજપુર, પાટણ, ચાણસ્મા હાઈવે પાસે, પાટણ ઉપર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક વિનાના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે તા. 11.01.2023નાં રોજ પાટણ સ્થિત મેસર્સ ખનક બેવરેજીસ, 201 પી 1/1, રાજપુર, પાટણ, ચાણસ્મા હાઈવે પાસે, પાટણ ઉપર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ ખનક બેવરેજીસમાંથી આઈએસઆઈ માર્ક ધરાવતા વોટર પ્લસ અને અમૃત બ્રાન્ડની પેકેજ્ડ ડ્રિકિંગ વોટરની બોટલોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પેકેજ્ડ ડ્રિકિંગ વોટર
પેકેજ્ડ ડ્રિકિંગ વોટર

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓ બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ મેળવ્યા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિહ્ન માટે (આઈએસઆઈ) લાયસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યુરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી સામાન્ય જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય અથવા ફરજિયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014, ફોન નં.-079-27540314 પર લખી શકે છે.

ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaint@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

આ પણ વાંચો:ભારતમાં પ્રથમ વખત, FSSAI બાસમતી ચોખા માટે વ્યાપક નિયમનકારી ધોરણોને સૂચિત કરાયા; 1લી ઓગસ્ટ, 2023થી લાગુ કરવામાં આવશે

Share your comments

Subscribe Magazine

More on News

More