Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ સમાચાર : બાજરી વર્ષ નિમિત્તે આયોજિત કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના નિવાસ સ્થાને ભોજન કાર્યેક્રમનું આયોજન થયું

પીએમ મોદી આજે બપોરે કોરોનાને લઈને કરી સમીક્ષા બેઠક સાથે જુઓ અન્ય સમાચાર

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
જુઓ ટૂંક માં સમાચાર
જુઓ ટૂંક માં સમાચાર

ભારતમાં ફરી એકવાર કોરોના માથું ઊંચકે એવી સંભાવના છે. એને જોતાં કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી.

એમાં તેમણે કહ્યું હતું કે કોરોના હજુ ખતમ થયો નથી. ચીનમાં કોરોનાના જે વેરિયન્ટથી ચેપ ફેલાયો એના 4 કેસ ભારતમાં નોંધાયા છે, જેમાંથી ત્રણ ગુજરાતમાં અને એક કેસ ઓડિશામાં નોંધાયો છે. દરમિયાન સમાચાર એ છે કે કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેરાસિટામોલ, એમોક્સિસિલિન અને રેબેપેરાઝોલ જેવી દવાઓના ભાવ ઘટશે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસમાં યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. મીટિંગ દરમિયાન ઝેલેન્સકીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં રશિયન હુમલાઓ શરૂ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પ્રથમ વખત યુએસ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ બિડેન અને તેમની પત્ની જીલ બિડેને તેમનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કર્યું. આટલું જ નહીં અમેરિકન સાંસદો ઝેલેન્સકીના સ્વાગત માટે ઉભા થયા હતા. આ સાથે અમેરિકાએ યુક્રેન માટે $1.8 બિલિયનની વધારાની સૈન્ય સહાયની જાહેરાત કરી છે. ઝેલેન્સકીએ આ માટે બિડેનનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો : કૃષિ સમાચાર : તળાજામાં કૃષિ કોલેજ સ્થાપવાની ઉઠી માંગ જુઓ કૃષિ જાગરણ સાથે અન્ય અપડેટ

મ્યાનમારમાં ચાલી રહેલા માનવાધિકાર સંકટને લઈને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહેલો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેમાં માગણી કરવામાં આવી હતી કે મ્યાનમારની સેના (જુંટા) દ્વારા મનસ્વી રીતે અટકાયત કરાયેલા નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ ઠરાવમાં મ્યાનમારના અગ્રણી નેતા આંગ સાન સુ કી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિન મિન્ટને મુક્ત કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે આ મહિને UNSCની અધ્યક્ષતા ભારત પાસે છે. આ અવસર પર બ્રિટને મ્યાનમારને લઈને આ પ્રસ્તાવ રજૂ કર્યો, જેના પર વોટિંગ કરવામાં આવ્યું. ઠરાવ અંગે, યુએનએસસીના 12 સભ્યોએ મ્યાનમારને તાત્કાલિક હિંસા બંધ કરવા અને અટકાયતમાં લીધેલા લોકોને મુક્ત કરવાની માંગ કરી હતી. તે જ સમયે, ત્રણ સભ્યો - રશિયા, ચીન અને ભારતે આ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. 

ખેતીમાં અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. નવી પદ્ધતિઓ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડૂતોને રેશમના કીડા ઉછેરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. સરકાર માને છે કે રેશમના કીડા ઉછેરવાથી ખેડૂતો તેમની આવકમાં અનેકગણો વધારો કરી શકે છે.રેશમની ખેતી, આ વાક્ય સાંભળીને તમને થોડું અજીબ લાગશે. પરંતુ દેશમાં સિલ્કની ખેતી મોટાપાયે થાય છે. જણાવી દઈએ કે કુદરતી રેશમ જંતુઓની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ માટે ખેડૂતોને રેશમના કીડા પાળવાની સલાહ આપવામાં આવે છે.રેશમના કીડા શેતૂરના ઝાડ પર ઉગાડવામાં આવે છે. જંતુઓ તેમના પાંદડા પર લાળમાંથી રેશમ બનાવે છે. વૈજ્ઞાનિકોના મતે એક એકરમાં 500 કિલો રેશમના કીડાની જરૂર પડે છે.

તમે સફેદ મૂળાનો સ્વાદ તો ચાખ્યો જ હશે, પરંતુ બહુ ઓછા લોકોએ લાલ મૂળો ખાધો હશે. સામાન્ય મૂળાની સરખામણીએ આ મૂળામાં એન્ટીઓક્સીડેન્ટ વધુ જોવા મળે છે. ભારતમાં ગમે ત્યાં તેની ખેતી કરી શકાય છે. જો કે તેની કિંમત સફેદ મૂળાની સરખામણીમાં અનેક ગણી વધારે છે. ચાલો જાણીએ કે કેવી રીતે થાય છે લાલ મૂળાની ખેતી.શિયાળાના મહિનામાં ખેડૂતો તેની વાવણી કરી શકે છે. તેની ખેતી માટે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. આ માટે યોગ્ય ડ્રેનેજવાળી ચીકણી માટી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સિવાય રેતાળ જમીનમાં પણ તેની ખેતી કરી શકાય છે. આ માટે જમીનનું pH મૂલ્ય 5થી 7.5ની વચ્ચે હોવું જોઈએ. તેના મૂળ (કંદ) ઘેરા લાલ રંગના હોય છે. તેના પાંદડા ઘેરા લીલા રંગના હોય છે.

યુટુબ માં વિડીયો જોવા માટે 

રાજકોટના પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોડલીયા સૂકા મરચાની 1200 ભારીની આવક નોંધાઈ છે. રેવા, તેજા, કાશ્મીરી સહિતના વિવિધ પ્રકારના મરચાના જાતની આવક થતા ખેડૂતો ખુશ થયા. હરાજીમાં 20 કિલોના ભાવ 3500 થી 5000 સુધીના ભાવ બોલાયા હતા. મરચાની આવક શરૂ થતા વિવિધ રાજયોમાંથી વેપારીઓ મરચાની ખરીદી કરવા યાર્ડમાં આવ્યા. હજુ આગામી દિવસોમાં મરચાની આવકમાં વધારો થશે તેવું સેક્રેટરીનું કહેવું છે. ગતવર્ષની આવકની સરખામણીમાં આ વખતે મરચાની આવકમાં વધારો જોવા મળ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વિસ્તારમાં ફુલાવર અને કોબિઝની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે. હાલમાં અચાનક જ ફુલાવરના ભાવ તળીયે બેસી જતા ખેડૂતો પરેશાન બની ચુક્યા છે. હાલમાં માંડ 50 રુપિયાના ભાવે 20 કિલો ફુલાવર વેચાઈ રહ્યુ છે. એટલે કે માંડ અઢી રુપિયા પ્રતિ કિલો ખેડૂતને મળી રહ્યા છે. પ્રાંતિજ વિસ્તાર એટલે ફુલાવરની ખેતી માટે જાણિતો વિસ્તાર આ વિસ્તારના ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાનુ ફુલાવર મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે. અહીંથી ઉત્પાદિત ફુલાવર અમદાવાદ, વડોદરા અને સુરત જેવા ગુજરાતના મહાનગરોમાં અને મુંબઈ-દિલ્હી અને નાસિક જેવા રાજ્ય બહારના શહેરોમાં રોજે રોજે નિકાસ થાય છે.

Related Topics

today special agronews

Share your comments

Subscribe Magazine

More on News

More