Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ કાયદાને સમર્થન ન આપનાર ગુજરાતનો ખેડૂત સાયકલ લઈ પહોંચ્યો દિલ્હી

ગુજરાતના હરેશભાઇ પુજારા નામના ખેડૂતે ખેડૂતોની માગણીઓને લઇને ચોટીલાથી છેક દિલ્હી સુધી અંદાજે 1,350 કિલોમીટરની સાયકલયાત્રા શરૂ કરી, અંતે આજે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા.

Sukhadev Thakor
Sukhadev Thakor
હરેશભાઇ પુજારા
હરેશભાઇ પુજારા

દેશભરમાં ખેડૂતો નવા ત્રણે’ય કૃષિ કાયદાને ખેડૂતો માટે ડેથવોરંટ સમાન કાળા કાયદા ગણાવી રહ્યા છે, તેમજ ઝડપથી કાયદા રદ કરો તેમજ એમએસપી કાયદો બનાવોની માગણી સાથે દેશની રાજધાની દિલ્હીની ફરતે બોર્ડરો પર છેલ્લા નવેક મહિનાથી દેશભરના ખેડૂતોનું રાષ્ટ્રીય કક્ષાનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના હરેશભાઇ પુજારા નામના ખેડૂતે ખેડૂતોની માગણીઓને લઇને ચોટીલાથી છેક દિલ્હી સુધી અંદાજે 1,350 કિલોમીટરની સાયકલયાત્રા શરૂ કરી, અંતે આજે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા. તેઓની લડતને વિશેષ સમર્થન આપવા દિલ્હી ખાતે ગુજરાતના ખેડૂત આગેવાનો પણ પહોંચ્યા હતા.

ગુજરાત ખેડૂત સેવા સંગઠનના હોદ્દેાર મુકેશભાઇ રાજપરાએ યાદીમાં જણાવ્યું હતું કે, ચોટીલાથી દિલ્હી જવા સાયકલ લઇને નીકળેલા હરેશભાઇ પુજારા આજે દિલ્હી પહોંચ્યા હતા. તેઓનો ઉત્સાહ વધારવા માટે ગુજરાતના ખેડૂત આગેવાનો પણ તેઓની સાથે રહ્યા હતા. ખેડૂત સાયકલિસ્ટની દિલ્હી સફર દરમિયાન ઠેર ઠેર તેઓનું સ્વાગત કરાયું હતું. ગુજરાતમાંથી ખેડૂત સેવા સંગઠનના ટ્રસ્ટીઓ રાષ્ટ્રીય ખેડૂત આંદોલનમાં જોડાવવા દિલ્હી પહોંચ્યા છે. ખેડૂત આગેવાનો સવારે હરિયાણા ખાતે પહોચ્યા હતા, દરમિયાન બપોર બાદ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચ્યા છે તેમાં ખેડૂત આગેવાન મુકેશભાઇ રાજપરા, જયંતિભાઇ ગોહિલ, રાહુલભાઇ રાજપરા, ભરતભાઇ કમેજળિયા, ભાણાભાઇ, રાયધનભાઇ તથા નાગજીભાઇ તાવિયા સહિતના આગેવાનો દેશવ્યાપી ખેડૂતોના રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઇને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, તેમ જણાવાયું હતું. દરમિયાન આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્ને રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવાનું હોય, રાષ્ટ્રપતિ પાસે સમય માગવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું હતું.

Share your comments

Subscribe Magazine

More on News

More