Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ચોમાસુ પાક માટે સપ્ટેમ્બર માસના ત્રીજા અઠવાડિયામાં ખેડૂતો આ કાર્યો અચૂક કરો – ડૉ જી.આર. ગોહિલ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ . જી.આર ગોહિલ જણાવે છે કે ખેડૂત મિત્રોએ સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં આ કાર્યો કરવા કે જેથી કરીને ખેડૂત મિત્રો તેમના પાકને રોગ અને અન્ય રીતે થતા નુકશાનથી બચાવી શકે તો ચાલો જાણીએ કે આ અંગે ડૉ જી.આર ગોહીલે શુ કહ્યુ ?

Sukhadev Thakor
Sukhadev Thakor
Junagadh Krushi Jagran
Junagadh Krushi Jagran

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ . જી.આર ગોહિલ જણાવે છે કે ખેડૂત મિત્રોએ સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં આ કાર્યો કરવા કે જેથી કરીને ખેડૂત મિત્રો તેમના પાકને રોગ અને અન્ય રીતે થતા નુકશાનથી બચાવી શકે તો ચાલો જાણીએ કે આ અંગે ડૉ જી.આર ગોહીલે શુ કહ્યુ ?

મગફળી: 

  • મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિલી અથવા પ્રોપીકોનેઝોલ ૨૫ ઈ.સી. ૧૫ મિલી પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. 
  • પાનના ટપકાના નિયંત્રણ માટે બજારમાં મળતી મિશ્ર દવાઓ ફલુકઝાપાયરોકઝેડ ૧૬૭ ગ્રામ લીટર + પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ/ લીટર એસ.સી. ૬ ગ્રામ અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૧૩૩ ગ્રામ/ લીટર + ઇપોકઝિકોનાઝોલ ૫૦ ગ્રામ/લીટર એસ.ઈ. ૧૪ ગ્રામ પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગનું અસરકારક નિયંત્રણ થાય છે. 
  • એકની એક દવાનો બીજા છંટકાવમાં ઉપયોગ કરવો નહી. 
  • દવાના છેલ્લા છંટકાવ અને પાકની કાપણી વચ્ચેનો ગાળો ઓછામાં ઓછો ૨૦ દિવસ રાખવો. 
  • મગફળીનો પાક પાકવાની અવસ્થાએ પીળો પડવા લાગે અને તેનો છોડ ઉપાડી મગફળીના ડોડવા હાથથી ફોલતા દાણા આછા ગુલાબી રંગના જણાય ત્યારે કાઢવી.
  • ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય તે માટે સમયસર કાપણી કરવી. 
  • મગફળીનાં ડોડવાને ઓછી નુકશાની થાય તે રીતે કાઢવી નહિતર તેમાં આલ્ફારોટ નામની ફુગ આવવાની શકયતા રહેશે. 
  • મગફળીમાં થડના કોહવાના નિયંત્રણ માટે ટ્રાઇકોર્ડમાં વિરીડા પાવડરને પાણી સાથે ૨.૫ કિલો/ હેકટરે જમીનમાં આપવું. 
  • મગફળી ઉપાડવાનો સમય થયો હોય તો ફુવારા થી હળવું પિયત આપવું જેથી ડોડવા જમીનમાં તૂટે નહીં આરામથી મગફળી નીકળી શકે. 
  • લશ્કરી ઈયળ (પ્રોડેનીયા)ના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૦.૦૫% (૨૫ મિ.લી.) અથવા ડાયકલોરવોશ ૦.૦૫% (૫ મિ.લી.) અથવા કવીનાલફોસ ૦.૦૫% (૨૦ મિ.લી.) છંટકાવ કરવો
monsoon crop
monsoon crop

કપાસ: 

  • જ્યાં વરસાદ પડેલ હોય પાકમાં પાણી ભરાયેલ હોય ત્યાંથી પાણીનો નિકાલ કરવો તથા તે પછી પૂર્તિ ખાતર ખાસ કરીને કપાસ એરેંડા તથા તુવેર પાકમાં એમોનિયમ સ્ફેટ ખાતર આપવું. 
  • કપાસમાં રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્.પી. ૦.૨ યુ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ. પી. ૦.૦૫ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) છંટકાવ કરવો. 
  • કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા (૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો. કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ. લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો. 
  • કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખી ૨-૩ છંટકાવ કરવા. 
  • કપાસમાં સુકારો આવ્યો હોઈ તો બ્લુ કોપર દવાનો છંટકાવ કરવો. કપાસ: મીલીબગનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયોડીકર્બ ૭૫% વે.પા. ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયત પ્રમાણે ૨-3 છંટકાવ કરવા. 

સોયાબીન : 

  • ગર્ડલ બીટલ માટે કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા થાયોમીથોકઝામ૧૨.૬ + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડ.સી. ૪-૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

તલ: 

  • તલમાં પાન કોક્ડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી ૫.૦૦ કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.

બાગાયત: 

  • આંબાના મધિયાના નિયંત્રણ માટે કવીનાલફોસ, ઈમીડાકલોપ્રીડ અથવા પોલીટ્રીન માંથી કોઇ એક દવાનો છંટકાવ કરવો. 
  • કેળમાં સીગાટોકાનાંરોગનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો.. 
  • બોર પાકમાં ચોમાસું પૂરુંથયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટીકનું મલ્ચ ૨૫ માઈક્રોન પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો. નાળીયેરી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૨.૫ ટકા ૧૫ મીલી નો છંટકાવ કરવો.

શાકભાજી 

  •  »વેલાવાળા શાકભાજી: 
  • લાલ અને કાળા મરીયા, ફળમાખી 
  • » લાલ અને કાળા મરીયા: 
  • » ઉપદ્રવ વધારે જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરી થડની આજુબાજુ જમીનમાં આપવાથી ઉપદ્રવ કાબુમાં રાખી શકાય. 
  • » કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા કલોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી ૨૦ કિ.ગ્રા. / હે. પ્રમાણે વેલા અને જમીન પર છાંટવી. 
  • » શાકભાજીનાં ૧૫ દિવસે ગૌમૂત્રનો પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવો. 
  • » શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો. 
  • » ભીંડા અને રીંગણમાં મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની 
  • » નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ કરવો. 
  • » કાર્બોસલ્ફાન ૨૫ ઈસી ૧૫ મીલી દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મૂળ દ્વારા માવજત આપવી. તમામ ઉપાયો જેટલા સામુહિક ધોરણે કરવામાં આવે તો સારું પરિણામ મળે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More