Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

શું તમને પણ દાંતમાં પીડા થાય છે ? તો ચિંતા ન કરો આ રહ્યો દાંતની-પીડા રોકવાનો આયુર્વેદ ઉપચાર

આજ કાલ લોકોને અવાર નવાર દાંતના દુ:ખાવાની સમસ્યા સતાવતી હોય છે દાંતનો દુ:ખાવાની સમસ્યા મોટા ભાગે ઠંડુ ખાતા હોઈએ ત્યારે વધારે થતો હોય છે તો આજે આપણે એ જાણીશુ કે આયુર્વેદીક ઉપચારથી દાંતના દુ:ખાવાની સમસ્યાથી કઈ રીતે છુટકારો મળવવો.

Sukhadev Thakor
Sukhadev Thakor
toothache
toothache

આજ કાલ લોકોને અવાર નવાર દાંતના દુ:ખાવાની સમસ્યા સતાવતી હોય છે દાંતનો દુ:ખાવાની સમસ્યા મોટા ભાગે ઠંડુ ખાતા હોઈએ ત્યારે વધારે થતો હોય છે તો આજે આપણે એ જાણીશુ કે આયુર્વેદીક ઉપચારથી દાંતના દુ:ખાવાની સમસ્યાથી કઈ રીતે છુટકારો મળવવો.

  • હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.
  • દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ અથવા અક્કલકરો દાંતમાં ભરાવવાથી આરામ થાય છે.
  • સવારના પહોરમાં કાળા તલ ખૂબ ચાવીને, ખાઈને, ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે.
  • વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબૂત બને છે.
  • તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.
  • લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.
  • સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.
  • ફુલાવેલી ફટકડીનો પાઉડર દાંતના પેઢા પર દબાવવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • દાંતનું પેઢું સુજી ગયું હોય તો મીઠાના ગાંગડાથી તેને ફોડી તેના પર ફુલાવેલી ફટકડીનો પાઉડર લગાડવાથી દુઃખાવો મટે છે.
  • તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • સફરજનના રસ સોડા સાથે મેળવી દાંત ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને દાંતની છારી મટે છે.
  • પાકાં ટામેટાંનો રસ ૫૦ ગ્રામ જેટલો દિવસમાં ત્રણ વાર પીવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  • દાંતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળાં વારંવાર કરવાથી આરામ મળે છે.
  • કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.
  • કાંદો ખાવાથી દાંત સફેદ દૂધ જેવા થાય છે.
  • રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.
  • તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.
  • પોલા થઈ ગયેલ અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે.
  • દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ મટે છે.
  • દાઢ દુઃખતી હોય તો ઘાસતેલ અથવા સ્પિરિટનું પૂમડું બનવી તેની ઉપર કપૂર ભભરાવી, દુઃખતી દાઢ ઉપર મૂકવું.
  • જાંબુના ઝાડની છાલ ધોઈ, સ્વચ્છ કરી, અધકચરી ખાંડી, શેર પાણીમાં નાખી ઉકાળવી, અડધો શેર પાણી બાકી રહેતાં તે પાણી ઠંડુ કરી કોગળા કરવાથી દાંતનાં પેઢા મજબૂત થાય છે તથા પાયોરિયા મટે છે.
  • વડનું દૂધ વડના પત્તા ઉપર લઈ તેની પેઢાં ઉપર માલિશ કરવામાં આવે તો હાલતા દાંત પણ મજબૂત રીતે ચોટી જાય છે.
  • ૧૦ ગ્રામ મરી અને ૨૦ ગ્રામ તમાકુની કાળી રાખ બારીક પીસી સવાર-સાંજ દાંતે ઘસવાથી પાયોરિયામાં ફાયદો થાય છે.
  • જીરાને શેકીને ખાવાથી પાયોરિયાની દુર્ગંધ દૂર થાય છે.

આ પણ વાંચો - શુ તમારા પણ દાંત પીળા થઈ ગયા છે ? તો આ રીતે ચમકાવો દાંત

માહિતી સ્ત્રોત - સૌજન્ય સ્વાસ્થય અને આરોગ્ય ટેલિગ્રામ અને ફેસબુક ચેનલ

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More