Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Post Office ની આ છે જબરદસ્ત Scheme, 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને લખપતિ બનવાનો મોકો આપી રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા તાજેતરમાં એક એવી જબરદસ્ત સ્કીમ બહાર પાડવામાં આવી છે કે તમે માત્ર પાંચ વર્ષમાં જ લખપતિ બની શકો તેમ છો. આ યોજનાનો લાભ તમય વયજૂથના લોકો લઈ શકે છે

Sukhadev Thakor
Sukhadev Thakor
Post Office
Post Office

પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને લખપતિ બનવાનો મોકો આપી રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા તાજેતરમાં એક એવી જબરદસ્ત સ્કીમ બહાર પાડવામાં આવી છે કે તમે માત્ર પાંચ વર્ષમાં જ લખપતિ બની શકો તેમ છો. આ યોજનાનો લાભ તમય વયજૂથના લોકો લઈ શકે છે. આજે અમે તમને 'પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ' વિશે જણાવીશુ. પોષ્ટ ઓફિસની આ યોજના હેઠળ આપ જો રોકાણ કરો છો તો આપને 7.4 ટકાના દરે વ્યાજ મળે છે.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme - SCSS)

  • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme - SCSS) માં ખાતું ખોલવા માટે તમારી વય મર્યાદા 60 વર્ષ હોવી જોઈએ.
  • આ યોજનામાં માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ ખાતું ખોલાવી શકે છે.
  • જે લોકોએ VRS એટલે કે Voluntary Retirement Schem લીધી છે, તે લોકો પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.

10 લાખના રોકાણ પર 14 લાખથી વધુ

  • જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષના 4 ટકા (ચક્રવૃદ્ધિ) ના વ્યાજ દરના હિસાબથી 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર રોકાણકારોને કુલ રમક 14,28,964 રૂપિયા મળશે એટલે કે 14 લાખ રૂપિયાથી વધુ.
  • આ સ્કીમ અંતર્ગત તમને વ્યાજ તરીકે 4,28,964 રૂપિયા મળશે
Post Office
Post Office

કેવી રીતે અને કેટલા પૈસાથી ખુલશે ખાતું?

  • આ યોજનામાં ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે.
  • તમે આ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાથી વધુ રાખી શકતા નથી.
  • જો તમારું ખાતું ખોલવાની રકમ એક લાખ રૂપિયાથી ઓછી છે, તો તમે રોકડ ચૂકવીને પણ ખાતું ખોલી શકો છો.
  • એક લાખ રૂપિયાથી વધુનું ખાતું ખોલવા માટે, તમારે ચેક આપવો પડશે.

ટેક્સમાં છૂટ

  • જો SCSS હેઠળ તમારી વ્યાજની રકમ વાર્ષિક રૂ. 10,000 થી વધી જાય, તો તમારો TDS કાપવાનું શરૂ થાય છે.
  • આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપેલ છે.

પાકતી મુદ્દતનો સમય

  • SCSS ની મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, પરંતુ જો રોકાણકાર ઈચ્છે તો આ સમય મર્યાદા પણ વધારી શકાય છે.
  • ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ મુજબ, તમે મેચ્યોરિટી પછી આ યોજનાને 3 વર્ષ માટે લંબાવી શકો છો.
  • મુદ્દત વધારવા માટે, તમારે પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરવી પડશે.
  • SCSS હેઠળ, એક ડિપોઝિટર ઇન્ડીવિઝ્યુઅલી અથવા પતિ/પત્નીની સાથે જોઈન્ટમાં એકથી વધુ એકાઉન્ટ પણ રાખી શકો છે.
  • બધા મળીને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ 15 લાખથી વધુ ન હોઈ શકે.
  • ખાતું ખોલવા અને બંધ કરતી વખતે નોમિનેશન ફેસિલિટી પણ આપવામાં આવે છે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More