Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

PM AWAS YOJANA ની નવી સૂચીમાં તમારુ નામ છે કે કેમ? આ રીતે કરો ચેક

PM Awas Yojana હેઠળ ભારત સરકાર દ્વારા ઘર વિહોણાને ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આજે અમે તમેન એ જણાવીશુ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ? કઈ રીતે યોજનાનો લાભ મેળવી શકાય અને તમારુ નામ આ યોજના અંર્ગત સૂચીમાં છે કે કેમ ?

Sukhadev Thakor
Sukhadev Thakor
PM AWAS YOJANA
PM AWAS YOJANA

PM Awas Yojana હેઠળ ભારત સરકાર દ્વારા ઘર વિહોણાને ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આજે અમે તમેન એ જણાવીશુ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ? કઈ રીતે યોજનાનો લાભ મેળવી શકાય અને તમારુ નામ આ યોજના અંર્ગત સૂચીમાં છે કે કેમ ?

સૂચિમાં નામ ચેક કરવાની રીત

  • આ યોજના હેઠળ લાભાર્થી તરીકે તમારું નામ સૂચિમાં છે કે નહીં તે તમે સરળતાથી જાણી શકો છો.
  • આ માટે, સૌ પ્રથમ, તમારી પાસે અરજી પછી પ્રાપ્ત થયેલ નોંધણી ID હોવી જોઈએ. આ દ્વારા તમે તમારી સબસિડીની સ્થિતિ ચકાસી શકો છો.
  • આ તપાસવાની ચાર સરળ રીતો છે.

શહેરી અને ગ્રામીણ અરજદારો માટે અલગ અલગ છે નિયમો:

  • આ યોજના હેઠળ, જે લોકો શહેરી વિસ્તારોમાં પ્રથમ વખત મકાન ખરીદે છે અથવા બાંધે છે, તેમને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી મળે છે.
  • ગ્રામીણ વિસ્તારોના લોકોને આ યોજના હેઠળ આવાસના નિર્માણ માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે.
  • શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અલગ અલગ નિયમો છે.
  • યોજનાનો લાભ લેનારાઓની આવક મર્યાદા 6 લાખ હતી પરંતુ હવે તેને વધારીને 18 લાખ કરવામાં આવી છે.
  • આ યોજના હેઠળ, કોઈપણ વર્ગના લોકો તેમની આવક અનુસાર સરકાર તરફથી તેમના પ્રથમ ઘર માટે સબસિડીનો લાભ લઈ શકે છે.

કોણ મેળવી શકશે યોજનાનો લાભ

  • 21થી 55 વર્ષની વયજૂથના લોકો સરકારની આ અદ્ભૂત યોજનાનો લાભ લઇ શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે, નીચલા આર્થિક વર્ગ EWSના લોકોની વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ હોવી જોઈએ.
  • મધ્યમ વર્ગ LIG માટે વાર્ષિક આવક 3-6 લાખ રૂપિયા હોવી જોઈએ. જો કે, 12-18 લાખની આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • યોજનાનો લાભ લેવા અરજદારે આવકનો પુરાવો, ફોર્મ 16 અથવા આવકવેરા રિટર્ન દસ્તાવેજો આપવાના રહેશે.
  • સ્વરોજગાર પૂરુ પાડે છે તેઓએ તેમની આવકનું પ્રમાણપત્ર આપવું પડશે.

યોજના અંર્ગત મળવાપાત્ર સહાય

  • જેઓ યોજનાનો લાભ લેવા માગે છે તેમને તેમની આવક અનુસાર સબસિડીનો લાભ મળશે.
  • ઉદાહરણ તરીકે, વાર્ષિક રૂ. 12 લાખ સુધીની કમાણી કરનારાઓને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડીનો લાભ મળશે.
  • 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% સબસિડીનો લાભ લઈ શકશે.

આ પણ વાંચો - પ્રધાનમંત્રી આવાસ યોજના સ્ટેટસ : તમને સબસીડી મળશે કે નહીં ? આ રીતે ચકાશો તમાरीરી લાયકાત

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More