Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Ambedkar Awas Yojana: ગુજરાતમાં દલિતોને મળી રહ્યું છે પોતાનું ઘર, હજારો પરિવારોનું બદલાઈ ગયું જીવન

ગાંધીનગર: પોતાનું ઘર એ દરેક વ્યક્તિનું સપનુ હોય છે. પરંતુ, પરિવારની દરેક જવાબદારી નિભાવ્યા પછી દરેક વ્યક્તિ માટે આ સપનું સાકાર કરવું શક્ય નથી હોતું. આવી સ્થિતિમાં, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા લોકો અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયમર્યાદામાં આવાસ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા લક્ષિત પરિવારોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
ambedkar awas yojana
ambedkar awas yojana

ગાંધીનગર: પોતાનું ઘર એ દરેક વ્યક્તિનું સપનુ હોય છે. પરંતુ, પરિવારની દરેક જવાબદારી નિભાવ્યા પછી દરેક વ્યક્તિ માટે આ સપનું સાકાર કરવું શક્ય નથી હોતું. આવી સ્થિતિમાં, ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા લોકો અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયમર્યાદામાં આવાસ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા લક્ષિત પરિવારોને મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

14 હજાર પરીવારોને મળ્યો આ યોજનાનો લાભ

 ગુજરાતની સાડા 6 કરોડની આબાદીમાં અનુસુચિત જાતિના લોકોની સંખ્યા 60 લાખની આસપાસ છે. આંબેડકર આવાસ યોજના એ આજ વર્ગના લોકો માટે છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિના ગરીબો અને ગરીબી રેખા નીચે રહેતા લોકોને પોતાનુ ઘર મળી રહે એ રાજ્ય સરકારનુ લક્ષ્ય છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિના પરીવારોને ઘર બનાવવા માટે સરકાર તરફથી 1.20 લાખ રૂપિયાની સહાયતા રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષોમાં આ યોજનાનો લાભ લગભગ 14 હજાર પરીવારોને મળ્યો છે. મુખ્યંમંત્રી ભુપેન્દ્ર પટેલે જ આ વર્ષે લગભગ 7,080 આંબેડકર આવાસોના નિર્માણનો લક્ષ્ય નક્કી કર્યો છે.  

યોજના હેઠળ આવાસ આપવાનો લક્ષ્ય કર્યો બમણો

રાજ્યના મુખ્યમંત્રી દરેક ગરીબ દલિત પરિવારને પોતાનું ઘર આપવા માટે સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું સ્પષ્ટ જણાય છે. આથી છેલ્લા બે વર્ષની સરખામણીમાં આંબેડકર આવાસ યોજના દ્વારા આવાસ આપવાનો લક્ષ્યાંક બમણો કરવામાં આવ્યો છે. આ યોજનાના લાભાર્થીઓ માટે જરૂરી છે કે તેમની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,20,000 અને શહેરી વિસ્તારોમાં રૂ. 1,50,000થી વધુ ન હોવી જોઈએ.

આ યોજનાથી હજારો પરીવારોને મળી છત

આ યોજના ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. ગુજરાત સરકારની આંબેડકર આવાસ યોજનાએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હજારો પરિવારોને છત આપી છે, જેના કારણે આવા પરિવારો સ્વાભિમાન સાથે જીવતા શીખ્યા છે. બનાસકાંઠાના ઠાકરસી હેંગડાએ જણાવ્યું હતું કે,અમે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. કચ્છના મકાનમાં રહેતા અમારા પરિવારને ચોમાસામાં ઘણી તકલીફ પડતી. પરંતુ, હવે અમે સરકારની આંબેડકર આવાસ યોજના હેઠળ મદદ લઈને અમારું ઘર તૈયાર કરીને ખુશીથી જીવી રહ્યા છીએ.

આ યોજના બેઘર પરીવારો માટે વરદાન

આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ઈ-સમાજ કલ્યાણ વેબસાઈટ પર અરજી કરવાની રહેશે. અરજીની સરળ પ્રક્રિયા પછી મંજૂર ઓર્ડર અને સહાયની રકમના પ્રથમ હપ્તાની ચૂકવણી પણ સિસ્ટમ દ્વારા જરૂરી ચકાસણી કર્યા પછી કરવામાં આવે છે. થરાદ ગામના 40 પરીવારોનને  આ યોજના હેઠળ સહાય આપવામાં આવી છે. જેના કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ દલિત પરિવારો માટે આ એક આશ્રયસ્થાન બની ગયું છે. આ યોજના ખરેખર બેઘર પરિવારો માટે વરદાન કહી શકાય.

રાજ્ય સરકાર સમાજ કલ્યાણના કાર્યો દ્વારા દરેક પરિવારને આવાસ આપીને રાજ્યના વિકાસમાં ભાગીદાર બનાવવા પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકારની આંબેડકર આવાસ યોજના એ રાજ્યના 50 લાખ ગરીબ દલિત પરિવારો માટે ઘરનું સ્વપ્ન સાકાર કરવાની યોજના છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More