Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Business

BUDGET 2024: ખેડૂતો માટે મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતો માટે લઈને આવ્યા ખુશિયા અપાર

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સરકારના સંકલ્પ પર ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

Amansinh Jadeja
Amansinh Jadeja

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સરકારના સંકલ્પ પર ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણામંત્રીએ સામાન્ય બજેટ 2024માં મોદી સરકારના 10 વર્ષના કાર્યની ગણતરી કરી અને વર્તમાન અનિવાર્યતા પર ભાર મૂકતા દેશમાં ગરીબ મહિલાઓ, યુવાનો અને અન્નદાતા (ખેડૂતો)ના કલ્યાણને પ્રાથમિકતા આપી છે. સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે,  આખા વર્ષ અને તેના પછીના સમયગાળાને ધ્યાનમાં રાખીને, આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય તાલીમ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

કૃષિ ક્ષેત્રને ફાળવામાં આવ્યો 1.52 લાખ કરોડ રૂપિયા

મોદી સરકારના 11માં બજેટ રજુ કરતા નાણા પ્રધાને કૃષિ ક્ષેત્રને 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જાહેરાત રહી છે.  તેમણે 32 કૃષિ અને બાગાયતી વિસ્તારોમાં પાકની 109 ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવાને અનુકૂળ જાતો ખેડૂતોને મુક્ત કરવામાં આવશે. દેશભરના એક કરોડ ખેડૂતોને પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ દ્વારા કુદરતી ખેતી માટે મજબૂત સમર્થન પણ આપવામાં આવશે. અમલીકરણમાં મદદ કરવા માટે 10 હજાર બાયો-ઇનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવાનું પણ સરકારનું લક્ષ્ય છે.

કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને અનુકૂલનક્ષમતા માટે-

  • દેશના 400 જિલ્લાઓમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર (DPI)નો ઉપયોગ કરીને ખરીફ પાકોનું ડિજિટલ સર્વે કરવામાં આવશે.
  • જાહેર આધાર આધારિત કિસાન ક્રેડિટ કાર્ડ 5 રાજ્યોમાં જારી કરવામાં આવશે
  • ઝીંગા, માછલી, બ્રૂડસ્ટોક માટે કેન્દ્રિય સંવર્ધન કેન્દ્રોનું નેટવર્ક સ્થાપિત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
  • ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસ અને રોજગાર સર્જનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય સહકાર નીતિ તૈયાર કરવામાં આવશે.

પ્રાકૃતિક ખેતી ઉપર મુકવામાં આવશે ભાર

આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સાથે જ શાકભાજીની ફૂડ સપ્લાય ચેનને મજબૂત કરવા માટે ખાસ આયોજન કરાયું છે. નવા એફપીઓ ઉભા કરીને ખેડૂતોના ઉત્પાદનો ગ્રાહકો સુધી જલદી પહોંચાડી સારી આવક પેદા કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે દેશમાં 1 કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે.  જેનો અમલ ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે. તેમજ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધારવા માટે નેચરલ ફાર્મિંગનું સર્ટિફિકેશન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ખેડૂતોની મદદ કરવા માટે 10 હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે.આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે 32 પાકોની 109 જાતો લાવવામાં આવશે. શાકભાજીની સપ્લાય ચેઇન પર ભાર મૂકવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો ડિજીટલ સર્વે કરવામાં આવશે. કઠોળ અને દાળમાં આત્મનિર્ભરતા માટે ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરકારનું ધ્યાન સરસવ, મગફળી, સનફ્લાવર અને સોયાબીન જેવા પાકો પર રહેશે.

રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે રૂ. 2 લાખ કરોડ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "ભારતનો આર્થિક વિકાસ સતત મજબૂત થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો વગેરે જેવા મુખ્ય સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોજગાર, કૌશલ્ય, MSME અને મધ્યમ વર્ગ માટે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓને લઈને 2 લાખ કરોડ રૂપિયા ફાળવામાં આવશે.

બજેટ 2024-25ની પ્રાથમિકતાઓ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, "આ બજેટ તમામ માટે પર્યાપ્ત તકો ઊભી કરવા માટે 9 પ્રાથમિકતાઓ પર સતત પ્રયત્નોની કલ્પના કરે છે -

  • કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
  • રોજગાર અને કૌશલ્ય
  • સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
  • ઉત્પાદન અને સેવાઓ
  • શહેરી વિકાસ
  • એનર્જી સિક્યોરિટી
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • ઇનોવેશન, રિસર્ચ અને ડેવલપમેન્ટ
  • નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ

આગામી બજેટ આના પર આધારિત હશે અને વધુ પ્રાથમિકતાઓ અને ક્રિયાઓ ઉમેરવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on Business

More