Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

મોંઘા ખાતરથી છો પરેશાન, તો આવી રીતે ઘરે બનાવો ચણાના લોટ અને ગાયના છાણથી જીવામૃત

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી હોવાથી દેશના મોટાભાગના ખેડૂતો પોતાની બંજર જમીનને બચાવવા માટે ચિંતિત છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જીવામૃત
જીવામૃત

રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી હોવાથી દેશના મોટાભાગના ખેડૂતો પોતાની બંજર જમીનને બચાવવા માટે ચિંતિત છે. આ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે ખેડૂતોએ તેમની ખેતીમાં જીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો છે.

જીવામૃતની મદદથી જમીનને પોષક તત્વો મળે છે અને તે વધુ સારા ખાતરનું કામ કરે છે. આના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વધે છે. આવી સ્થિતિમાં ખેડૂતો ચણાના લોટ અને ગાયના છાણમાંથી સરળતાથી જીવામૃત ઘરે બનાવી શકે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.

આવી રીતે બનાવો ચણાના લોટથી જીવામૃત

જીવામૃત બનાવવા માટે, એક ડ્રમમાં 200 લિટર પાણી રેડવું, ત્યારબાદ 10 કિલો તાજુ ગાયનું છાણ, 10 લિટર ગૌમૂત્ર, 1 કિલો ચણાનો લોટ (કોઈપણ દાળનો), જૂનો ગોળ અને 1 કિલો માટી ઉમેરો. આ બધી વસ્તુઓ મિક્સ કર્યા પછી, આ મિશ્રણને 48 કલાક માટે શેડમાં રાખો.પછી 2 થી 4 દિવસ પછી આ મિશ્રણ ઉપયોગ માટે તૈયાર થઈ જશે. આ મિશ્રણના ઉપયોગથી પાકની ઉપજ વધે છે. આ ઉપરાંત જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. વધુમાં, જમીનમાં સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ વધે છે. આ સિવાય જીવામૃતની મદદથી વૃક્ષો અને છોડને રોગોથી બચાવી શકાય છે.

કેવી રીતે કરવામાં આવે છે પ્રયોગ?

જીવનમૃતને જરૂરિયાત મુજબ મહિનામાં એક કે બે વાર પ્રતિ એકર 200 લિટરના દરે સિંચાઈ સાથે આપવામાં આવે છે. સાથે જ ઉભા પાક પર જીવામૃતનો છંટકાવ વાવણીના 21 દિવસ પછી 100 લિટર પાણીમાં 5 લિટર જીવામૃત ભેળવીને કરવો જોઈએ. બીજો છંટકાવ, પ્રથમ છંટકાવના 21 દિવસ પછી, 200 લિટર પાણી અને 20 લિટર જીવામૃત પ્રતિ એકર ભેળવીને કરો. આ સાથે ત્રીજો છંટકાવ બીજા છંટકાવના 21 દિવસ પછી 20 લિટર જીવામૃત 200 લિટર પાણીમાં પ્રતિ એકર ભેળવીને કરવો.

જીવામૃતના છે અનેક ફાયદા

જીવામૃતના પણ અનેક ફાયદા છે. તેનો ઉપયોગ છોડના મૂળ સુધી ઓક્સિજન પહોંચાડવામાં ઘણી મદદ કરે છે. જીવામૃતનો ઉપયોગ ખાતર બનાવવામાં પણ થાય છે, તે અળસિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે. જીવામૃત માત્ર જમીનની ફળદ્રુપતા વધારવામાં જ નહીં પરંતુ પાક ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે.

Related Topics

Fertilizer Dung Flour Cow Gram Organic

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More