Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

આરોગ્ય સાથે આર્થિક લાભઃ અશ્વગંધાની ખેતી ખર્ચ કરતા 3 ગણો નફો રળી આપે છે

આયુર્વેદિક સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી અશ્વગંધા ગુણકારી ઔષધિયો પૈકીની એક છે. અશ્વગંધા ભારતની એક એવી ઔષધી છે જે ફક્ત આરોગ્ય માટે જ નહીં પણ આર્થિક સ્થિતિ માટે પણ ખૂબ લાભદાયક છે. એ હકીકત છે કે અશ્વગંધાની ખેતીથી તમે લગાવવામાં આવેલી કિંમતના બદલામાં 3 ગણા વધારે ફાયદા હાંસલ કરી શકે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Ashwagandha cultivation
Ashwagandha cultivation

તેનાથી આરોગ્યપ્રદ છોડની ખાસ વાત એ છે કે તેની પાછળ લાગતો ખર્ચ ઓછો હોય છે અને આવક વધારે સારી રહે છે. સમગ્ર વિશ્વમાં આ ઔષધીય છોડની માંગ વધી રહી છે. કારણ કે કોઈ પણ પોતાના આરોગ્યની તંદુરસ્તીને જાળવી રાખવા માંગ વધી રહી છે. અશ્વગંધાના છોડનો દરેક હિસ્સો કે જેમાં પાંદડા, ફળો, બીજ આયુર્વેદિક રીતે ખૂબ જ અગત્યતા ધરાવે છે. તેનો ઉપયોગ ત્વચાને લગતી બીમારીમાં લાભ આપે છે, ફેફસામાં સોજો ઓછો કરે છે, પેટમાં દુખાવામાં રાહત આપે છે. તો ચાલો આ ઔષધી છોડની ખેતી કેવી રીતે કરી શકાય છે તે અંગે માહિતી મેળવીએ.

અશ્વગંધાની ખેતી ક્યાં થાય છે?

અશ્વગંધાની ખેતી સમગ્ર દેશમાં 10,000થી 11,000 હેક્ટરમાં કરવામાં આવે છે. મુખ્યત્વે અશ્વગંધાની ખેતી બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કરવામાં આવે છે. જ્યા વધારે પ્રમાણમાં ઠંડી રહે છે તે સ્થળને બાદ કરતા દેશમાં તમામ જગ્યા પર તેની ખેતી કરી શકાય છે.

અશ્વગંધાની ખેતી માટે કેવી આબોહવાની જરૂર છે

અશ્વગંધાના છોડ વરસાદ શરૂ થાય તે અગાઉ ગરમીની મોસમમાં લગાવવામાં આવે તે વધારે ઉપયુક્ત છે. પાકને વિકસિત થવા માટે શુષ્ક આબોહવા હોવી જોઈએ. જે જગ્યા પર સમગ્ર વર્ષમાં 600થી 800 મિલી મીટર હોય છે ત્યાં અશ્વગંધાના પાકની વૃદ્ધિ સારી થાય છે.

કેવા પ્રકારની જમીન અથવા માટી પર ઉન્નત અશ્વગંધાની ખેતી કરી શકાય છે

અશ્વગંધાની ઉન્નત ખેતી માટે સારા જળ નિકાલવાળી દોમટ, બલુઈ અથવા સામાન્ય લાલ રંગની માટી ઉપયુક્ત છે. તેનો પીએચ 7.5થી 8 હોય તો તે અશ્વગંધાના પાક માટે વધારે અસરકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે જો તમારી જમીન વધારે ઉપજાઉ ન હોય તેમ છતાં અશ્વગંધાની ખેતી સરળતાથી કરી શકાય છે.

આ પણ વાંચો:પાલકની આ જાતો વાવવાથી ખેડૂતો મેળવી શકશે બમ્પર ઉપજ

અશ્વગંધામાં કેટલી ઉપજ મળે છે

અશ્વગંધાનો પાક આશરે 170 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. અશ્વગંધાના પાકથી 1 હેક્ટરમાં આશરે 9 ક્વિન્ટલ મૂળ અને 51 કિલો બીજ પ્રાપ્ત કરી શકાય છે. એ બાબત કહેવી બિલકુલ ખોટી નથી કે જો તમે અશ્વગંધાની ઉન્નત ખેતી કરી રહ્યા હોય તો તેનાથી તમારા ખર્ચથી 3 ગણો વધારે નફો કમાઈ શકાય છે. જો તમે પ્રતિ હેક્ટર કુલ રૂપિયા 40,000 ખર્ચ કરો છો તો તમને ઓછામાં ઓછા રૂપિયા 80,000 નફો થઈ શકે છે.

અશ્વગંધાથી શું ફાયદા થાય છે

અશ્વગંધાથી સુંદરતા નિખારી ઉઠે છે

ઉંમર વધવા સાથે સુંદરતામાં પણ ઓટ આવવા લાગે છે અને તેને જાળવી રાખવાનું કામ અશ્વગંધા કરે છે. તમને આવી જ પ્રોસેસને ધીમી કરવા માટે અશ્વગંધાની અંદર રહેલા એંટીઓક્સિડેંટ્સ દ્વારા સક્રિયપણે કામ કરે છે. સફેદવાળને ફરી કાળો રંગ આપવા માટે મેલેનિનની ક્ષમતા વધવામાં પણ અશ્વગંધા ખૂબ જ જાણીતી છે. આ ઉપરાંત તમારા વાળના મૂળને મજબૂત કરવામાં અને ડેંડ્રફથી મુક્તિ અપાવવામાં પણ અશ્વગંધા મહત્વનું કાર્ય કરે છે.

અશ્વગંધાનો ઉપયોગ કેન્સરના સેલ્સને વધતા અટકાવે છે

અશ્વગંધા જેવી આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ કેન્સરના કોષ વધતા અટકાવવામાં મદદરૂપ બને છે. કેન્સરના કોષનો ખાતમો બોલાવે છે. અશ્વગંધા આપણા શરીરમાં રિએક્ટિવ ઓક્સીજન સ્પાઈસિસ બનાવે છે, જેથી કિમોથેરાપીથી થતી પ્રતિકૂળ અસરથી બચી શકાય છે.

અશ્વગંધાથી બનાવો મજબૂત ઈમ્યૂન સિસ્ટમ

અશ્વગંધાના સેવનથી આપણા શરીરમાં વાઈટ બ્લડ સેલ્સ અને રેડ બ્લડ સેલ્સનું નિર્માણ ઝડપથી થાય છે. જેને લીધે ઈમ્યુન સિસ્ટમ ખૂબ જ મજબૂત થાય છે. તમે અશ્વગંધાના ઉપયોગથી જોખમી આરોગ્યને લગતી સમસ્યાઓથી બચી શકાય છે અને મોટાભાગે શરદીથી આવતા તાવને દૂર ભગાડે છે.

માનસિક તણાવથી છૂટકારો અપાવે છે અશ્વગંધા

કેટલાક અહેવાલ પ્રમાણે 70 ટકા સુધી અશ્વગંધા આપણા માનસિક તણાવ જેવી સમસ્યાને દૂર ભગાડવામાં અસરકારક સાબિત થાય છે. અશ્વગંધાથી આપણા શરીરનું અને માનસિક સંતુલન યોગ્ય કરી શકાય છે તેમ જ સારા ઉંઘ આપી તણાવને ઓછો કરે છે.

આ પણ વાંચો:સારા ઉત્પાદન માટે બિયારણને લગતી આ કાળજી હવે વિશેષ જરૂરી બની છે

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More