Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

તરત થઈ જાવ સાવધાન, આવા લોકોએ પીએમ કિસાન યોજનાના પૈસા પરત ન કર્યા તો...

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. આ રકમ દર ચાર મહિને રૂ. 2-2 હજારના અંતરાલ સાથે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
pm kisan yojna
pm kisan yojna

જો કે આ યોજનાનો અનેક ગેરકાયદેસર લાભાર્થીઓએ લાભ લીધો હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.

સરકાર મોકલી રહી છે નોટિસ

સરકાર આવા લોકો સામે કડક પગલાં લઈ રહી છે. સરકારે આ લોકોને નોટિસ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. સરકારે આવા લોકોને વહેલી તકે પૈસા પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આવું ન કરવાવાળા લોકોને કડક કાર્યવાહી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:સરકારી કર્મચારીઓને જલ્દી મળી શકે છે મોટી ભેટ, નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધશે, સરકારને મોકલ્યો પ્રસ્તાવ

 

યાદીમાં તમારું નામ તો નથી?

તમે ઓનલાઈન દ્વારા પણ ચેક કરી શકો છો કે તમારે પૈસા પરત કરવાનો છે કે નહીં. આ માટે, તમને ફોર્મર કોર્નર પર  રિફંડ ઓનલાઈનનો વિકલ્પ દેખાશે. તેના પર એક પેજ ખુલશે. અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો. આ પછી, અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. પછી કેપ્ચા કોડ દાખલ કરો અને 'ડેટા મેળવો' પર ક્લિક કરો. જો તમને સ્ક્રીન પર 'You are not eligible for any refund amount'  એવો સંદેશ દેખાય, તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો રિફંડની રકમનો વિકલ્પ બતાવવામાં આવ્યો છે, તો સમજી લો કે તમને કોઈપણ સમયે રિફંડ નોટિસ મળી શકે છે.

E-KYC પણ ફરજિયાત

eKYCની તારીખ વધુ લંબાવીને 31મી જુલાઈ કરવામાં આવી છે. તાજેતરમાં, એક સૂચના જારી કરીને, સરકારે ખેડૂતોને ઇ-કેવાયસીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. જે ખેડૂતો ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તેઓ આગામી હપ્તાથી વંચિત રહી શકે છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ” ના વિઝનને વધુ મજબૂત કરશે અમિત શાહ

 

Share your comments

Subscribe Magazine

More on News

More